Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021
વીંછીયાના મનસુરઅલી મસાલાવાળાનું નિધનઃ આવતીકાલે જિયારત

જસદણઃ વીંછીયાના દાઉદી વ્હોરા મનસુરઅલી યુસુફઅલી મસાલાવાળા (ઉ.વ.૭૯) તે મર્હુમ શરફઅલી, મર્હુમ સાદીકઅલી, મર્હુમ અબ્બાસભાઇ, મર્હુમ સૈફુદીદનભાઇ (કોલંબો) હસનઅલીભાઇ હુશેનાબહેન (જસદણ)ના ભાઇ હુસૈનભાઇ, સાબેરાબહેન આબીદભાઇ માંકડા (રાજકોટ) પિતા તા.૧૫મીએ વફાત થયેલ છે. મર્હુમની જિયારત (કુરાનખ્વાની) તા.૧૭ શુક્રવારના સવારે ૧૧:૩૦ કલાકે દાઉદી વ્હોરા મસ્જિદ ફુલચાદર સવારે ૧૧ કલાકે દાઉદી વ્હોરા કબ્રસ્તાન વીંછીયા ખાતે રાખેલ છે. મો.૮૭૩૨૯૫૨૭૫૩ (પુત્ર હુસૈનભાઇ)

નટવરલાલ જોશીનું અવસાનઃ શુક્રવારે રાજકોટ અને શનિવારે બાબરામાં બેસણુ

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મૂળ બાબરા હાલ રાજકોટ નટવરલાલ રતિલાલ જોશી (ઉ.વ. ૮૦) (નિવૃત શિક્ષક) તે શારદાબેનના પતિ તથા મુકેશભાઈ, રાજુભાઈ, રશ્મિનભાઈ, યોગેશભાઈ (મહાદેવ સ્ટુડીયો-રાજકોટ), હર્ષાબેન યોગેશકુમાર મહેતા (રાજકોટ), કિરણબેન ધર્મેન્દ્રકુમાર મહેતા (સાવરકુંડલા)ના પિતાશ્રી તથા કેયુર, પ્રતિક્ષા, જપન, ક્રિષ્ના, માનસી, દિપાલી, કોમલ અને દેવર્ષના દાદાનું તા. ૧૫ને બુધવારે અવસાન થયેલ છે. સ્વ.નટવરલાલ જોશી બાબરા તાલુકાના અમરાપરા શાળા નં. ૨માં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને હાલમાં નિવૃત જીવન ગાળતા હતા. તેઓ ખૂબ જ સેવાભાવી હતા અને ગરીબોને સહાય તથા મુંગા પશુઓને વારંવાર ઘાસચારો  આપતા હતા.

તેમનુ બેસણુ તા. ૧૭ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન 'મહાદેવ' ભગવતી પાર્ક-૧, રણછોડદાસબાપુના આશ્રમ પાસે, કુવાડવા રોડ રાજકોટ ખાતે રાખેલ છે. તા. ૧૮ને શનિવારે ૪ થી ૬ ગાયત્રી મંદિર-બાબરા ખાતે પણ બેસણુ રાખેલ છે. મુકેશભાઈ જોશી મો. ૯૯૦૯૯ ૫૮૭૮૩, રાજેશભાઈ જોશી મો. ૯૮૨૪૨ ૩૨૭૦૫, રશ્મિનભાઈ જોશી મો. ૯૮૨૫૬ ૧૩૧૭૭, યોગેશભાઈ જોશી મો. ૯૮૨૪૮ ૦૧૨૨૫, હર્ષાબેન મહેતા મો. ૯૮૯૮૯ ૩૪૫૫૫, કિરણબેન મહેતા મો. ૯૯૭૯૭ ૪૦૧૯૭.

પ્રાગજીભાઇ પોલોજપરાનું નિધનઃ કાલે સાંજે બેસણું

રાજકોટ : પ્રાગજીભાઇ મોતીભાઇ પીલોજપરા રાજકોટ (મુ.કણકોટ) તેઓ ચંદુભાઇ અને રમણીકભાઇના ભાઇ તથા મયુર, ચંદ્રેશ, નીતાબેન ભાવેશકુમાર વડગામાના પીતાશ્રી, તેમજ સ્વ. નરશીભાઇ કેશવજીભાઇ બામરોલીયા (કોઠારીયાવાળા)ના જમાઇ તા.૧પ/૯/ર૦ર૧ ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે.

