Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021
પડધરીના પરિમલ સોહેલીયાનું અવસાનઃ ટેલીફોનિક બેસણું

પડધરી તા. ૧પઃ ગો.વા. ડો. મનસુખલાલ એન. સોહેલીયાના પૌત્ર તે વિજયભાઇના પુત્ર પરિમલભાઇ (ઉ.વ.ર૧) તે દેવેન્દ્રભાઇ તથા હિતેશભાઇના ભત્રીજા તથા ડો. હિમાંશુ, પ્રતીક, રાહુલ, દીપેન તથા માનસીના ભાઇનું તા. ૧૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલિફોનિક બેસણું તા. ૧૭ ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે.

રાજકોટ મ.ન.પા.ના વોર્ડ ઓફીસર હેમાદ્રીબા ઝાલાના પિતાશ્રી અજીતસિંહનું અવસાન

રાજકોટ : મુળ રોજાસર નિવાસી, તા. લીંબડી, હાલ રાજકોટ સ્વ. રમુભા ખુમાનસિંહ ઝાલાના મોટા પુત્ર અજીતસિંહ રમુભા ઝાલા (ઉ.વ.પ૬) તે  મનોહરસિંહ રમુભા ઝાલા (બાબાલાલ)ના ભાઇ તેમજ હેમાદ્રીબા અજીતસિંહ ઝાલા (વોર્ડ ઓફીસર, આર. એમ. સી.), નિતાબા નરેન્દ્રસિંહ જાડેજાના પિતાશ્રીનું તા. ૧૪ ને સોમવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખી સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૭ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મનોહરસિંહ ૯૮રપ૪ ૧રપ૬૮, હેમાદ્રીબા ૬૩પપપ ૦૬૩૦પ, નીતાબા ૮૭૮૦૯ ૭૧૦પ૧.

ચલાલા પાલિકાના ઉપપ્રમુખ જયરાજભાઇ વાળાના કાકા દડુભાઇનું અવસાન

ચલાલા તા. ૧પઃ નગરપાલીકાના ઉપ પ્રમુખ શ્રી જયરાજભાઇ વાળાના કાકા દરબારશ્રી દડુભાઇ વાળાનું નિધન થયું છે.

અંદાજે બસો વર્ષ પહેલા અંશા અવતાર પુજય દાનબાપુને ચલાલાની ભુમી પર સેવાની જયોત જલાવવા માટે નિમંત્રણ આપી પધરામણી કરાવેલ એવા દરબાર સ્વ. ભોકવાલાબાપુના સીધા વંશજનો એવા જાજરમાન વાળા પરીવારના યુવરાજ અને નગરપાલીકાના ઉપ પ્રમુખ શ્રી જયરાજભાઇ વાળાના કાકા દરબાર દડુભાઇ અમરૂબાપુ વાળા (ઉ.વ. ૬૦) નું ટુંકી બીમારી બાદ તા. ૧રના અવસાન થતા ચલાલા પંથકના સમસ્ત સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરેલ છે.

ક્ષત્રીય અગ્રણી કિરીટસિંહ જાડેજાના માતુશ્રી કમળાબાનું દુઃખદ અવસાન : ગુરૂવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું

રાજકોટઃ મુળગામ આંબલીયાળા હાલ રાજકોટ કમળાબા અનોપસિંહ જાડેજા (ઉ.વ.૮૨) તે અનોપસિંહ દાનુભા જાડેજાના ધર્મપત્નિ તથા પ્રવિણસિંહ દાનુભા જાડેજા તથા દાદભા દાનુભા જાડેજાના ભાભી, કિરીટસિંહ જાડેજાના માતુશ્રી તથા કનકસિંહ, કિશોરસિંહ, નિર્મલસિંહ, સ્વ.પ્રદ્યુમનસિંહ, પ્રતાપસિંહ જાડેજાના ભાભુ તથા વિશ્વજીતસિંહ, શિવરાજસિંહના દાદીમાંનું તા.૧૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. કિરીટસિંહ જાડેજા મો.૯૬૦૧૬ ૧૦૪૧૪, વિશ્વજીતસિંહ મો.૯૪૦૮૫ ૯૨૬૨૬ રાખેલ છે.

