Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021
અવસાન નોંધ

નૌતમલાલ ખીરા

રાજકોટઃ શ્રી સારસ્વત બ્રાહ્મણ રાજકોટ નિવાસી નૌતમલાલ ચુનીલાલ ખીરા (ઉ.વ.૮૧)નું અમિતભાઈના પિતાશ્રી તથા ભાનુભાઈ, ચંપકભાઈ, ગુણવંતભાઈના ભાઈ, સ્વ.કેશવલાલ જીવરામ જોષી (એન) ગોંડલના જમાઈ, સ્વ.હર્ષદરાય તથા પ્રફુલચંદ્રના બનેવી, તેમજ મુકેશભાઈ, રાજુભાઈ, ભરતભાઈ, વિરલભાઈના કાકા, જિતાક્ષ, જેનિસ, ભાવિન, રવિ, શિવમના દાદાનું તા.૧૮ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૧ને ગુરૂવારે તેમના નિવાસ સ્થાને ''ઁ'', રામનગર શેરીનં.૫, પી.ડી.એમ. કોલેજની પાસે, ગોંડલ રોડ, રાજકોટ મુકામે સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

હરેશભાઈ ડોડીયા

રાજકોટઃ ગોંડલ નિવાસી હરીહર ઓટો ઈલે. પાર્ટલ વાળા, ભાઈલાલભાઈ જે.ડોડીયાના પુત્ર હરેનભાઈ (ઉ.વ.૬૨) તે હરેશભાઈ, નલીનભાઈ, જયોતિબેન અને ઉષાબેનના નાનાભાઈ તથા અલ્કાબેનના મોટાભાઈ તથા નિલાબેનના પતિ, પાર્થ તથા રાજેનના પિતાશ્રી નાવીક ડોડીયા તથા વિવેકના કાકા તા.૧૭ના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તેમના નિવાસસ્થાને તા.૨૧ ગુરૂવારે સાંજે ૩ થી ૬ ભવનાથ-૨, શેરી નં.૨, રાધાકૃષ્ણ નગર ખાતે રાખેલ છે.

અશોકભાઈ દસાડીયા

રાજકોટઃ નિવાસી દયાળજીભાઈ મોહનભાઈ દસાડીયાના પુત્ર અશોકભાઈ દયાળજીભાઈ દસાડીયા (ઉ.વ.૪૬) તે મનોજભાઈ, પરેશભાઈ, જયેશભાઈના મોટાભાઈ તથા ભાર્ગવ અને મિતના પિતા તથા સ્વ.નરસિંહભાઈ વૈષ્ણવના જમાઈ તા.૧૭ રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બન્ને પક્ષનું બેસણું તા.૨૧ ગુરૂવાર બપોરે ૩ થી ૫ કલાકે રાધાકૃષ્ણ મંદિર, ગાંધીગ્રામ, આશાપુરા મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મનોજભાઈ મો.૯૯૦૯૮ ૦૨૯૬૯, પરેશભાઈ મો.૯૬૬૨૭ ૪૫૫૫૫, જયેશભાઈ મો.૯૮૨૪૨ ૪૭૪૪૦, ભાર્ગવ મો.૯૬૬૨૭ ૯૭૭૭૧, ઉમેશભાઈ મો.૮૮૬૬૦ ૯૫૨૭૭

જયકરભાઈ કારીયા

રાજકોટઃ ઠા.હીરજીભાઈ નરસિંહદાસ કારીયાના પુત્ર જયકરભાઈ હીરજીભાઈ કારીયા (રીટાયર્ડ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત) (ઉ.વ.૭૭) તે ઉત્તમરાય સુંદરજી આડઠકકરના જમાઈ તથા વિજયભાઈ, જાગીરભાઈ, હેમાબેન કલ્પેશકુમાર ધામેચા અને વૈશાલીબેન કીર્તિકુમારના પિતાશ્રી તેમજ પારૂલબેન અને રૂપાબેનના સસરાનું તા.૧૭ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૧ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ તેમના નિવાસસ્થાન ૨, કલ્યાણ સોસાયટી, ટાગોર માર્ગ, રાજકોટ મુકામે રાખેલ છે. સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે.

