Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023
ગૌ.વા. નારણદાસ ભીંડોરાનું અવસાન

રાજકોટઃ ગૌ.વા. નારણદાસ ગોપાલજીભાઇ ભીંડોરા તે ગોપાલજીભાઇ લીલાધરભાઇ ભીંડોરાના પુત્ર તથા પ્રવીણભાઇ (બાબાભાઇ) નલીનભાઇ, ભરતભાઇ, રામભાઇ તથા દિલીપભાઇના પિતાશ્રી તથા હરિદાસભાઇના લઘુબંધુ તથા ગૌ.વા. મથુરદાસભાઇ ગૌ. વા. દ્વારકાદાસભાઇ ગૌ. વા. વનરાવનદાસભાઇ તથા પરમાણંદભાઇના મોટાભાઇ તા. ૧૯ ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા તથા પિયર પક્ષની સાદડી તા. ર૧ શનિવારે રાષ્‍ટ્રીય શાળા રાજકોટ ખાતે સાંજે ૪ થી પ રાખેલ છે.

કિશોરભાઇ પ્રેમચંદભાઇ પારેખ (કાગદી) અરિહંત શરણ પામ્‍યાઃ સાંજે અંતિમ યાત્રા

પારેખ સ્‍ટેશનરી વાળા

રાજકોટ : સ્‍વ. કાગદી પ્રેમચંદ બાલચંદ પારેખના પુત્ર કિશોરભાઈ પારેખ (પારેખ સ્‍ટેશનરીવાળા) તે સ્‍વ.ઉષાબેનના પતિ તથા સ્‍વ. હસમુખભાઈ, સ્‍વ. નરેન્‍દ્રભાઈ (અકિલા), સ્‍વ. સુધાબેન નલિનભાઈ શેઠ (મુંબઈ), સ્‍વ.દિલીપભાઈ, સ્‍વ. ઇન્‍દ્રજીતભાઈ  તથા નરેશભાઈ પારેખ  (Ex.RMC) ના ભાઈ તે મીતાબેન (SNK સ્‍કુલ), શ્રીમતી વિશાખાબેન ધર્મેશભાઈ શાહ(ભરૂચ) તથા શ્રીમતી કાશ્‍મીરાબેન સંજયભાઈ દેસાઈ (વેસ્‍ટવૂડ સ્‍કૂલ,રાજકોટ) ના પિતાશ્રી તે સ્‍વ.મૂળશંકર કપુરચંદ ઉદાણી (જામનગર) ના જમાઈ અને અશ્વિનભાઇ, જીતેન્‍દ્રભાઈ, નરેન્‍દ્રભાઈ તથા નિલેશભાઈ ઉદાણી (પૂર્વ શહેર ભાજપ પ્રમુખ, જામનગર) ના બનેવી તા.૨૦/૦૧/૨૦૨૩ ને શુક્રવાર ના રોજ અરિહંત શરણ પામ્‍યા છે. સદ્દગતની અંતિમયાત્રા  તા.૨૦/૦૧/૨૦૨૩ ને શુક્રવાર સાંજે ૬.૦૦ કલાકે તેમના નિવાસસ્‍થાન ૧૧/૬, જંકશન પ્‍લોટ,રાજકોટ ખાતેથી નીકળી રામનાથ પરા મુક્‍તિધામ ખાતે વિરામ પામશે.

અવસાન નોંધ

ભરતભાઈ જોષી

રાજકોટઃ ઔદિચ્‍ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્‍વ.પ્રદ્યુમનભાઈ હાથીરામ જોષીના પુત્ર, સ્‍વ.કલ્‍યાણજી ચકુભાઈ જોષીના જમાઈ- ભરતભાઈ જોષી (ટાટા કેમિકલ- મીઠાપુર), હાલ રાજકોટ તે વિનોદિનીબેનના પતિ, ડો.હર્ષવદનભાઈ (અમેરિકા), રશ્‍મિકાન્‍તભાઈ તેમજ સ્‍વ.રંજનબેનના ભાઈનું તા.૧૮ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું બેસણું શનિવાર તા.૨૧ સાંજે ૪ થી ૬, ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, ૫ ચંદન પાર્ક, પેરેડાઈઝ હોલ પાછળ, ૈરૈયા ચોકડી પાસે , (બાપા સિતારામ ચોક) રાજકોટ ખાતે રાખેલ છે. મો.૭૫૭૪૯ ૮૪૩૪૫

