Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022
વિસાવદરના રિટાયર્ડ રેલ્‍વે કર્મચારી નાનજીભાઇ તલસાણીયાનું અવસાન

વિસાવદર : તળબદા કોળી સમાજ અગ્રણી રીટાયર્ડ રેલ્‍વે કર્મચારી નાજીભાઇ મેઘજીભાઇ તલસાણીયા (ઉ.વ.૬ર) તે મુકેશભાઇ તથા વિપુલભાઇના પિતાશ્રીનું તા. ૧પ ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. ૧૭ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ નિવાસસ્‍થાન ગાયત્રી પ્‍લોટ, વિસાવદર ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

શોભનાબેન પંડયા

રાજકોટ : વાલમ બ્રાહ્મણ સાણથલી પંડયા પરિવારના શોભનાબેન પ્રદીપભાઇ પંડયા (ઉ.વ.પ૮) તે પ્રદીપભાઇ ધીરજલાલ પંડયાના ધર્મપત્‍ની તે ધવલભાઇ અને અવનીબેન  માતુશ્રી તે હિરલબેન ધવલભાઇ પંડયા અને અભિષેકભાઇ વદનભાઇ પાણેરીના સાસુ તેમજ ધાર્મીકના દાદીમા અને ત્રિશાના નાનીમા અને સ્‍વ.ચંદ્રવદનભાઇ, ગીરીશભાઇ , સ્‍વ. તિલકભાઇ, સ્‍વ. જગદીશભાઇના લઘુબંધુ પ્રદીપભાઇ ધીરજલાલ પંડયાના ધર્મપત્‍ની તથા ઉષાબેન અશોકભાઇ પંડયાના ભાભી અને ભરતભાઇના બહેન તેમજ સ્‍વ.શાંતીલાલ જુઠાભાઇ વ્‍યાસના દીકરીનું ગુરૂવાર તા.૧૭ ના રોજ ટુંકી માંદગી બાદ રાજકોટ મુકામે અવસાન થયેલ છે.

સ્‍વર્ગસ્‍થનું બેસણું સોમવાર તા.ર૧ના રોજ સાંજે ૪.૩૦ થી ૬.૩૦ કલાકે શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર ભકિતનગર સર્કલ ૮૦ ફુટ રોડ રાજકોટ ખાતે રાખેલ છે. દિલસોજી આપવા માટેના મોબાઇલ નંબર અજયભાઇ પંડયા ૯૪ર૭પ ૬૩૩૯૯ (ભત્રીજા) વિપુલભાઇ પંડયા-૯૮૭૯૧ ૪૮૪૮૪ (ભત્રીજા) ઉપર શોક સંદેશ પાઠવવો.

સ્‍નેહાબેન દોશી

રાજકોટ :  સ્‍નેહાબેન પારસભાઇ દોશી (ઉ.વ.૪૭) તે સ્‍વ. નવીનચંદ્ર જમનાદાસ દોશી (લાતીવાળા)ના પુત્રવધુ તે પરેશભાઇ દોશી, જીતેન્‍દ્રભાઇ દોશીના નાનાભાઇના ધર્મપત્‍ની તે સોનલબેન સંજયભાઇ કામદારના ભાભી, તે બગસરા નિવાસ સવિતાબેન અમૃતભાઇ દોશીના સુપુત્રી, તે હરેશભાઇ, પરેશભાઇ, પ્રકાશભાઇ દોશીના બહેન તે જીનૈનના માતુશ્રીનુ તા.૧૬ના રોજ રાયપુર ખાતે અવસાન થયુ છે. સદગતનું ઉઠમણુ઼ અને પ્રાર્થનાસભા તા.ર૪ને ગુરૂવારના રોજ સવારે ૧૦ કલાકે ઉઠમણું ત્‍યારબાદ ૧૧ કલાકે પ્રાર્થના સભા જૈન દેરાસર વાડી, દેરાશેરી, નાની બજાર ગોંડલ ખાતે રાખેલ છે.

