Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021
ચલાલા લોહાણા મહાજનના અગ્રણી વનમાળીભાઇ વિઠ્ઠલાણીનું અવસાન

ચલાલા : લોહાણા મહાજનના અગ્રણી તેમજ આર.કે.એમ.એમ. હાઇસ્કુલના નિવૃત સીનીયર હેડ કલાર્ક શ્રીવનમાળીભાઇ માધવજીભાઇ વિઠ્ઠલાણી (વી.એમ.વિઠ્ઠલાણી) (ઉ.૮૦) તેઓ સ્વ. દુલ્લભજીભાઇ જીવરાજભાઇ ઉનડકટ સાવરકુંડલાવાળાના જમાઇ, હરેશભાઇ વિઠ્ઠલાણી(કલાર્ક-ધારગણી હાઇસ્કુલ) કમલેશભાઇ વિઠ્ઠલાણી (જલારામ સ્ટેશનરી) સ્વ. રાજેશભાઇ વિઠ્ઠલાણી (હેડ કલાર્ક એમ.કે.સી.કન્યા વિદ્યાલય ચલાલા) તેમજ રંજનબેન જગદીશભાઇ રૂપારેલીયાના પિતાશ્રી તેમજ સુમિત, વિવેકનાદાદા અને દિનકરરાય માધવજીભાઇ વિઠ્ઠલાણી,(ગોરખમઢી) ના ભાઇ અને જગદીશભાઇ હિંમતભાઇ રૂપારેલીયા (દિવવાળા) ના સસરાનું તા.૧પ મીએ અવસાન થયેલ છે ઉઠમણું તા.૧૮ ગુરૂવારે સાંજના પ કલાકે લોહાણા મહાજનવાડી ચલાલા રાખવામાં આવેલ છે.

સદ્દગતની અંતિમયાત્રામાં ધારાસભ્ય જે.વી.કાકડીયા ચલાલા ન.પ.ના પૂર્વ ઉપપ્રમુખ ડી.ભાઇ ડોબરીયા, લોહાણા મહાજનના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઇ સાદ્રાણી, મંત્રીશ્રી પ્રકાશભાઇ કારીયા, દિપકભાઇ મકદાણી, કિરીટભાઇ નગદીયા, નરેન્દ્રબાપુ ગોસાઇ, ઘનશ્યામભાઇ રબારી, રસીકભાઇ કાકડીયા, પોપટભાઇ પાનસુરીયા ચીમનભાઇ વિઠ્ઠલાણી, બાલાભાઇ જેઠવા, રાવતભાઇ ધાંધલ, પ્રદીપભાઇ પુરોહીત બાલાભાઇ ત્રિવેદી, જયમીન ચંદારાણા, નવનીતભાઇ નગદીયા, અંકિત ચંદારાણા, કમલભાઇ ઉનડકટ, ધગલભાઇ સેજપાલ, સહીતના તમામ જ્ઞાતીના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સગા-સંબધીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

અવસાન નોંધ

કાનાભાઇ ધારેચા

પ્રભાસ પાટણ : કોળી સમાજના કાનાભાઇ જેસાભાઇ ધારેચાનું તા. ૧૨/૨ ના રોજ અવસાન થયેલ છે. સોમનાથ સોસાયટી વેણેશ્વર મુકામે તેમનાં નિવાસસ્થાને બેસણુ રાખવામાં આવેલ છે.

મંજુલાબેન બામણીયા

રાજકોટઃ કડસલા નિવાસી મંજુબેન બેચરભાઇ બામણીયા (ઉ.વ.૪૭) તે બેચરભાઈ લખમણભાઈ બામણીયાના ધર્મપત્નિ તે મુકતાબેન (પોલીસ), નિર્મળાબેન (પોલીસ), મનસુખભાઈ તેમજ જયાબેન હિતેષભાઈ વાળાના માતુશ્રીનું તા.૧૪ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૧૮ના રોજ સદ્દગતના નિવાસસ્થાને કડસલા તા.સુત્રાપાડા ખાતે રાખેલ છે.

નિશાબેન હિરાણી

રાજકોટઃ રાજકોટ નિવાસી વાળંદ લાલજીભાઈ ગાંડુભાઈ હિરાણી (બેડીપરાવાળા)ના પુત્ર, રોહિતભાઈના પત્ની નિશાબેન (ઉ.વ.૩૫) તે પ્રફુલ્લભાઈ, રાજુભાઈ, હર્ષદભાઈના નાના ભાઈના પત્ની તથા દીપકભાઈના ભાભી તે બટુકભાઈ જીવરાજભાઈ શિશાંગીયાના દીકરીનું તા.૧૫ને સોમવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૧૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમિયાન મોરબી રોડ જકાતનાકા પાસે, અર્જુન પાર્ક-૨, શિવા અર્જુન મંદિર ખાતે બન્ને પક્ષનું સાથે રાખેલ છે.

