Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020
રીટાયર્ડ સેલ્સટેકસ આસી. કમિશ્નર અને લોહાણા મહાજનના સભ્ય ગોરધનભાઈ રાચ્છનું દુઃખદ નિધનઃ ગુરૂવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ ગોરધનભાઈ રામજીભાઈ રાચ્છ (મૂળ જાજાસર હાલ રાજકોટ) (રીટાયર્ડ સેલ્સટેકસ આસી. કમીશ્નર અને લોહાણા મહાજનના સભ્ય) (ઉ.વ.૭૦) તે ગં.સ્વ.પુષ્પાબેનના પતિ, તથા ભાવેનભાઈ અને દ્રષ્ટિબેનના પિતા, તેમજ અમિતભાઈ સવજીયાણીના સસરા તથા કાન્તિભાઈ, સ્વ.રમણીકભાઈ, રમેશભાઈ,  પ્રવિણભાઈ, સ્વ.મધુબેન શાંતિલાલ દક્ષિણી અને ચંપાબેન મણિલાલ બુધ્ધદેવના ભાઈ તથા સ્વ.કલ્યાણજીભાઈ મેઘજીભાઈ બુધ્ધદેવ (ટંકારાવાળા)ના જમાઈ તેમજ કિશોરભાઈ અને ડો.પ્રવિણભાઈ બુધ્ધદેવના બનેવી તેમજ લલિતભાઈ પ્રભુદાસભાઈ સવજીયાણી (જામજોધપુર)ના વેવાઈ તથા નીલના નાનાનું દુઃખદ અવસાન થયેલ છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું તેમજ પિયરપક્ષની સાદડી તા.૧૨ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પુષ્પાબેન ગોરધનભાઈ રાચ્છ મો.૯૪૨૮૨ ૦૨૪૩૪, ભાવેનભાઈ ગોરધનભાઈ રાચ્છ મો.૯૯૨૪૩ ૦૩૦૫૫, દ્રષ્ટીબેન અમીતભાઈ સવજીયાણી મો.૯૭૧૪૯ ૫૪૫૪૪, અમીતભાઈ લલીતભાઈ સવજીયાણી મો.૯૭૧૪૯ ૬૮૬૮૬, કિશોરભાઈ બુધ્ધદેવ મો.૯૮૨૫૬ ૯૮૦૯૨, પ્રવિણભાઈ બુધ્ધદેવ મો.૯૮૨૪૪ ૫૯૫૧૯, નિલ અમીતભાઈ સવજીયાણી.

પૂર્વ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલના સાસુનું નિધનઃ ગુરૂવારે ટેલીફોનિક બેસણું

રાજકોટ : મુળ ઝાંપોદડ હાલ રાજકોટ નિવાસી જશુમતીબેન ચંદુલાલ મેંદપરા (ઉ.વ.૫૮) તે ચંદુલાલ લક્ષ્મીદાસ મેંદપરા (મો.૭૬૦૦૯ ૮૮૩૦૦)ના ધર્મપત્નિ, નારણભાઈ તથા ભુપેન્દ્રભાઈના ભાભી, હિરેનભાઈ (મો.૮૦૦૦૭ ૦૯૦૯૦)ના માતુશ્રી, લીઝાબેન (મો.૭૬૦૦૯ ૦૮૨૬૪) તથા પુષ્કરભાઈ હરીભાઈ પટેલ (સ્ટેન્ડીંગ કમીટીના પૂર્વ ચેરમેન)ના સાસુ તા.૧૦ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન સંજોગો અનુસાર સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા.૧૨ને ગુરૂવારે સવારે ૮:૩૦ થી ૧૦:૩૦ રાખેલ છે.

