Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021
ગોંડલના પુર્વ નગરસેવક વીરેન્દ્રસિંહ જાડેજાનું નિધન

 ગોંડલ : ગોંડલનાં પુર્વ નગરસેવક અને પોરબંદર સંસદીય યુથ કોંગ્રેસ નાં પુર્વ પ્રમુખ વીરેન્દ્રસિહ જાડેજાનું ટુંકી બીમારી બાદ નિધન થતાં શોક ફેલાયો હતો.

કોલેજ કાળ થી જાહેર જીવનમાં સક્રીય રહેલાં વીરેન્દ્રસિહ  એનએસયુઆઇ થી રાજકારણની શરૂઆત કરી કોંગ્રેસનાં અગ્રીમ યુવા નેતા બન્યાં હતાં. ભગવત પરા માંથી ચુંટણી લડી નગરસેવક બન્યાં હતાં,પોરબંદર સંસદીય યુથ કોંગ્રેસનાં પ્રમુખ તરીકે ચુંટાયા હતા.  તેમની તબિયત લથડતા ગોંડલ પ્રાથમીક સારવાર આપી રાજકોટ વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.પરંતુ સારવાર કારગત નહીં નિવડતાં બુધવારે તેમનુ નિધન થયું હતું.તેમનાં નિધન થી કોંગ્રેસે એક સક્રીય આગેવાન ગુમાવ્યાં છે.

આશુપારા સોસાયટી સ્થિત તેમનાં નિવાસસ્થાને થી નિકળેલી તેમની અંતિમયાત્રામાં પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ઇન્દ્રવિજય સિહ ગોહીલ,રાકેશભાઈ દવે,અમરેલી જીલ્લા કોંગ્રેસનાં પ્રદિપ કોટડીયા, ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડીયા,જે.કે.પારઘી, નિમીષ રૈયાણી, જયસુખ વઘાસીયા, કીશોરસિહ જાડેજા, શકિતસિંહ જાડેજા(રીબડા)નગરપાલીકા સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા, ઓમદેવસિહ જાડેજા, પૃથ્વીસિહ જાડેજા,મનુભાઈ કોટડીયા, યુવા ભાજપ અગ્રણી જયદિપસિહ જાડેજા, માર્કેટ યાર્ડ ડિરેકટર ધર્મેન્દ્રસિંહ જાડેજા, પત્રકાર સંઘનાં પ્રમુખ જીતુભાઇ આચાર્ય, જીતુભાઇ પંડયા સહિત બહોળી સંખ્યામાં ક્ષત્રીય સમાજનાં આગેવાનો અને શહેરીજનો જોડાઇ અંતિમ વિદાય આપી અંજલી અર્પી  હતી.

વીરેન્દ્રસિહ તેમની પાછળ પત્નિ, પુત્ર, માતા પિતા તથા નાનાભાઇ સહિત નાં પરિવાર ને વિલાપ કરતાં છોડી ગયા છે.

ડો. મિલાપ મશરૂના માતૃશ્રીનું દુઃખદ અવસાન : કાલે બેસણું

રાજકોટ : સૌરાષ્ટ્રના ટોચના ક્રિટીકલ કેર નિષ્ણાંત અને સિનર્જી હોસ્પિટલના ડાયરેકટર ડો.મિલાપ મશરૂના માતુશ્રીનું ગઈકાલે દુઃખદ અવસાન થયુ છે. રાજકોટ નિવાસી હિંમતભાઈ જયંતિલાલ મશરૂના ધર્મપત્નિ, ડો.મિલાપ મશરૂ તથા ધવલ મશરૂના માતાશ્રી, ઉર્મીબેન તથા ધરાબેનના સાસુ, સૌમ્ય તથા માયશાના દાદી, સ્વ.નટવરલાલ મોહનલાલ શીંગાળાના દીકરીનું અવસાન તા.૨૦ના બુધવારના રોજ થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું તા. ૨૨ને શુક્રવારના સાંજે ૪ થી ૬, નૂતનનગર કોમ્યુનીટી હોલ, કાલાવડ રોડ ખાતે રાખેલ છે.

