અવસાન નોંધ
ચંદ્રીકાબેન વસાણી
રાજકોટઃ સ્વ. ચંદ્રીકાબેન (ઉ.વ.૭૬) તે જેન્તીલાલ નાનજીભાઇ વસાણીના ધર્મપત્નિ તે નિલેષભાઇ પુજાબેનના માતા તે વ્રજલાલ ગોપાલજી ખખ્ખર (ખડકપુર-બંગાળના) પુત્રી તે દિનેશભાઇ ખખ્ખરના બહેન તા.૧૮ને શનિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા પીયરપક્ષની સાદડી તા.૨૦ને સોમવારે સાંજે ૪ થી ૫ રાજારામ સોસા. શેરી નં.૧ સંતકબીર રોડ સોેમેશ્વર મંદિર ખાતે રાખેલ છે. મો. ૯૮૨૪૮ ૯૨૬૭૧ નિલેશભાઇ, ૯૪૨૯૯ ૮૧૦૭૦ સેજલબેન, ૯૪૦૮૦ ૪૧૩૩૭ શશીભાઇ
રસિલાબેન ગોસ્વામી
રાજકોટઃ રસિલાબેન હસમુખગીરી ગોસ્વામીનું તા.૧૮ના દુઃખદ અવસાન થયેલ છે. હસમુખગીરી હીરાગીરી ગૌસ્વામી, આકાશગીરી હસમુખગીરી ગોસ્વામી (દિકરો), અલ્પાબેન હસમુખગીરી ગોસ્વામી (દિકરી) દિવ્યાબેન યાજ્ઞિકગીરી ગોસ્વામી (દિકરી) સ્વ. ચેતનાબેન હસમુખગીરી ગૌસ્વામી (દિકરી) સદગતનું બેસણું સોમવારે રાખેલ છે.
શ્યામગીરી ગોસ્વામી
રાજકોટઃ મુળગામ જામખંભાળીયા હાલ રાજકોટ નિવાસી મહેશગીરી હરીગીરી ગોસ્વામીના પુત્ર તથા અજયગીરી મહેશગીરી ગોસ્વામીના નાનાભાઇ સ્વ. શ્યામગીરી મહેશગીરી ગોસ્વામી (ઉ.વ.૨૧) નું તા.૧૭ને શુક્રવારના રોજ કૈલાસવાસ થયેલ છે. સદગતનું બેસણું તા.૨૦ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને ભારતીનગર શેરી નં.૮ શિવકૃપા ૧૫૦ ફુટ રીંગ રોડ રામાપીર ચોકડી પાસે લીજજત પાપડના કેન્દ્રની સામેની શેરી ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખેલ છે.
ભારતીબેન મનવાણી
રાજકોટઃ સ્વ. ભારતીબેન મુરલીધર મનવાણી નુ તા.૧૭ શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું/પઘડીયું તા. ૨૦ સોમવાર સાંજે ૫:૩૦ પૂજા હોબીસેન્ટર હોલ, રેસકોર્સ પાર્ક પાસે, એરપોર્ટ ફાટક નજીક રાખેલ છે. રાજેશભાઈ મુરલીધર મનવાણી મનીષભાઈ મુરલીધર મનવાણી, સ્વ.દિનેશભાઈ મુરલીધર મનવાણી, મમતાબેન ગિરધારીકુમાર વાધવાણી જય, પાર્થ, માનવ, હાર્દિક મો. ૯૩૭૪૧ ૧૯૬૬૫/ ૯૫૮૬ ૮૭૫૫૮૯
વ્રજલાલ દામાણી
રાજકોટઃ મુળ વતન વડીયા વાળા, હાલ મલેશિયા, વૃજલાલ પ્રેમચંદ દામાણી તે ઈન્દીરાબેનનાં પતિ, ઉષાબેન, ભરતભાઈ, દીપકભાઈના પિતાશ્રી, ક્રિના, બીના, શશીકાંતભાઈના સસરા, સ્વ.શાંતિલાલભાઈ, સ્વ.અભેચંદભાઈ, સ્વ.વીરાચંદભાઈ, સ્વ.જીજીબેન, સ્વ.પ્રભાબેન, સ્વ.પુરીબેન, સ્વ.સવિતાબેનના ભાઈ સ્વસુર પક્ષે, ચણાકા વાળા માણેકચંદ મોતીચંદ રૂપાણીના જમાઈ તા.૧૬ના અરીહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સીરાજભાઇ અસગરઅલી
વાંકાનેર : સીરાજભાઇ અસગરઅલી (ઉ.૭૮) (અકબરઅલી મહમદઅલી એન્ડ સન્સવાળા), તે અબ્દુલ્લાભાઇ, જેનબબેન (લંડન), અમતુલ્લાબેન (રાજકોટ) અને જહેરાબેન ના ભાઇ તથા કુત્બુદીનભાઇ, અબ્બાસીભાઇ અને મલેકાબેન ભારમલના બાવાજી (પિતાશ્રી)નું તા. ૧૭ ના અવસાન થયેલ છે. મરહુમના જીયારતના સીપારા તા. ૧૯ ને રવિવારે સવારે ૧૧-૩૦ કલાકે સૈફી મસ્જીદ -નાની બજાર વાંકાનેર રાખેલ છે.
કાંતિભાઇ સરૈયા
ઉના :.. સ્વ. અમૃતલાલ ત્રિભુવનદાસ સરૈયાના પુત્ર, હસમુખલાલ અમૃતલાલ સરૈયા, સ્વ. પ્રવિણભાઇ, બાબુભાઇ મહેશભાઇના ભાઇ તેમજ નિકુંજભાઇ તથા હાર્દિકભાઇના પિતાશ્રી કાંતિભાઇ અમૃતલાલ સરૈયા (ઉ.વ.પ૮) તા. પ શ્રાવણ વદ, ૧૩ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના ૧૮ ને શનિવાર સાંજે ૪ થી ૬ ફાટસર તા. ગીરગઢડા રાખેલ છે.
ધર્મેશજતી ગોસ્વામી
ખંભાળિયા : કૈલાશવાસી ચંદુજતી ઉમેદજતી ગોસ્વામીના પુત્ર ધર્મેશજતી (ઉ.વ.૪૧) તે જયેશજતીના નાનાભાઇ અને આશુતોષ તથા હેરિકાના પિતા અને વિશાલ તથા મિલનના કાકા તેમજ પ્રિયાબેન પ્રતીકપરી ગોસ્વામી (રાજકોટ)ના મોટાભાઇ તા.૧૭ના રોજ અવસાન પામ્યા છે. બેસણું શનિવારે તા.૧૮ના રોજ સાંજે ૪ થી પ અત્રે શરણેશ્વર મહાદેવના મંદિરે રાખવામાં આવેલ છે.
જયોત્સનાબેન કારીયા
સ્વ. જયોત્સનાબેન ગોકળદાસ કારીયા જે દલાલ ગોકળદાસ મથુરાદાસના ધર્મપત્ની તેમજ દલાલ જયેશભાઇ, ભરતભાઇ, કોમલબેનના માતુશ્રી ૧૬ના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તા.૧૮ના શનિવારનાં ૪ થી પ લોહાણા મહાજનવાડી કેશોદ ખાતે રાખેલ છે.