કોન્સ. ઓસમાણભાઇ સુમરાના પિતાજી વફાતઃ ગુરૂવારે બેસણું

રાજકોટઃ શહેર પોલીસમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ ઓસમાણભાઇ સુમરાના પિતાજી તથા મહેબૂબ ઓસમાણભાઇ સુમરા (પોસ્ટ ઓફિસ અમદાવાદ)ના દાદા અભરામભાઇ સુજાભાઇ સુમરા (ઉ.વ.૯૫) તા. ૫/૧૧ના વફાત થયા છે. તેમની જીયારત સહિતની વિધી વતન મોરબીના માણેકવાડા ખાતે રાખવામાં આવી હતી. મર્હુમ અભરામભાઇનું બેસણું તા.૧૨ના ગુરૂવારે સાંજે ૪ થી ૫, પોલીસ હેડકવાર્ટર બ્લુ ચાર માળીયા બ્લોક નં. બી-૨, આંગણવાડી સામે રાખેલ છે. (ઓસમાણભાઇ-૯૮૨૪૦ ૯૫૬૮૨)

અવસાન નોંધ

શાંતાબેન વોરા

રાજકોટઃ અમરાપુર નિવાસી હાલ મુંબઈ ગં.સ્વ. શાંતાબેન હરગોવિંદદાસ વોરા તે સ્વ. ચંદ્રકાન્તભાઈ, ધનવંતરાય તથા કિરણબેન તથા જ્યોતિબેનના માતુશ્રી, સ્વ. હર્ષાબેન તથા અ.સૌ. હેતલબેન સાસુ, તોહીન તથા કલ્પીતાના દાદી, અ.સૌ. મૈત્રી તથા અ.સૌ. મેઘાના દાદીજી સાસુ, આન્વી, પરમ તથા દિવિશના મોટીબા મુંબઈ મુકામે તા. ૮ના અરિહંતશરણ પામેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. ધનવંતરાય મો. ૯૪૨૭૭ ૨૯૭૩૧ તથા વિશાલ મો. ૯૧૬૭૨ ૮૪૮૫૧ છે.

પ્રભાબેન શીશાંગીયા

રાજકોટઃ વાણંદ મૂળ ગામ હરમડીયા હાલ રાજકોટ પ્રભાબેન રવજીભાઈ શીશાંગીયા (ઉ.વ. ૯૦) તે અમૃતભાઈ તથા કેશુભાઈ તથા ચંદુભાઈ તથા મનુભાઈ તથા હરિભાઈ તથા શાંતાબેન હિરાણી તથા હંસાબેન રાવરાણીના માતુશ્રીનું તા. ૮ના અવસાન થયેલ છે. તેમનુ તા. ૧૨ને ગુરૂવારે ટેલીફોનિક બેસણુ સાંજે ૪ થી ૬ રાખેલ છે. અમૃતભાઈ મો. ૯૭૨૩૦ ૩૩૫૮૩ તથા કેશુભાઈ મો. ૯૯૨૪૬ ૯૫૦૬૨ અને ચંદુભાઈ ૯૯૨૫૬ ૫૧૭૦૭ તેમજ મનુભાઈ મો. ૭૦૧૬૧ ૭૯૪૮૮ તથા હરિભાઈ મો. ૯૭૨૩૩ ૯૦૫૫૦ છે.

ભીખાભાઇ પેથાણી

મોટી કુકાવાવઃ ભીખાભાઇ અરજણભાઇ પેથાણી (ઉ.વ.૭૮) તે ભરતભાઇ તથા ફુલાભાઇ (ટ્રેકટર ગેરેજવાળા) ના પિતાશ્રીનું તા.૯ના રોજ અવસાન થયેલ છે.(૨૩.૩)

દિવાળીબેન સાવલીયા

મોટી કુકાવાવઃ દિવાળીબેન ગોબરભાઇ સાવલીયા (ઉ.વ.૮૬) તે ભીખાભાઇના માતૃશ્રી તેમજ રાજેશભાઇ તથા ભાવેશભાઇના દાદીમાનુ તા.૯ના રોજ અવસાન થયેલ છે.

શાંતાબેન રૈયાણી

ગોંડલઃ શાંતાબેન મોહનભાઇ રૈયાણી (ઉ.વ.૯૧) તે ડો.ધીરજલાલ, કેશુભાઇ, સ્વ.હસમુખભાઇ, મનસુખભાઇ, પ્રવીણભાઇના માતૃશ્રીનું તા.૯ને સોમવારના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું તા.૧૨ને ગુરૂવારને સાંજે ૪ થી ૬ (મો.૯૮૭૯૬ ૪૭૩૯૬) રાખેલ છે.

