Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020
શિવ કા દાસ કદી ન ઉદાસ-સુત્ર આપનાર શિવ કથાકાર પૂ. ગિરીવરબાપુનો દેહવિલય

ભાવનગર તા. ૭ :.. જિલ્લાના તળાજાની નદી કાંઠે અતિ પૌરાણિક ભીડભંજન મહાદેવની પૂજા કરતા અને આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર મનરૂપગીરી નંદલાલગીરી ગોસ્વામી (પૂ. ગિરીવરબાપુ) એ ટૂંકી બીમારી બાદ દેહ ત્યાગ કર્યો હતો. મોટા ભાગના ભકતો પૂ. ગિરીવરબાપુ તરીકે ઓળખાતા હતાં.  તેમના દેહ વિલયના સમાચાર મળતા જ ભકતજનોમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. તેઓના નિવાસ સ્થાનેથી પાલખી યાત્રા યોજાઇ હતી. તેઓએ દેશ-વિદેશમાં શિવ કથાના માધ્યમથી 'શિવ કા દાસ કદી ન ઉદાસ' સૂતર આપેલ હતું.

ડો.ભગવાનજીભાઇ પ્રાગજીભાઇ પટેલનું અવસાન : કાલે સાંજે ટેલીફોનીક બેસણું

રાજકોટ : મુળ રીબડા (હાલ રાજકોટ) નિવાસી ડો. ભગવાનજીભાઇ પ્રાગજીભાઇ પટેલ (ઉ.વ.૬૫) તે ડો. નયનભાઇ પટેલ, ડો. લકકીરાજ પટેલ અને કાજલબેન સંજયભાઇ કણસાગરાના પિતાશ્રી તેમજ સ્વ. મગનભાઇ પ્રાગજીભાઇ પટેલના મોટાભાઇનું તા. ૬ ના ગુરૂવારે અવસાન થયેલ છે. વર્તમાન કોરોના સંક્રમણની સ્થિતી ધ્યાને લઇ લૌૈકીક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૮ ના શનિવારે સાંજે ૩ થી પ રાખેલ છે. આ માટે ડો. નયનભાઇ પટેલ (મો.૯૬૨૪૯ ૯૯૯૦૦), ડો. લકકીરાજ પટેલ (મો.૯૨૨૮૧ ૧૨૨૨૨), જયદીપભાઇ પટેલ (મો.૯૭૨૨૫ ૨૨૨૨૨), હારમીશ પટેલ (મો.૭૨૧૧૧ ૧૧૬૧૭) નો સંપર્ક થઇ શકશે. અહીં ઉલ્લેખનીય છે કે ડો. ભગવાનજીભાઇ પટેલ મવડી વિસ્તારમાં ખુબ પ્રતિષ્ઠીત વ્યકિત હતા. શહેર ભાજપ કિશાન મોરચાના પ્રમુખ તરીકે તેમજ શહેર ભાજપ ડોકટર સેલના પ્રમુખ તરીકે સેવા આપી ચુકયા છે. અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા હતા.

અવસાન નોંધ

જયંતિલાલ જોબનપુત્રા

રાજકોટઃ અ.નિ. જયંતિલાલ છગનલાલ જોબનપુત્રા (ઉ.વ.૮૨) તે સ્વ. ગૌરીબેન જયંતિલાલ જોબનપુત્રાના પતિ, ભરતભાઇ, સંજયભાઇ તથા અ.નિ. મુકેશભાઇના પિતાશ્રી તે પ્રતિક્ષાબેન, દિપ્તીબેન તથા મોનાબેનના સસરાનું દુઃખદ અવસાન તા.૫ને બુધવારના રોજ થયેલ છે. ટેલીફોનીક પ્રાર્થનાસભા તા.૯ રવિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ભીખુભાઇ પિત્રોડા

રાજકોટઃ ભીખુભાઇ મગનભાઇ પિત્રોડા (ઉ.વ.૮૧) નું ગુરૂવાર તા.૬ના રોજ હરિચરણ થયેલ છે. હાલના સંજોગોને ધ્યાને લઇ સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા.૧૦ સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. કેશવભાઇ મો.૯૮૭૯૦ ૩૨૪૪૨, વિલાસભાઇ મો.૮૦૦૦૧૦૮૯૫૭, ભરતભાઇ મો.૮૦૦૦૬૩૯૨૫૩

પ્રભાબેન પરમાર

રાજકોટઃ ધ્રોલ નિવાસી પ્રભાબેન હરીલાલ પરમારનું તા.૬ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું આજે   મો.૯૮૭૯૬ ૧૬૭૮૨, ૮૧૫૫૦ ૧૩૧૬૪ ઉપર રાખેલ છે.

મૃદુલાબેન ગોડા

રાજકોટઃ ગોંડલ નિવાસી હાલ રાજકોટ મુદુલાબેન દિનેશભાઇ ગોડા તે શ્રી હેતલભાઇ, જુલીબેન ખખ્ખર તથા મોના કામાણીના માતુશ્રી તથા સ્વ. હેમતલાલ અંબાવીદાસ બાવીસીની પુત્રીનું તા.૬ને ગુરૂવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનુું ટેલીફોનીક બેસણું મો.૭૯૯૦૧૦૯૪૯૯ પર રાખેલ છે.