સદ્દગતનું બેસણું તા. ૧૭/૯/ર૦ર૧ને શુક્રવાર સમય ૪ થી પ-૩૦ સાંજે સ્થળઃ ભોજલરામ વાડ,ી ભોજલરામ સોસાયટી, ત્રીવેણી ગેઇટ સામે, સંતકબીર રોડ, રાજકોટ, મો. ૯૯૭૯૧ ૦૪૧૭૩ ખાતે રાખવામાં આવ્યું છે.

અવસાન નોંધ

નિવૃત એસ.ટી.કર્મચારી માનસિંહ ભાટ્ટીનું અવસાન

રાજકોટઃ મોટી મેંગણીનિવાસી માનસિંહ કેશરસિંહ ભાટ્ટી (ઉ.૮૭) નિવૃત એસ.ટી.કર્મચારી તે પ્રતાપસિંહ, જીલુભા તથા દિલીપસિંહ માનસિંહ ભાટ્ટીના પિતાશ્રીનું તા.૧૩ના રોજ અવસાન થયેલ છે તેમની દશા તા.૧૭ને શુક્રવારે તેમજ ઉત્તરક્રિયા પાણીઢોળ તા.૧૮ ના રોજ નિવાસ સ્થાને રાખેલ છે.

પરાગભાઈ પંડયા

રાજકોટઃ પરાગભાઈ જયંતીલાલ પંડયા (ઉ.વ.૪૦) તે જયંતીભાઈ ભાઈશંકર પંડયાના પુત્ર તેમજ સ્વ.જીતેન્દ્રભાઈ તથા વિનોદભાઈ તથા ગીરીશભાઈના ભત્રીજા તેમજ ભાર્ગવભાઈના મોટાભાઈ તેમજ કેરવી તથા જયરાજના પિતાનું તા.૧૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેણસું તા.૧૭ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે, બ્રહ્મસમાજ સોસાયટી તેમના નિવાસસ્થાને રાખેલ છે. મો.૯૫૩૭૭ ૩૯૬૭૦, મો.૯૯૨૫૧ ૫૮૭૮૭

કુસુમબેન વ્યાસ

રાજકોટઃ કુસુમબેન (ઉ.વ. ૭૬) તે સુભાષચંદ્ર દોલતરાય વ્યાસ (નિવૃત કાર્યપાલક ઈજનેર)ના પત્ની, તેઓ વિરેનભાઈ વ્યાસ અને નેહાબેન રાજેશભાઈ ઉપાધ્યાયના માતુશ્રી અને અપૂર્વ વિરેનભાઈ વ્યાસના દાદીમાં, જેઓ મનોજભાઈ દોલતરાય વ્યાસના ભાભી, તે સ્વ. નૌતમભાઈ અમૃતલાલ ઉપાધ્યાયના બહેન, તે સ્વ. લાભશંકર મોરારજી ઉપાધ્યાય અને લાભુબેન ઉપાધ્યાયના પુત્રીનું તા. ૧૫ના અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. ૧૭ને શુક્રવારે સાંજે ૪ થી ૬ આદિત્ય હાઈટસ, ફલેટ નં. સી-૧૦૩, ગોપાલ ચોક, સાધુ વાસવાણી રોડ ખાતે રાખેલ છે.

માણેકબેન નકુમ

રાજકોટઃ કારડીયા રાજપૂત અમારા માતુશ્રી અ. માણેકબેન (નીનીબેન) મોહનસિંહ નકુમ (ઉ.વ. ૯૫) બહાદુરસિંહ તથા મનસુખભાઈના માતુશ્રીનું તા. ૧૩ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૭ના શુક્રવારે કારડીયા રાજપૂત સમાજની વાડી, ૧૫૦ ફૂટ રીંગ રોડ પ્રથમ માળે સાંજે ૪ થી ૬ રાખેલ છે. તે રાજેન્દ્રસિંહ તથા કલ્પેશભાઈ તથા પ્રકાશભાઈ તથા મિતેષભાઈ તથા કૃપાલસિંહ તથા માનવભાઈના દાદી થાય.