જોશનાબેન માંડલીયા

રાજકોટઃ સોની સ્‍વ.કાન્‍તીલાલ જાદવજી માંડલીયા ઉપલેટાવાળાના પત્‍ની જોશનાબેન (ઉ.વ.૭૪) તે કિરીટ, ભરત, સંજય, ગોપાલ, હર્ષાબેનના માતુશ્રી તથા ન્‍યાલચંદ્ર જાદવજીના ભાભી સ્‍વ.મણીલાલ મોહનલાલ લાઠીગ્રાની દિકરીનું તા.૧૮ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બન્‍ને પક્ષનું બેસણું તા.૧૯ને શનિવારે સાંજે ૪ થી ૫:૩૦ નિવાસસ્‍થાને લક્ષ્મીવાડી ૩/૧૨ કોર્નર રાખેલ છે

નર્મદાબેન ચૌહાણ

રાજકોટઃ સ્‍વ.પરમાનંદ પિતાંબર ચૌહાણના ધર્મપત્‍નિ નર્મદાબેન તે સ્‍વ.કિશોર, નરેન્‍દ્ર, હરકિશન, સંજય, જયેશ, સ્‍વ.મિતેષ, કૌશલ્‍યાબેન, સરિતાબેન, ચંદ્રિકાબેન, અનિતાબેન તથા જયશ્રીબેનના માતુશ્રી તા.૧૭ ગુરૂવારના રોજ રામચરણ થયેલ છે. તેમનું બેસણું સાંજે ૪:૩૦ થી ૫:૩૦ તા.૧૯ના રોજ તેમના નિવાસસ્‍થાને પરાશર પાર્ક મેઈન રોડ, ગાંધી સોસાયટી પાછળ, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

દિનેશભાઈ ત્રિવેદી

રાજકોટઃ બેડી (વાછાપર) નિવાસી ચા.મ.કા.મોઢ બ્રાહ્મણ સ્‍વ.દિનેશભાઈ હરજીવનભાઈ ત્રિવેદી (ઉ.વ.૬૪) તે સ્‍વ.હરજીવનભાઈ રાજારામભાઈ ત્રિવેદીના પુત્ર, કૌશીકભાઈ તથા એકતાબેનના પિતા, કાકુભાઈ, કિશોરભાઈ, કાંતીભાઈ, સ્‍વ.હંસાબેન, ગૌતમભાઈ, નૌતમભાઈ તથા ગૌરીબેનના મોટાભાઈ શુક્રવાર તા.૧૮ના રોજ કૈલાસવાસ થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૧ સોમવાર બપોરે ૩ થી ૪:૩૦ કલાકે નિવાસસ્‍થાન બેડી મુકામે રાખેલ છે.

અલ્‍પાબેન સંઘવી

રાજકોટઃ જામનગર નિવાસી સ્‍વ.પ્રવિણચંદ્ર રતિલાલ સંઘવી અને હીરાબેન સંઘવીના પુત્ર ધીરેનભાઈના ધર્મપત્‍ની અ.સૌ.અલ્‍પાબેન (ઉ.વ.૫૦) તેઓ તીર્થાબોન ઝંખીલભાઈ પટેલ, પૃથા તથા નિમિતના માતુશ્રી તથા સાવરકુંડલા નિવાસી સ્‍વ.વસંતભાઈ છગનલાલ મકીમના પુત્રી તા.૧૭ના અરીહંતશરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૯ શનિવાર સવારે ૯ કલાકે, સ્‍થાનકવાસી જૈન ઉપાશ્રય, તેજ પ્રકાશ સોસાયટી, ધન્‍વંતરી ગ્રાઉન્‍ડ સામે, જામનગર ખાતે રાખેલ છે.

કનકબેન છગાણી

રાજકોટઃ નવલખીવાળા સ્‍વ. મનોજભાઇ મગનલાલ છગાણીના ધર્મપત્‍નિ સ્‍વ.કનકબેન મનોજભાઇ છગાણી (ઉમર વર્ષ ૬૫)નું તે લલીતભાઇ છગાણીના ભાભી તથા કિશોરભાઇ છગાણીના કાકી  પોરબંદરના નિવાશી ભાવેશકુમાર  ગોકાણીના સાસુ ડિમ્‍પલબેન તથા પ્રીતીબેનના મમ્‍મી ચંદુલાલ ગણાત્રાના બહેનનું તા.૧૮ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૨૧ના સોમવારે સાંજે ૪.૩૦ થી ૫.૩૦ દત્તાત્રેય મંદિર સહકાર રોડ, અવધ મેડિકલ વાળી શેરી રઘુવીર સોસાયટી મેઇન રોડ ખાતે રાખેલ છે. મો.૯૧૦૬૩ ૬૫૮૬૫