મુળજીભાઇ ચૌહાણ

ગોંડલઃ મુળજીભાઇ વીરાભાઇ ચૌહાણ ઉ.વ.૮૦ તે ચનાભાઇ તથા રમેશભાઇના ભાઇ, રાજેન્દ્રભાઇ, અશોકભાઇ, હરેશભાઇ, ઘનશ્યામભાઇ (એડવોકેટ)ના પિતાશ્રી રમણીકભાઇના કાકા દિપકભાઇના મોટા બાપુનું તા.૮ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૨ને ગુરૂવારે સવારે ૧૦ થી ૧૨ શ્રી રાધેશ્યામવાડી યોગીનગર, દિપક મંડપની પાસે, ગોંડલ રાખેલ છે

રમેશચંદ્ર બાવીશી

રાજકોટઃ સ્વ.જટાલાલ ગુલાબચંદ બાવીશી (મહેતા બાવીશી એન્ડ કાું)ના પુત્ર રમેશચંદ્ર જે. બાવીશી (સી.એ.) (ઉ.વ.૭૭) (આર.જે.બાવીશી એન્ડ કાું) તે મેહુલ, કોમલ, નિશા અતુલભાઈ પારેખ (મસ્કત) તથા નિપા સમીરભાઈ માલવીયા (યુ.એસ.એ.)ના પિતાશ્રી, કવન અને આગમના દાદા તેમજ હસમુખભાઈ તથા દિપકભાઈ (વર્ધમાન મેડિકલ સ્ટોર)ના મોટાભાઈ અને સ્વ.બહાદુરભાઈ ન્યાલચંદ કોઠારી (સાધના બુક સ્ટોર્સ) જુનાગઢ વાળાના જમાઈ તા.૮ને રવિવારના રોજ અરીહંતશરણ પામેલ છે. વર્તમાન પરીસ્થિતીને અનુલક્ષીને સદ્દગતનું ઉઠમણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કિશોરભાઈ ભટ્ટ

રાજકોટઃ રાજકોટ શ્રી ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના કિશોરભાઈ બાબુભાઈ ભટ્ટ (ઉ.વ.૬૬) (રિલાયન્સ વેલ્િંડગ વાળા) તે સ્વ.સુરેન્દ્રભાઈ, સ્વ.દિલીપભાઈ, સ્વ.અરવિંદભાઈ, રણજીતભાઈ, અશોકભાઈ, ગીરીશભાઈના ભાઈ તથા આનંદભાઈ ભટ્ટ, વૈશાલીબેન, કોમલબેનના પિતા તથા સ્વ.કરૂણાશંકર પરસોત્તમભાઈના ત્રિવેદી (આણંદપુર)ના જમાઈનું તા.૯ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તેમજ સસરા પક્ષનું બેસણું તા.૧૨ ગુરૂવારે, સાંજે ૪ થી ૫ તેમના નિવાસ સ્થાન સી-૯૦૩, વર્તમાન ગ્રીન્સ, વર્ધમાન નગર, એસ.આર.પી.કેમ્પ ઘંટેશ્વરની સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

ધર્મેન્દ્રભાઈ કોરડીયા

રાજકોટઃ ગોંડલ સોરઠ વીસાશ્રી માળી જૈન સુલતાનપુર નિવાસી હાલ ગોંડલ સ્વ.છોટાલાલ વનમાળીદાસ કોરડીયાના પુત્ર ધર્મેન્દ્રભાઈ (ભયલાભાઈ) (ઉ.વ.૫૨) (શાલીભદ્રવાળા) તે પંકજભાઈ, મનીષભાઈ, પ્રિતીબેન, રશ્મીબેન, મમતાબેનના ભાઈ તથા નીશીત તથા ઝરણાંના પિતાશ્રી તથા સ્વ.ઈન્દુલાલ પિતાંબર દોશીના જમાઈનું અવસાન તા.૯ના રોજ થયેલ છે. સદ્દગતની સ્મશાન યાત્રા તા.૧૦ના સવારે ૯ કલાકે તેમના ગોંડલ નિવાસસ્થાનેથી નિકળી હતી તથા તેમનું ઉઠમણું (ટેલીફોનીક) આજે સાંજે મંગળવારે ૪ કલાકે રાખેલ છે. મહેતા જૈન ભવન દેરા શેરી, નાની બજાર, ગોંડલ ખાતે રાખેલ છે. મનીષભાઈ મો.૯૩૭૪૮ ૦૨૨૪૬, પંકજભાઈ મો.૯૬૦૧૧ ૦૭૭૯૩