ક્ષત્રિય સમાજના અગ્રણી ચંદ્રસિંહ જાડેજાનું અવસાનઃ શુક્રવારે બેસણુ

રાજકોટઃ માણેકવાડા ગામના વતની ચંદ્રસિંહ મહોબતસિંહ જાડેજા (ઉ.વ. ૭૪) તે હિંમતસિંહ જાડેજા, હારિતસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, લખધિરસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજાના મોટાભાઈ, અજયસિંહ (ધનુભા), રાજેન્દ્રસિંહ (કેટીસી), જીતેન્દ્રસિંહના પિતાશ્રી, મહિપતસિંહ (લોક સાહિત્યકાર) અને જયદીપસિંહ જાડેજા (રાજકોટ સીટી પોલીસ)ના મોટાબાપુનું તા. ૧૩ને સોમવારના રોજ અવસાન થયુ છે. સદ્ગતનું બેસણુ તા. ૧૭ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે માણેકવાડા દરબારગઢ ખાતે રાખેલ છે.

રતિલાલભાઈ રાઠોડ

રાજકોટઃ સ્વ.શામજીભાઈ કરશનભાઈ રાઠોડના પુત્ર રતિલાલભાઈ શામજીભાઈ રાઠોડ (ઉ.વ.૪૯) તા.૧૫ બુધવારના પ્રભુશરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ને શુક્રવારે તેમના નિવાસસ્થાને સાંજે ૪ થી ૬ રાખેલ છે. વડલાવાડી મેઈન રોડ, એસાર પેટ્રોલ પંપ પાસે, જસદણ મો.૯૪૨૮૨ ૬૫૦૪૯, મો.૯૯૭૮૯ ૪૧૬૯૬

મીનાબેન રાજપરા

રાજકોટઃ નિવાસી ગો.વા.પ્રકૃતિકુમાર ગોરધનદાસ રાજપરાના ધર્મપત્નિ મીનાબેન પ્રફુલભાઈ રાજપરા તે ચાંદનીબેન, પ્રિયંકાબેન, સ્વીટીબેનના માતા તથા ધોરાજી નિવાસી મહેન્દ્રભાઈ ગીરધરલાલ ધિણોજાના બેનનું અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૬ના ગુરૂવાર સાંજે ૪ થી ૬ તથા પિયર પક્ષની સાદડી  તા.૧૭ ધોરાજી મુકામે રાખેલ છે.

નિલેશભાઈ કોટક

રાજકોટઃ પડધરી નિવાસી સ્વ.કિશોરચંદ્ર કેશવલાલ કોટકના પુત્ર નિલેશભાઈ કોટક (ઉ.વ.૪૨) જે રાજેશભાઈના મોટાભાઈ તેમજ ચેતનાબેન ભાવેશકુમાર છગાણી (મોરબી) તથા જીગ્નેશભાઈ તેમજ શૈલેષભાઈના નાનાભાઈ તેમજ સ્વ.ગોરધનદાસ લીલાધર રાચ્છ (નાની બરાર)વાળાના ભાણેજનું તા.૧૩ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧૭ને શુક્રવારના રોજ સાંજે ૫ કલાકે લોહાણા મહાજન વાડી પડધરી રાખેલ છે.

પ્રજ્ઞાબેન જાની

રાજકોટઃ શ્રી ગૌડ મેડતવાડ બ્રાહ્મણ- થાનીયાણા નિવાસી હાલ રાજકોટમાં રહેતા પ્રજ્ઞાબેન જગદીશભાઈ જાની જે જગદીશભાઈ મુળશંકર જાનીના દિકરી તથા જાગૃતિબેન અને બકુલભાઈના બહેનનું તા.૧૫ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૭ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાને રાખેલ છે. જગદીશભાઈ મુળશંકર જાની મો.૯૧૦૬૮ ૭૭૫૪૭, બકુલ જગદીશભાઈ જાની મો.૮૭૫૮૫ ૧૬૩૫૩