માનસભાઇ વામજા

મોરબી : વામજા માનસ મહેન્‍દ્રભાઇ (ઉવ.૧૦) તે મહેન્‍દ્રભાઇ વિઠ્ઠલભાઇ વામજાના પુત્ર તથા વિઠ્ઠલભાઇ હરજીભાઇ વામજાના પૌત્રનું તા.૧૮ના અવસાન થયેલ છે તેમનું બેસણું તા.૨૧ને શનિવારે સવારે ૯ થી ૧૧ તેમના નિવાસ સ્‍થાને મારૂતિ નગર બસ સ્‍ટેન્‍ડ બાજુમાં  ગામ લજાઇ ખાતે રાખેલ છે.

ગીરજાબેન વ્‍યાસ

ગોંડલ-ઔદિચ્‍ય ખરેડી બ્રાહ્મણ સ્‍વ.વિનોદરાય પ્રભાશંકર વ્‍યાસના  પત્‍ની ગીરજાબેન ઉ.૮૮ તે ઘનશ્‍યામજી મહારાજ (ભુવનેヘરી પીઠ)ના ભાભી, હેમાંગભાઇ, ચૌલાબેન, છાયાબેન, મીનાબેન, પ્રજ્ઞાબેન, માલાબેન તથા નિલેશભાઈના માતાનું તા.૧૯ને ગુરૂવારના અવસાન થયુ છે.બેસણુ તા.૨૧ શનીવાર સાંજે ચાર થી પાંચ ભુવનેヘરી વિદેશભવન,મહાદેવવાડી ગોંડલ ખાતે રાખેલ છે. 

રસીલાબેન સતાસીયા

બગસરા : રસીલાબેન ઉ.વ. ૫૪ તે કાંતિભાઈ શંભુભાઈ સતાસીયા (પૂર્વ ચેરમેન માર્કેટિંગ યાર્ડ)ના પત્‍ની, હરેશભાઈ તથા ભાવિનભાઈના માતળશ્રીનું તા.૧૯ના   અવસાન થયેલ છે.

શોભનાબેન શાહ

જુનાગઢઃ વીરનગરના વતની હાલ મુંબઇ શોભનાબેન તે પરિમલભાઇ પ્રમોદભાઇ શાહના પત્‍નિ તેમજ શ્રી સુમીત, નિરવ અને શર્મીના માતુશ્રીનું તા.૧૮ના અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા.૨૨ને રવીવારે તેમના મુંબઇના નિવાસ સ્‍થાને સાંજે ૪ થી ૬ પરિમલભાઇ પ્રમોદભાઇ શાહ ‘ચેતન' પ્‍લોટ નં.૨૬૦, સાયન રોડ, મુંબઇ ખાતે રાખેલ છે.

પ્રતાપભાઇ કુરાણી

પોરબંદર : પ્રતાપભાઇ નરોતમભાઇ કુરાણી (ઉ.વ.૬૧) તે પ્રવીણભાઇના નાનાભાઇ અને મુકેશભાઇના મોટાભાઇ તા. ૧૮ મીએ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે.

નંદકુંવરબા જાડેજા

રાજકોટઃ સ્‍વ.નંદકુંવરબા જેઠુભા જાડેજાનું તા.૧૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૩ના સવારે ૯થી સાંજના ૫ સુધી તેમજ તેમની ઉત્તર ક્રિયા તા.૨૭ના ગામ ઘંટેશ્વર ખાતે રાખેલ છે

હર્ષદભાઈ જોષી

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળા બ્રાહ્મણ સ્‍વ.હર્ષદભાઈ શશીકાંતભાઈ જોષી (નિવૃત કર્મચારી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી) તે સ્‍વ.શશીકાંતભાઈ જોષીના પુત્ર પલ્લવભાઈ અને હેતલબેનના પિતાશ્રીનું તા.૧૮ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ શુક્રવાર સાંજે ૩:૩૦ થી ૫:૩૦ કલાક સુધી ધુમકેતુ હોલ, રોયલ પાર્ક-૪, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