અવસાન નોંધ

રાજેશભાઇ જોશી

જુનાગઢ : રાજેશભાઇ પ્રભુદાસભાઇ જોશી જે પ્રભુદાસભાઇ જોશીના પુત્ર અને રમેશભાઇ જોશીના ભાઇ અને મીનાબેન જોશીના પતિ તથા હેતના પપ્પા રામચરણ પામેલ છે. ધાર્મિક વિધિ ઘર પુરતી મર્યાદિત રાખેલ છે. તથા હાલની સ્થિતિ મુજબ ટેલીફોનીક બેસણું તા. ૧૭ ને ગુરૂવારના રોજ ૪ થી ૬ રાખેલ છે. રમેશભાઇ જોષી, ૯૭રપ૩ ૮૩પ૯૬, હર્ષ જોશી ૯પ૧૦૩ ૦૧૧૬૩, હેત જોશી ૯પપ૮ર ર૪૮ર૮

અશ્વિનભાઈ જાની

જસદણઃ જસદણ નિવાસી અને હાલ રાજકોટ ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ અશ્વિનભાઈ ચંદ્રશંકરભાઈ જાની (ઉ.વ.૫૫) તે કિશોરભાઈ (નિવૃત તલાટી મંત્રી)ના નાનાભાઈ, પ્રફુલભાઈ (દિવ્ય ભાસ્કર એજન્ટ-જસદણ)ના મોટા ભાઈ તથા મોહીત વેદાંતભાઈના પિતાજી બગથળા નિવાસી હર્ષદભાઈ ભટ્ટના જમાઈનું તા. ૧૪ને સોમવારના રોજ રાજકોટ નિધન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણુ તા. ૧૭ને ગુરૂવારે સવારે ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી રાખેલ છે. કિશોરભાઈ જાની મો. ૯૭૧૨૯ ૨૪૦૫૬, હિતેશભાઈ ભટ્ટ મો. ૯૪૨૭૪ ૨૮૭૬૪   

પ્રફુલાબેન કાછેલા

ઉપલેટાઃ મોની પાનેલી, નિવાસી સ્વ.ગોપાલદાસ ગિરધરભાઇ કાછેલાના ધર્મપત્નિ પ્રફુલાબેન (ઉ.વ૬૧) તેઓ સપનભાઇ તથા સ્વ.દર્પણભાઇ માતૃશ્રીનું અવસાન થયેલ છે કોરોના મહામારીને કારણે ટેલિફોનિક બેસણું તા.૧૭ને ગુરૂવારના સવારના-૯ થી સાંજના-૬ સુધી રાખેલ છે. સપનભાઇ મો.૮૨૬૪૦૫૬૩૫૬, કિરીટભાઇ મો.૯૪૨૬૩૧૭૩૪૦

જયાબેન અગ્રાવત

મોરબીઃ જયાબેન અગ્રાવત તે તુલસીદાસ માધવદાસ અગ્રાવતના પત્નિ તેમજ સ્વ.ભરતભાઇ, હરેશભાઇ, સ્વ.હસમુખભાઇ, મહેશભાઇ અને ભુપેન્દ્રભાઇ, અશ્વિનભાઇ, કિરીટભાઇ, ભાનુબેન, જોશનાબેન, ચંપાબેનના માતા તા.૧૨ના રોજ રામચરણ પામેલ છે ઉઠમણું તા.૧૮ને શુક્રવારે સાંજે ૪ થી ૬ નિવાસસ્થાન ગંગાદર્શન એપાર્ટમેન્ટ પાછળ રવાપર મોરબી ખાતે રાખેલ છે.

કાંતાબેન ઠાકર

મોરબીઃ કાંતાબેન કાન્તિલાલ ઠાકર તે મહેશભાઇ ઠાકરના માતા તેમજ રવિભાઇ ઠાકરના દાદીમાંનું તા.૧૪ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૮ને શુક્રવારે સાંજે ૫ થી ૭ રાખેલ છે.

હિરાબેન સાદાણી

જેતપુર : જેતપુર નિવાસી સ્વ. મગનલાલ જગજીવનદાસ સાદાણીના પત્નિ ગં.સ્વ. હિરાબેન (ઉ.વ.૮૮) તે વિનોદભાઇ અશ્વીનભાઇ તથા દિલીપભાઇના માતુશ્રીનું તા. ૧૧ ના પેટલાદમાં અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ આજે સાંજે ૪ થી ૬ રાખેલ છે.