Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021
અવસાન નોંધ

ચુતરભાઈ માંડવીયા

રાજકોટઃ સણોસરા વાળંદ ઉકાભાઈ નરસીભાઈ માંડવીયાના પુત્ર ચતુરભાઈ ઉકાભાઈ માંડવીયા તે છગનભાઈ ઉકાભાઈ તથા બાબુભાઈ તથા હકાભાઈ તથા ધીરૂભાઈના નાનાભાઈનું તા.૨૧ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૫ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. સણોસરા મુકામે તેમજ તે વાઘપર નિવાસી સ્વ.પરસોત્તમભાઈ ભુરાભાઈ સુરણીના જમાઈનું તા.૨૧ રવિવારે અવસાન થયેલ છે.

રાજારામ મેસવાણીયા

રાજકોટઃ રાજારામ માધવદાસ મેસવાણીયા (ઉ.વ.૪૮) ગામ નાંદુરી લાલપુર હાલ રાજકોટ તે અરવિંદભાઈ મેસવાણીયાના ભાઈ મુકેશભાઈ મેસવાણીયાના મોટાભાઈ તથા જીવણદાસબાપુ સરપદડીયાના જમાઈ તથા પાર્થ મેસવાણીયાના પિતાનું તા.૧૯ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સ્થળ-પ્રિયદર્શન સો.શેરીનં.૫ મવડી પ્લોટી

મુકતાબેન ચોવટીયા

રાજકોટઃ રાણપુર (સોરઠ) નિવાસી હાલ વડિયા મુકતાબેન શાંતિલાલ ચોવટીયા (ઉ.વ.૯૦) તે સ્વ.જેચંદભાઈ હીરાચંદભાઈ દોશી (ઢોળવા વાળા)ના પુત્રી તથા તે સ્વ.ગુણવંતીબેન ગુણવંતરાય મોદી તેમજ સ્વ.જયંતિભાઈ, મનસુખભાઈ, વિનુભાઈના બેનનું તા.૧૯ને શુક્રવારના રોજ અરિહંતશરણ પામેલ છે.

ભારતીબેન વિઠલાણી

રાજકોટઃ સ્વ.ઈશ્વરલાલ હિરાલાલ વિઠલાણીના ધર્મપત્નિ ભારતીબેન (ઉ.વ.૬૭) તે કિરણબેન તથા અશોકભાઈના માતુશ્રી, અમીષકુમાર (એલ.આઈ.સી.) તથા ચાંદનીબેનના સાસુ તે સ્વ.મુકેશભાઈ, હસમુખભાઈ, વજુભાઈ તથા જગદિશભાઈના બહેન તે તિર્થ, વંશીના દાદી તે રોહન, આયુષિના નાની તા.૨૧ને રવિવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું/ સાદડી તા.૨૨ સોમવારે સાંજે ૪ થી ૪:૩૦ રાખેલ છે. કિરણબેન મો.૯૪૦૮૭ ૦૧૯૧૧, અશોકભાઈ મો.૯૧૩૭૭ ૨૩૪૩૨, હસમુખભાઈ (મોસાળ) મો.૯૦૧૬૦ ૫૩૮૪૫, રહે. સુર્યકૃપા, રાવલનગર-૩, રાજકોટ

ગુલુભાઈ મુલતાની

વિસાવદરઃ ગુલુભાઈ મુલતાની (નિવૃત શિક્ષક) તે દિલાવરભાઈ (જીઈબી) તથા સલીમભાઈના પિતાશ્રીનું તા. ૨૦ના રોજ અવસાન થયેલ છે. તેમનુ બેસણુ તા. ૨૨ના રોજ નિવાસ સ્‍થાન ગાયત્રી પ્‍લોટ, વિસાવદર ખાતે સાંજે ૫ થી ૭ રાખેલ છે.(૨-૧૦)

હંસાબેન કાંજીયા

મોરબીઃ કાંજીયા મહેશભાઈ પોપટભાઈ (વાણંદ)ના પત્‍ની હંસાબેન કાંજીયા (ઉ.વ.૬૩) તે રમેશભાઈ, વસંતભાઈ અને નવીનભાઈના ભાભી તેમજ સંદીપભાઈના માતા તા.૨૧ના રોજ રામચરણ પામેલ છે. સદગતનું બેસણું તા.૨૨ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે ત્રિલોકધામ મંદિર, કુબેરનગર મોરબી  રાખેલ છે.