અમરેલીના જયંતીલાલ અધ્યારૂનુ અવસાનઃ કાલે બેસણુ

સાવરકુંડલા : કંકોળીયા બ્રાહ્મણ અમરેલી નિવાસી સ્વ. જયંતીલાલ ગીરજાશંકર અધ્યારૂ (ઉ.વ.૯૪) તે મહેન્દ્રભાઇ, નરેશભાઇ, ભરતભાઇ, હિતેષભાઇના પિતાશ્રી તથા નિલમબેન યોગેન્દ્રભાઇ ભટ્ટ (ત્ર્યંબકેશ્વર), કલ્પનાબેન પિયુષભાઇ જોશી (ઉપલેટા), તથા રેણુકાબેનના પિતાશ્રી તથા અનંતરાય ગીરજાશંકર અધ્યારૂના મોટાભાઇ, મનિષભાઇ, રાહુલભાઇ તથા નિશાબેન તુષારકુમાર જોષી (જુનાગઢ) ના દાદા તથા હિનાબેન નંદીશકુમાર જોષી (કોચીન), સ્વ. ભવદિપ, તેજસ, હાર્દિક, ખુશ્બુ, દિપ, મીત, સોહમ, ઋષિ, અભિષેક, સાગર, કૃપેશ, ચેતના, હેતલ, અંજલીના દાદાશ્રીનું આજ  તા. ર૦ ના અવસાન થયેલ છે.

બેસણુ કાલે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન ચિતલ રોડ, અમરેલી ખાતે રાખેલ છે. નરેશભાઇ અધ્યારૂ (મો. ૯૪ર૮૭ ૦૮૮૪૦)

અવસાન નોંધ

મુકતાબેન ડોડીયા

રાજકોટ : લુહાર ડોડીયા (કાલાવડ વાળા) સ્વ. ડાયાલાલ કાનજીભાઇ ડોડીયાના ધર્મપત્ની તે હરગોવિંદભાઇ તેમજ નવીનભાઇ ના માતુશ્રી મુકતાબેન ડાયાલાલ ડોડીયાનું (ઉ.વ.૭૮) તા. ર૦ ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. રર ને સાંજે ૪ થી ૬ શુક્રવારે 'ક્રિષ્ના' કવાટર નં. ૪ર, કોઠારીયા કોલોની ખાતે રાખેલ છે. હરગોવિંદભાઇ મો. ૯૮૭૯૪ ૯૯૪૬૮, ભાર્ગવ મો. ૯૪ર૮ર ર૪૪૪૪

નૌતમલાલ ખીરા

રાજકોટ : સારસ્વત બ્રાહ્મણ નૌતમલાલ ચુનીલાલ ખીરા (ઉ.૮૧) નું તા. ૧૮ ના અવસાન થયેલ છે. તે અમિતભાઇના પિતાશ્રી તથા ભાનુભાઇ, ચંપકભાઇ, ગુણવંતભાઇના ભાઇ, સ્વ. કેશવલાલ જીવરામ જોષી (એન) ગોંડલના જમાઇ, સ્વ. હર્ષદરાય તથા પ્રફુલચંદ્રના બનેવી, તેમજ મુકેશભાઇ, રાજૂભાઇ, ભરતભાઇ, વિરલભાઇના કાકા, જિતાક્ષ, જેનીસ, ભાવીન, રવિ, શિવમના દાદાનું બેસણું તા. ર૧ ને ગુરૂવારે ઓમ રામનગર શેરી નં. પ, પી. ડી. એમ. કોલેજની પાસે, ગોંડલ રોડ, મુકામે સાંજે ૪ થી પ રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. અમીતભાઇ મો. ૯૦૯૯૯ પ૯૯૧૯

રસીલાબેન વાટીયા

રાજકોટ : રસીલાબેન રઘુભાઇ વાટીયા, તે હાલ (રાજકોટ) મુળ ગામ ખાસીયાની પુત્રીનું તા. ૧૮ ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ર૧ ૪ થી ૬ ઉદેશ્વર મંદિર શ્રીનાથજી સોસાયટી શેરી નં. પ, ખાતે રાખેલ છે. મો. ૯૩૭૪૬ ૮૦૬૦૭

જસુમતીબેન ભટ્ટ

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ અ.સૌૈ. જસુમતીબેન હરસુખલાલ ભટ્ટ (ઉ.વ.૭૪) (હાલ રાજકોટ નિવાસી મુળ રાણાવાવ)નું તે ડો. હરસુખલાલ મોહનલાલ ભટ્ટના ધર્મપત્નિ રાજેશભાઇ ભટ્ટ, નીલાબેન લલીતભાઇ વ્યાસ, જીજ્ઞાબેન હસીતભાઇ જોષી, પ્રજ્ઞાબેન અતુલભાઇ ભટ્ટના માતુશ્રી તથા દિપાબેન રાજેશભાઇ ભટ્ટના સાસુનું તા.૨૦ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તેમના નિવાસ સ્થાને  રાજકોટ તા.૨૧ના ગુરૂવારે સાંજે ૫ થી ૬ માં રાખેલ છે. મો.૮૯૮૦૦ ૧૪૦૯૧, ૭૦૧૬૯ ૦૫૨૪૪