ગુણવંતીબેન દવે

રાજકોટઃ હડિયાણા ચોવીસી બ્રહ્મસમાજ રાજકોટ હાલ રાજકોટ (મુળ ગામ કેશીયા) ગં.સ્વ. ગુણવંતીબેન જગદીશચંદ્ર દવે (ઉ.વ.૮૬ વર્ષ) તે સ્વ. જગદીશચંદ્ર નટવરલાલ દવેના ધર્મપત્ની તેમજ કિશોરભાઇ, મુકેશભાઇ સ્વ. રાજેન્દ્રભાઇ તેમજ રૅખાબેન એમ. પંડયા (રાજકોટ), પ્રિતીબેન ડી. ત્રિવેદી (મોરબી)ના માતુશ્રી તેમજ ભરતભાઇ મુગટલાલ વ્યાસના બેનનું ગત તા.૧૭ને રવિવારે દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું  તા. ર૧, ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે, રાજ રાજેશ્વર મહાદેવ મંદિર, સંતોષ પાર્ક મેઇન રોડ, ર્સ્ટલિંગ હોસ્પિટલની પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે. કિશોરભાઇ ઙ્ગ૯૩૭૭૬ ૦૬૪૯૨,  મુકેશભાઇ ૯૮૯૮૨ ૫૬૦૧૬, અમિતભાઇ ૯૮૯૮૬ ૨૯૧૧૮,  રવિભાઇ ૯૩૨૭૫ ૭૬૭૨૭

ઠા. છોટાલાલ ગોટેચા

વીરપુર (જલારામ) : ઠા. છોટાલાલ સુંદરજીભાઇ ગોટેચા, (સાતોદડવાળા) હાલ વીરપુર (ઉ.વ.૮૮) તે સ્વ. હેમંતલાલ, નટવરલાલ, સ્વ. કાંતિલાલના ભાઇ તેમજ વિનુભાઇ, પ્રકાશભાઇ, સુરેશભાઇ, નલિનભાઇ, હિતેશભાઇ તથા મધુબેનનાં પિતાશ્રી તેમજ સ્વ. બાબુલાલ ત્રીકમજીભાઇ સોનછાત્રા (નવાગામ વાળા)નાં બનેવીનું તા. ૧૯ ના રોજ અવસાન થયેલ છે. સદ્્ગતનું ઉઠમણુ તથા સ્વસુરપક્ષની સાદડી બન્ને સાથે તા. ર૧ ને ગુરૂવારનાં રોજ સાંજના પ થી ૬ લોહાણા મહાજનવાડી-વીરપુર (જલારામ) રાખેલ છે.

હરેનભાઇ ડોડીયા

ગોંડલ : ભાઇલાલભાઇ જે. ડોડીયાના પુત્ર હરેનભાઇ (હરીહર ઓટો ઇલે. પાટર્સ) (ઉ.વ.૬ર) તે હરેશભાઇ, નલીનભાઇ, જયોતિબેન અને ઉષાબેનના નાનાભાઇ તથા અલ્કાબેનના મોટાભાઇ તથા નિલાબેનના પતિ, પાર્થ તથા રાજેનના પિતાશ્રી, નાવીક ડોડીયા તથા વિવેકના કાકા  તા. ૧૭ ના રોજ અવસાન પામેલ છે. બેસણું તેમના નિવાસ સ્થાને તા. ર૧ ગુરૂવારે સાંજે ૩ થી ૬ ભવનાથ -ર, શેરી નં. ર, રાધાકૃષ્ણનગર ખાતે રાખેલ છે.