જયાબેન રૂગનાથભાઇ

કેશોદ : જયાબેન રૂગનાથભાઇ કારીયા તે રૂગનાથભાઇ નરસીદાસ કારીયાના ધર્મપત્ની તેમજ વિજયભાઇ, ગોપાલભાઇ, પંકજભાઇ, મીનાબેન વૃજલાલ રૂઘાણી (પોરબંદર) તથા ભાવનાબેન બીપીનભાઇ શીંગાળા (જુનાગઢ)ના માતુશ્રી તેમજ હર્ષિત, કિશન, મીત, માનસી, મેઘાના દાદી તા. ૯ ના રોજ અવસાન થયેલ છે.

જાગૃતીબેન ઠાકર

રાજકોટઃ બ્રહ્મસમાજના તે અ.સૌ જાગૃતિબેન (ઉ.વ.૫૩) તે મહેશભાઇ ઠાકરના ધર્મપત્નિ તેમજ ભરતભાઇ, જીતુભાઇ, હસમુખભાઇના ભાભી તથા ગૌતમભાઇ, પુનમબેન, એન. જોષી, (રાજકોટ), ચાંદનીબેન વાય.ઠાકર (કાલાવડ)ના માતૃશ્રી તથા મયુરભાઇ, દેવલભાઇ, માનવભાઇના ભાભુનું તા.૧૦ના અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૨ને ગુરૂવારે સવારે ૯ થી ૫ સુધી મો.નં. મહેશભાઇ ૯૬૮૭૧ ૧૧૫૦૫ અને ભરતભાઇ ૯૯૭૯૪ ૮૭૭૨૫ રાખેલ છ.

ભરતભાઇ ચંદારાણા

રાજકોટઃ નિવાસી સુરેશભાઇ પ્રાણજીવનભાઇ ચંદારાણાના પુત્ર, માનસી તથા પ્રાર્થના પિતા સંજયભાઇના મોટાભાઇ જયશ્રીબેન મહેશભાઇ રાયચાના મોટાભાઇ તથા જયંતિભાઇ તુલસીદાસ ગંધાના જમાઇ, ભરતભાઇ (ઉ.વ.૪૮) નું દુઃખદ અવસાન તા.૯ સોમવારે થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તથા સ્વસુરપક્ષની સાદડી તા.૧૨ના ગુરૂવારે  સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે. સ્વસુરપક્ષ  નરેશભાઇ : ૮૨૦૦૮૮૬૯૪૮, લલીતભાઇ ૯૮૯૮૩૭૦૭૩૧, ચંદારાણા પરીવારઃ સંજયભાઇ ૯૫૭૪૫ ૬૯૦૭૦, મહેશભાઇ ૯૪૨૬૪ ૬૭૫૨૬, શૈલેષભાઇ ૯૭૩૧૩ ૩૦૩૦૫, મહેશકુમાર ૯૪૨૯૫ ૩૯૨૪૧

પ્રવિણભાઈ મોદી

રાજકોટઃ સ્વ.ભોગીલાલ જગજીવન મોદીના પુત્ર પ્રવિણભાઈ ભોગીલાલ મોદી (ઉ.વ.૮૬) તે સ્વ.ચીમનભાઈ જગજીવન ઉદાણી (જામનગર)ના જમાઈ, સ્વ.ઈશ્વરભાઈ તથા મહેશભાઈ મોદીના ભાઈ તેમજ પરાગ મોદી (પુના) તેજસ મોદી (તેજસ એન્ટરપ્રાઈઝ)ના કાકાનું  અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું ગુરૂવાર સવારે ૧૦ થી ૧૧ મો.૯૮૨૪૦ ૪૧૯૯૧/ ૯૮૭૯૫ ૪૧૯૯૧