સુરભીબેન મહેતા

જસદણઃ બાલંભા નિવાસી હાલ વિલે પાર્લે મુંબઇ, સુરભીબેન બીપીનભાઇ મહેતા (ઉ.વ.૬૪) તે રેવાબેન પ્રભુલાલ મહેતાના પુત્રવધુ, પૂજાબેન જતીનભાઇ સોની, બોસ્કીબેન ગૌરવભાઇ ખંધાર, હાર્દિકભાઇના માતુશ્રી, અર્પિતાબેનના સાસુ, અન્યા અને ક્રિશાના નાની, તે પુષ્પાબેન દિનેશભાઇ બાવીસીના પુત્રનું તા.૧૨ના રોજ અવસાન થયું છે.

રસીલાબેન લાઠીગરા

ઉપલેટા : સ્વ.ગુલાબરાય રણછોડભાઇ લાઠીગરાના ધર્મપત્ની રસીલાબેન તે સ્વ.કેતનભાઇ, વિણાબેન પરેશભાઇ ધોળકીયાના માતૃશ્રી તથા હસમુખભાઇ અને કિશોરભાઇના બહેન તા.૧૩ના શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. ટેલીફોનીક બેસણું મો. ૯૯૯૮૭ ૮૨૫૩૪, ૮૧૬૦૨ ૫૩૯૯૧ ઉપર રાખેલ છે.

શાંતિલાલ રાઠોડ

રાજકોટઃ નિવાસી લુહાર જેઠાલાલ રામજીભાઈ રાઠોડના પુત્ર તથા પરેશભાઈ શાંતિલાલ રાઠોડના પિતાશ્રી શાંતિલાલ જેઠાલાલ રાઠોડ (ઉ.વ.૭૩) તા.૧૫ સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૮ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. પરેશભાઈ શાંતિલાલ રાઠોડ મો.૯૫૧૨૧ ૭૬૩૬૫

રાણીબેન દેવનાણી

રાજકોટઃ રાણીબેન કનૈયાલાલ દેવનાણી (ઉ.વ.૬૫)નું તા.૧૫ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઊઠમણું/ પઘડીયું તા.૧૭ને બુધવારે સાંજે ૫ વાગ્યે સિન્ધી સાહિત્ય ધર્મશાળા શાસ્ત્રીનગર મેઈન રોડ, જંકશન પ્લોટ પાસે રાખેલ છે. કમલેશભાઈ મો.૯૪૨૬૩ ૧૭૫૧૨, કુમારભાઈ મો.૯૪૨૯૨ ૪૪૭૨૮, સુનિલભાઈ મો.૯૦૩૩૫ ૯૩૪૮૦

કિશોરચંદ્ર ઠાકર

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ કિશોરચંદ્ર ઠાકર (ઉ.વ.૭૧) તે સ્વ.દલસુખરાય રેવાશંકર ઠાકરના પુત્ર તથા નવીનભાઈ (વિરમગામ), સ્વ.હસમુખભાઈ (રાજકોટ)ના મોટાભાઈ તથા ધિરેનભાઈ, નિશાબેન મનીષકુમાર જાની (જામનગર), મયુરીબેન અમીતકુમાર દવે (રાજકોટ)ના પિતાશ્રી તથા પરાગના ભાઈજી અને સહજના દાદાશ્રીનું તા.૧૬ને મંગળવારે કૈલાશવાસ થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૮ના ગુરૂવારે બપોરના ૪ થી ૬ ''સહકારેશ્વર મહાદેવ મંદિર'' સહકાર મેઈન રોડ શેરી નંબર-૭ રાજકોટ ખાતે રાખેલ છે.

સુદેશભાઇ ગોંડલિયા

રાજકોટઃ હાલ રાજકોટ નીવાસી વાણંદ સ્વ. કિશોરભાઇ સુંદરજીભાઇ ગોંડલીયા તથા ગં.સ્વ. ભાવનાબેનના મોટાપુત્ર તથા અમીતભાઇના મોટાભાઇ તેમજ ઉમેશભાઇ વ્રજલાલભાઇ ભાયાણીના (મોટાભાદરા) ના જમાઇ અને સ્વ. શામજીભાઇ અને સ્વ. શામજીભાઇ ટપુભાઇ શીશાંગીયા (રીબડા) તથા સ્વ. બાબુભાઇ હરજીભાઇ ઝાલા (જામનગર) ના ભાણેજ સુદેશ કિશોરભાઇ ગોંડલીયા (ઉ.૩૯) નું અવસાન તા.૧પ ને સોમવારના અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા. ૧૯ ને શુક્રવારે નટેશ્વર મહાદેવ મંદિર ૮૦ ફુટ રોડ, શેઠ હાઇસ્કુલની બાજુમાં સાંજે ૪ થી ૬ કલાકે રાખવામાં આવેલ છે.