રાજીબેન સોલંકી

વેરાવળઃ સ્વ. મેણસીભાઈ વેજાણંદભાઈ સોલંકીના ધર્મપત્નિ રાજીબેન  ઉ.૭૪ તે હરદાસભાઈ સોલંકી(તાલુકા ભાજપ પ્રમુખ),દીનેશભાઈ  સોલંકી (સતનામ ગુ્રપ)ના માતૃશ્રીનું તા.૧૭ના રોજ અવસાન થયેલ છે. સદગત નું બેસણું: તા.ર૧ ને ગુરૂવારે સવારે૯ થી ૪ બાયપાસ પાસે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

જશવંતીબેન પંડયા

વેરાવળઃ જગદીશ અબોટી બ્રાહ્મણ ચંદુશંકર તુલજાશંકર પંડયાના પત્નિ જશંવતીબેન ઉ.૭૮ તે વિરેન્દ્રભાઈ, ભાસ્કરભાઈ,ભાવનાબેન, મીનાબેન, વનીતાબેનના માતૃશ્રી તથા હરેેશભાઈ પુરોહીત, હર્ષવર્ધન ઉપાઘ્યાય,ભાવેશભાઈ વ્યાસના સાસુનું તા.૧૬/૧૦ ના રોજ અવસાન પામેલ છે.

દયાબેન ચાવડા

રાજકોટઃ  સ્વ.પરસોત્તમભાઈ રૂડાભાઈ ચાવડાના ધર્મપત્નિ દયાબેન પરસોત્તમભાઈ ચાવડા તે ભગવાનજીભાઈ, જનકભાઈ જેન્તીભાઈ, મનોજભાઈ તથા સ્વ.ચમનભાઈના માતુશ્રીનું અવસાન તા.૧૮ને સોમવારે થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ને શુક્રવારે સાંજે ૪ થી ૬ ભગવતપરા માર્ગ નં.૯, શ્રીરામ ખાતે રાખેલ છે.

સુશીલાબેન પોપટ

રાજકોટઃ આશિષ પેટ્રોલિયમવાળા ગુલાબભાઈ છગનલાલ પોપટના ધર્મપત્નિ તથા આશિષભાઈ, કૌશિકભાઈ એડવોકેટ, નિશાબેનના માતુશ્રી અને તુષારકુમાર તન્નાના સાસુ સુશીલાબેન ગુલાબભાઈ પોપટ (ઉ.વ.૭૦) તે સ્વ.ચત્રભુજભાઈ દામજીભાઈ ભુપતકરના દીકરી તથા સ્વ.મનસુખલાલ, સ્વ.રમેશભાઈ અને ચીમનભાઈના બહેન તા.૧૯ મંગળવારના રોજ દુઃખદ અવાસન પામેલ છે. જેમનું બેસણું તથા પ્રાર્થનાસભા દરજી જ્ઞાતિની વાડી, ધર્મજીવન મેઈન રોડ, ઢેબર રોડથી નજીક તા.૨૧ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે. (પીયરપક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.)

ગીરજાશંકર જાની

રાજકોટઃ ચાંચાપર (મોરબી) ગીરજાશંકર ડી.જાની (પ્રેસ પ્રતીનીધી) (ઉ.વ.૯૦) તે માનશંકરભાઈ જાની, સ્વ.જમનાદાસભાઈ જાનીના ભાઈ તથા તરૂણભાઈ જાની ડેમી-૧ મીતાણા તથા હિતેન્દ્રભાઈ જાની સિંચાઈ વિભાગના પિતાશ્રી તેમજ રવીન, કિશન, ભરતના દાદા તા.૧૯ને મંગળવારના રોજ શ્રી રામચરણ (અવસાન) પામેલ છે. તેમનું ઉઠમણું શુક્રવાર તા.૨૨ના રોજ સાંજે ૩ થી ૪ ચાંચાપર મુકામે રાખેલ છે તથા ઉતરક્રિયા (સરવણી) તા.૩૦ને શનિવાર સવારે ૧૧ કલાકે તેમના નિવાસસ્થાને ચાંચાપર રાખેલ છે.