Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022
નિવૃત પ્રવાસન અધિકારી રૂસ્તમજી મરોલીયાનું અવસાન : ગુરૂવારે સાંજે બેસણુ

સૌરાષ્ટ્રનાં સુપ્રસિધ્ધ સંગીતકાર બાબાભાઇ મરોલીયાના લઘુબંધુ હતા

રાજકોટ : શ્રી રૂસ્તમજી હોરમસજી મરોલીયાનું (નિવૃત પ્રવાસન અધિકારી) તે સૌરાષ્ટ્રના પ્રસિધ્ધ સંગીતકાર બાબાભાઇ મરોલીયા (નિવૃત વેસ્ટર્ન રેલ્વે)ના લઘુબંધુ અને શ્રીમતી શોભનાબેનના પતિ તેમજ પ્રશાંત પંડ્યા અમદાવાદ, રાજેશ મકવાણા, મહેશ મકવાણા, રાજકોટ ગિરીશ મકવાણા અને હર્ષદ મકવાણા જેતલસરના મામાનું તા. ૧૩ને સોમવારે અવસાન થયેલ છે.

સ્વર્ગસ્થનું બેસણુ તા. ૧૬ને ગુરૂવારના રોજ કાશી વિશ્વનાથ મંદિર સ્ટેશન પ્લોટ ખાતે સાંજે ૪ઃ૩૦ થી ૫ઃ૩૦ દરમિયાન રાખવામા આવ્યુ છે.

ખીમજીભાઇ મહીડાનું દુઃખદ નિધનઃ દેહદાન

રાજકોટઃ લક્ષ્મી સોસાયટી, નાના મવા રોડ પર રહેતા સ્‍વ. શ્રી ખીમજીભાઇ માવજીભાઇ મહીડા(ઉ.વર્ષ ૮૩)નુ ગત તા.૨૯.૦૫.૨૨ના રોજ નિધન થતા મહીડા પરિવારે દિવંગતની અંતિમ ઇચ્‍છા મુજબ તેના મૃતદેહનું મેડીકલ કોલેજ રાજકોટને સ્‍વૈચ્‍છિક રીતે દેહદાન કરેલ છે. જે સમાજ માટે પ્રેરણારૂપ છે.

નિવૃત પ્રવાસન અધિકારી રૂસ્‍તમજી મરોલીયાનું અવસાન : ગુરૂવારે સાંજે બેસણુ:સૌરાષ્‍ટ્રનાં સુપ્રસિધ્‍ધ સંગીતકાર બાબાભાઇ મરોલીયાના લઘુબંધુ હતા

રાજકોટ : શ્રી રૂસ્‍તમજી હોરમસજી મરોલીયાનું (નિવૃત પ્રવાસન અધિકારી) તે સૌરાષ્‍ટ્રના પ્રસિધ્‍ધ સંગીતકાર બાબાભાઇ મરોલીયા (નિવૃત વેસ્‍ટર્ન રેલ્‍વે)ના લઘુબંધુ અને શ્રીમતી શોભનાબેનના પતિ તેમજ પ્રશાંત પંડ્‍યા અમદાવાદ, રાજેશ મકવાણા, મહેશ મકવાણા, રાજકોટ ગિરીશ મકવાણા અને હર્ષદ મકવાણા જેતલસરના મામાનું તા. ૧૩ને સોમવારે અવસાન થયેલ છે.સ્‍વર્ગસ્‍થનું બેસણુ તા. ૧૬ને ગુરૂવારના રોજ કાશી વિશ્વનાથ મંદિર સ્‍ટેશન પ્‍લોટ ખાતે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ દરમિયાન રાખવામા આવ્‍યુ છે.

અવસાન નોંધ

મુકેશભાઇ શેઠ

રાજકોટ : સ્વ.શાંતીલાલ હીરાચંદભાઇ શેઠના પુત્ર મુકેશભાઇ શાંતીલાલ શેઠ તે ચંદુભાઇ શેઠ તથા રાજુભાઇ શેઠના  મોટાભાઇ તથા મહેશભાઇ તથા દિવ્યા પારસભાઇ સોમાણીના પીતાશ્રી તા.૧૩ના અરીહંત ચરણ પામેલ છે. ઉઠમણું તથા પ્રાર્થના સભા તા.૧૬ ના ૪-૩૦ ગુરૂવારે સવારના ૧૦ કલાકે આનંદનગર જૈન દેરાસરના ઉપાશ્રયે રાખવામાં આવેલ છે.

દયાબેન બદિયાણી

જામખંભાળિયા : સ્‍વ. લાલજીભાઇ રામજીભાઇ બદીયાણી (સલાયા વારા)ના પુત્રી દયાબેન (ઉ.વ.૮૮) તે અમૃતલાલ રતનશીભાઇ રાચ્‍છના ધર્મપત્‍ની તેમજ નિવૃત તલાટી નરેન્‍દ્રભાઇ તથા અશોકભાઇ રાચ્‍છના માતુશ્રી અને કૃણાલના દાદીમા તા.૧૩ના રોજ અવસાન પામ્‍યા છે. સદગતની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી બુધવાર તા.૧પમીના રોજ પ થી પ.૩૦  જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખેલ છે.

સવિતાબેન જોશી

રાજકોટઃ મહારાજશ્રી ઔદિચ્‍ય ઘેલારામજી બ્રાહમણ જ્ઞાતીના છોડવડી નિવાસી હાલ રાજકોટના સ્‍વ.ભાઈ શંકરભાઈ જગજીવન જોશીના ધર્મપત્‍નિ ગં.સ્‍વ.સવિતાબેન (ઉ.વ.૯૨) તે તરૂણભાઈ, હિતેષભાઈ, ગૌરાગભાઈ જોશી (એસબીઆઈ), પ્રફુલ્લાબેન પંડયા તથા સુશીલાબેન રાજયગુરૂના માતુશ્રી તે રવિ, રાજ તથા જયના દાદીમાનું તા.૧૪ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ ભકિત આશ્રમ, એ.જી.ચોક, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.