રમાબેન કાનાબાર

જૂનાગઢ : ગં.સ્વ.રમાબેન નંદલાલ કાનાબાર (ઉવ.૮૬) તે અ.નિં.નંદલાલ વૃજલાલ કાનાબાર (સાસણ-જૂનાગઢ)ના ધર્મપત્નિ તથા સ્વ.માધવજી ધરમશીભાઇ કોટેચા (ચલાલા-સુરત)ના પુત્રી, કનુભાઇના ભાભીશ્રી તથા મહેન્દ્રભાઇ-ભરતભાઇ-ભૂપતભાઇ-રાજુભાઇ (ભુપેન્દ્ર ટ્રેડીંગ કાું.) તથા રંજનબેન સુચકના માતૃશ્રી તથા આનંદ-ધવલ-નીલય-કેવલ-સંકેત-મહર્ષિના દાદીશ્રી-ઝીવાના પરદાદી તા. ૧૯ મંગળવારના રોજ અક્ષર નિવાસી થયા છે. સદગતની પ્રાર્થના સભા તથા પિયર પક્ષની સાદડી તા. ૨૧ ને ગુરૂવારના રોજ ૪ થી ૬ જાગનાથ મંદિર, જલારામ સોસાયટી,જૂનાગઢ ખાતે રાખેલ છે.

વિજયાબેન ડાભી

રાજકોટઃ કારડીયા રાજપુત વિજયાબેન નારણભાઇ ડાભી તા.૨૦ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. જેનુ બેસણું તા.૨૨ને શુક્રવારે કારડીયા રજપુતની વાડી ૧૫૦ ફુટ રીંગ રોડ મવડી ચોકડી પાસે રાખેલ છે. રણજીતસિંહ એન ડાભી, સ્વ. ખોડુભાઇ એન ડાભી, મેહુલભાઇ એન ડાભી, નાથુભાઇ એમ ડાભી, માધુભાઇ એમ ડાભી, સ્વ. બિપીનભાઇ એમ ડાભી મોે.૯૭૨૭૬ ૫૨૪૪૫, ૯૭૨૬૫  ૯૯૬૨૭, ૯૯૭૮૩ ૩૧૧૨૭

મનસુખભાઇ શિંગાળા

રાજકોટઃ ધોરાજી નિવાસી મનસુખભાઈ બાવનજીભાઈ શિંગાળા (ઉં.વ.૭૩) તે કલ્પેશભાઈ શિંગાળાના પિતા અને કે. ઓ. શાહ કોલેજના પૂર્વ કર્મચારીનું તા. ૧૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું ધોરાજી મુકામે તા. ૨૧ને ગુરૂવારે સાંજે પ થી ૬ કલાકે, તેમના નિવાસસ્થાન પાસે સેનવાડી, ધોરાજી ખાતે રાખેલ છે.

કાન્તાબેન વાઘેલા

રાજકોટઃ સ્વ.કાન્તાબેન શામજીભાઈ વાઘેલા (ઉ.વ.૯૦, મુળગામ- જામસર, હાલ- રાજકોટ) નું તા.૧૯ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ને શુક્રવારે સાંજે ૪ થી ૬ હસનવાડી શેરી નં.૨, બજરંગ ચોક રંગીલેશ્વર મહાદેવ મંદીર રાજકોટ ખાતે રાખેલ છે. મહેશભાઈ વાઘેલા (પુત્ર) મો.૭૬૦૦૭ ૦૫૫૭૫, દિનેશભાઈ વાઘેલા મો.૯૮૨૪૧ ૯૦૦૨૩, તેજસભાઈ વાઘેલા (પૌત્ર) મો.૯૯૦૪૮ ૪૨૮૮૩, ઉતમભાઈ વાઘેલા મો.૯૭૨૪૩ ૩૦૭૩૭ (પૌત્ર), હરીકૃષ્ણ વાઘેલા (પૌત્ર) મો.૬૩૫૫૬ ૧૬૭૪૧

દિનેશભાઇ હરસોરા

રાજકોટઃ લુહાર દિનેશભાઇ મનસુખભાઇ હરસોરા (ઉ.વ.૬૬) તે દિલીપભાઇ, જગદીશભાઇ, મયુરભાઇ, હંસાબેન (રાજકોટ) ઉર્મિલાબેનના મોટાભાઇ તથા મોહીત, રીટા, હિરલ, કાશ્મીરા, મનીષા, વિત્યાના પિતાશ્રી તેમજ હિતેષના મોટા બાપુજીનું તા.૨૦ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

નટવરસિંહ જાડેજા

રાજકોટઃ સ્વ.નટવરસિંહ બાલભા જાડેજા તા.૧૯ના રોજ સ્વગવાસ પામેલ છે. જેઓનું બેસણું તા.૨૧ ગુરૂવાર સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાજનગર- શેરી-૧, રાજકોટ ખાતે રાખેલ છે.