વ્રજલાલ સિધ્ધપુરા

રાજકોટઃ લુહાર વ્રજલાલ હીરાભાઈ સિધ્ધપુરા તે ગં.સ્વ.સરોજબેન વ્રજલાલ સિધ્ધપુરાના પતિ, ભાવેશભાઈ જીજ્ઞેશભાઈ તથા રૂપલબેનના પિતાશ્રી કૈલાશગમન પામેલ છે. સદ્દગતનું બેસણું (ટેલીફોનીક) તા.૧૮ શુક્રવારના રોજ રાખેલ છે.
સુશીલાબેન રાવલ

રાજકોટઃ હડિયાણા ચોવીસી ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ. અનંતરાય જયાશંકર રાવલના ધર્મપત્નિ શ્રીમતી સુશીલાબેન (ઉ.૮૭) તે રામોદ નિવાસી સ્વ. મોહનલાલ યાજ્ઞીકના સુપુત્રી તે ભૂદેવી યુ.ભટ્ટના માતુશ્રી અને ઉપેન્દ્ર ભટ્ટના સાસુ, તેભાર્ગવ, કુશલ અને કુમારના નાનીમાનું તા.૧૪ ના અવસાન થયું છે. ઉઠમણું તા.૧૭ ને શુક્રવારે સાંજે ૪ થી પ ભાનુસ્મૃતિ, ર/૧૧ જયરાજ પ્લોટ, ખાતે રાખેલુ  છે. મો.૯૯ર૪૦ ર૩રપ૭

પુષ્પાબેન દવે

રાજકોટઃ શ્રીમાળી બ્રાહ્મણ રાજકોટ નિવાસી લક્ષ્મી પ્રસાદ દવેના ધર્મપત્ની શ્રીમતી પુષ્પાબેન દવે (ઉ.૮૯) ને દર્શક દવે તેમજ કંદર્પ દવે તથા પ્રિતીબેન ઓઝાના માતુશ્રીનો સ્વર્ગવાસ તા.૧૩ ના થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૬ને ગુરૂવારે પંકજ, ર, કિર્તિનગર કાલાવડ રોડ, જલારામ પેટ્રોલ પંપ સામે સાંજે પ થી ૬ રાખેલ છે દર્શક મો.૯૪ર૭પ ૦પ૮૩૧ કંદર્પ મો.૮ર૮૬પ ૧૯૭ર૪, પ્રિતીબેન મો.૭૩૮૩૮ પ૯૦પ૪

હરેશભાઇ સંચાણીયા

રાજકોટઃ મૂળ ગામઃ ગોંડલ, હાલ રાજકોટ હરેશભાઇ જયંતીભાઇ સંચાણીયા (ઉ.વ.૫૬) તા.૧૫ના દેવલોક પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૭ને શુક્રવારે ૪ થી ૬ રાખેલ છે. તે પ્રકાશકુમાર નાનાલાલ ભાડેશીયાના સસરા કેશુભાઇ ગોવિંદભાઇ જમનાપરાના જમાઇ સ્વ.કાન્તીભાઇ દયાળજીભાઇ વિરમગામાના સાળા સ્વ.બચુભાઇ મોહનભાઇ જોલાપરાના સાળા સુરેશભાઇ ભાણજીભાઇ વાજાના સાળા થાય. રમેશભાઇ ૯૯૦૯૧૨૮૨૩૯, જગદીશભાઇ ૯૪૨૬૬૫૨૫૧૫, પ્રદિપભાઇ ૯૮૭૯૧૧૭૬૩૪, સાગર ૮૮૬૬૧૧૮૮૩૨

નિર્મળાબેન વણજારા

રાજકોટઃ સ્ટેશન વાવડી નિવાસી હાલ રાજકોટ ઠઃ વેલજીભાઇ ધનજીભાઇ વણજારાના પુત્ર તથા હિંમતભાઇ, મનુભાઇના નાનાભાઇ મથુરદાસ (વિનુભાઇ)ના ધર્મપત્નિ નિર્મળાબેન (ઉ.વ.૬૯)નું તા.૧૫ના અવસાન થયેલ છે. જેમનું ઉઠમણું શુક્રવારના તા.૧૭ના સાંજે ૪ થી ૫ ગુણેશ્વર મહાદેવ શ્રીનગર શેરી નં.૫ મુકામે રાખેલ છે. મો.નં.૯૯૧૩૭ ૪૩૪૧૫ તેમજ પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.