શિવલાલભાઈ ગાંગાણી

રાજકોટઃ હાલ રાજકોટ, મુળ ગામ બાલંભા, ગુર્જર ક્ષત્રિય કડિયા શિવલાલભાઈ વાલજીભાઈ ગાંગાણી (ઉ.વ.૭૬) તે સ્‍વ.રમણીકભાઈ વાલજીભાઈ ગાંગાણીના નાનાભાઈ તે જયંતભાઈ વાલજીભાઈ ગાંગાણી (એડવોકેટ એન્‍ડ નોટરી), પ્રભુદાસભાઈ વીઠ્ઠલજીભાઈ ગાંગાણી, દિલીપભાઈ વીઠ્ઠલજીભાઈ ગાંગાણી (એડવોકેટ એન્‍ડ નોટરી)ના મોટાભાઈ તે સ્‍વ.પરેશભાઈ, મનોજભાઈ તથા મિતેષભાઈ તથા નિલુબેનના પિતાશ્રી હેમાક્ષી તથા રાહુલના દાદા, અતુલ ચંદારાણાના સસરા, જાનવીના નાનાનું તા.૧૯ને ગુરૂવારના રોજ અક્ષરવાસી થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૧ શનિવાર સાંજે ૪ થી ૬ કલાકે લક્ષ્મીવાડી શેરી નં.૩, ‘શિવશકિત કૃપા' રાજકોટ ખાતે રાખેલ છે.

રઘુનાથ લુષ્‍ટે

રાજકોટ : રઘુનાથ રામજીભાઇ લુષ્‍ટે (એલ. આઇ. સી. નિવૃત કર્મચારી)નું તા. ૧૯ ના અવસાન થયેલ તે પ્રતાપભાઇ લુષ્‍ટે (દેના બેંક) ના મોટાભાઇ તે પરાગ, મોહીત, મનિષાના પિતાજીનું બેસણું તા. ર૧ ના ૪ થી પ તેમના નિવાસ સ્‍થાને શાંતિનગર ટેનામેન્‍ટ બ્‍લોક નં. ર૭૪, રૈયાધાર પાણીના ટાંકા સામે રાખેલ છે.

ભાવનાબેન સવજાણી

રાજકોટ : ચંદુલાલ અમૃતલાલ સવાણી (ખાદી ભવન) તેમના પુત્રી તેમજ મુકેશભાઇ સવાણી, સ્‍વ. જયસુખભાઇ સવાણી, ઉમેશભાઇ સવાણીનાબેન અ. સૌ. ભાવનાબેન રાજેશકુમાર સવજાણીનું (જામનગર) તા. ૧૮ ના અવસાન પામેલ છે. પિયર પક્ષની સાદડી તા. ર૧ ના શનિવારે સાંજે ૪ થી પ રામ મંદિર ગોંડલ રોડ, રામનગર ખાતે રાખેલ છે.

જયેશભાઇ કકકડ

રાજકોટઃ અ.નિ.કાંતિલાલ વિઠલજી કકકડના પુત્ર જયેશભાઇ(રવિ પ્રકાશનવાળા)(ઉ.૭૬) તે ચિરાગભાઇ, અમીબેન દિલીપકુમાર નથવાણી(રાજકોટ), ટમીબેન જીતેનકુમાર સિમરિયા(જામનગર)ના પિતાશ્રી તેમજ નવીનભાઇ, બાબાલાલ, અ.નિ.રસિકભાઇ તથા દક્ષાબેન શૈલેષકુમાર બુધ્‍ધદેવના મોટાભાઇ તથા પ્રેયાંક-ઇશિકાના દાદા તે સ્‍વ.ગિરધરલાલ પરસોતમભાઇ મજેઠીયાના જમાઇ તથા અતુલભાઇ જી મજેઠીયાના બનેવીનું તા.૨૦  દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૧ શનિવારના રોજ સાંજે ૪થી ૬ તેમજ સ્‍વસુર પક્ષની સાદળી સાથે ે રાખેલ છે. સ્‍થળઃ યોગીસભાગૃહ, બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