દિપકભાઇ ત્રિવેદી

પડધરી : પડધરી નિવાસી સ્વ. દીપકભાઇ શાંતિલાલ ત્રિવેદી તે પ્રદિપભાઇ, સ્વ. અશોકભાઇ, સ્વ. રેખાબેન, તથા ગીતાબેનના નાનાભાઇ, અને બકુલભાઇ જેઠાલાલ ત્રિવેદીના જમાઇ તેમજ મધુબેન ત્રિવેદીના પતિનું અવસાન થયેલ છે. પ્રવર્તમાન પરિસ્થિતિને લીધે ટેલીફોનિક બેસણુ રાખેલ છે. બન્ને પક્ષનું બેસણુ પડધરી નિવાસસ્થાને તા. ૭ સાંજના ૪ થી પ રાખેલ છે. મો. નં.  પ્રદીપભાઇ મો. ૯૪ર૭પ ૬૩૩ર૧, મો. હિમાંશુભાઇ ૭૩૮૩૭ ર૩૪પ૧, મો. બકુલભાઇ (સાળા) મો. ૯૩ર૮૮ ર૯૪૮ર

મધુબેન આડેસરા

રાજકોટ : સ્વ. કનૈયાલાલ રણછોડદાસ આડેસરાના પત્ની મધુબેન (ઉ.૭૬) તે અજયભાઇ અને ભુપેન્દ્રભાઇના માતુશ્રી તેમજ ધવલ, શિવાંગ અને વ્રજના દાદી તે સ્વ. દયાળજીભાઇ ચુનીલાલ પારેખના દીકરી તેમજ સ્વ. લાલજીભાઇ, સ્વ. રસીકભાઇ તેમજ જયંતીભાઇ અને ભોગીભાઇના બહેન તા. ૬ ને ગુરૂવારે શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણુ તા. ૭ ને શુક્રવારે  સાંજે ૪ થી પ રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

અમુભાઇ ચૌહાણ

રાજકોટઃ સોરઠીયા રાજપૂત રાજકોટ નિવાસી અમુભાઇ ગોવિંદભાઇ ચૌહાણ (ઉ.વ.૭૭) તે સ્વ.બટુકભાઇ તથા સ્વ.ચંદુભાઇના મોટાભાઇ તથા વિજયભાઇના પિતાશ્રી તથા નરેન્દ્રભાઇ (આસ્થા એજયુકેશન) મનિષભાઇ (ગ્રાહક સુરક્ષા કોર્ટ) તથા રાજેશભાઇના મોટાબાપુ તથા મેહુલ, જયદિપના દાદાશ્રીનું તા.પના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૭ને શુક્રવારે સાંજે ૪ થી ૬, લક્ષ્મીવાડી કવાટર્સ ખાતે રાખેલ છે.

કનકરાય પંડ્યા

રાજકોટઃ ચોરડી નિવાસી હાલ રાજકોટ વાલમ બ્રાહ્મણ કનકરાય કેશવલાલ પંડયા નિવૃત સર્કલ ઈન્સપેકટર (ઉ.વ.૮૨) તે રંજનબેન કનકરાય પંડ્યાના પતિ તથા જયેન્દ્ર કેશવલાલ પંડ્યાના મોટાભાઈ તથા ગીરીષભાઈ, કિરીટભાઈ, નિલેશભાઈ તથા મહેશભાઈ તિલકભાઈ, મધુકર તથા  અજયભાઈના પિતાશ્રી તથા જયના દાદાનું તા.૭ને શુક્રવારના રોજ રાજકોટ મુકામે અવસાન થયેલ છે. પ્રવર્તમાન સંજોગોને આધીન સદ્દગતનું બેસણું ટેલીફોન દ્વારા  રાખેલ છે. ગીરીષભાઈ (પુત્ર) પંડયા મો.૮૩૪૭૨ ૭૫૭૮૨, મહેશભાઈ (પુત્ર) પંડયો મો.૯૧૦૪૩ ૯૧૯૪૮, જયભાઈ (મો.૮૩૪૭૩ ૮૦૦૭૯)

પ્રવીણાબેન ખેરડીયા

રાજકોટઃ મચ્છુ કઠીયા સુતાર મુળ જીલરીયાવાળા હાલ રાજકોટ પ્રવીણાબેન નરસીભાઇ ખેરડીયા (ઉ.વ.૬૫) તે સ્વ.દલસુખભાઈ, કાન્તીભાઈના નાનાભાઈ, નરસીભાઈના ધર્મપત્ની તથા હંસાબેન, રેખાબેન, મીનાબેન, દીપકભાઈ, રાકેશભાઈના માતુશ્રી તથા સ્વ.વજુભાઈ, સ્વ.હેમતભાઈના બહેન તેમજ સ્વ.વસરાજભાઈ લાધાભાઈ દીકરીનું તા.૬ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું શનિવારે તા.૮ના ૪ થી ૫ રાખેલ છે. રાકેશ મો.૯૮૭૯૮ ૮૮૨૨૪, દીપક મો.૮૧૬૦૦ ૬૧૦૮૯

રમેશચંદ્ર પંડયા

રાજકોટ : રમેશભાઇ એન. પંડયા (ઉ.૬૯) તે પરેશભાઇ અને હિતેષભાઇના પિતાશ્રીનું તા. ૬ ના અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ છે. ટેલિફોનીક બેસણુ તા. ૮ ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૬ર૪૭ ૩૬૦૩૩