Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021
અવસાન નોંધ

જસવંતલાલ પારેખ

રાજકોટ :.. જુનાગઢ નિવાસી હાલ અમેરિકા જશવંતલાલ માધવલાલ પારેખ (ઉ.વ.૯ર) (વલ્લભજી ભાણજી કાપડવાળા) તે મુકેશભાઇ, હિમાંશુભાઇ, રશ્મિબેન ધીરેનભાઇ, દર્શનાબેન વિજયભાઇ, જયોતિબેન વિમલભાઇના પિતા તેમજ પારૂલબેન મુકેશભાઇ, બીના હિમાંશુભાઇના સસરાનું સોમવાર તા. રર ના રોજ વૈકુંઠવાસ થયેલ છે. 

તારાબેન ઔધીયા

વીરપુર (જલારામ) : સ્વ. ઠા. નટવરલાલ ત્રિભોવનદાસ ઔધીયાના ધર્મપત્ની તારાબેન (ઉ.વ.૮પ) તે પ્રકાશભાઇ, ચંદ્રકાંતભાઇ, મુકેશભાઇ, પરેશભાઇ, સોનાબેન વિનોદકુમાર સોમૈયા (માથક) તથા રૂપાબેન રાજેશભાઇ માણેક (મુંબઇ) ના માતુશ્રી તેમજ વલ્લભજી પરસોતમભાઇ સૂબા (મેંદરડા)ના દીકરીનું તા. રર ને સોમવારના  રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તથા પીયર પક્ષની સાદડી તા. રપ ને ગુરૂવારે સાંજના ૪ થી પ લોહાણા મહાજનવાડી વીરપુર (જલારામ) ખાતે રાખેલ છે.

પ્રફુલચંદ્ર પંડયા

કેશોદ : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ પ્રફુલચંદ્ર નાનાલાલ પંડયા તે વિનોદભાઇ, સ્વ. રમણીકભાઇ તથા હરેશભાઇના ભાઇ સંધ્યાબેન અને તન્વીબેન પુરોહીતના પિતાશ્રી તથા વિશાલ પંડયાના દાદાનું તા. રર ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા. રપ ને ગુરૂવારે, સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાને, કામધેનુ પાર્ક, બાપા સીતારામના મંદિર પાછળ (રણછોડનગર) તેમજ તા. ર૬ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ વિનોદભાઇ પંડયાના નિવાસસ્થાને, 'ચંદ્ર કિરણ' અનુરાધા સોસાયટી, આલાપ કોલોની, માંગરોલ રોડ, બાપુની દુકાન પાસે, રાખેલ છે. વિનોદભાઇ મો. ૮ર૦૦૩ ૧૪૭૮૯, સંધ્યાબેન મો. ૯૮૭૯૧ ૩૬૭૬૬, તન્વીબેન મો. ૯૩ર૭૬ ૧૭૮૭૮

ભગવાનદાસ ચત્રભુજ

સડોદર : ચત્રભુજ ભગવાનદાસ વિઠ્ઠલદાસ (ઉ.વ.૬૯) તે દિલીપભાઇ ચત્રભુજ વૈશ્નવ અંજનાબેન બલરામભાઇ (જુનાગઢ)  કુબાવત વંદનાબેન સચિનભાઇ (રાજકોટ)નાં  પિતાશ્રી કારતક વદર-ર તા. ર૧ રવિવારે રામચરણ પામ્યા છે.

દિનેશભાઇ કારિયા

જુનાગઢ : દિનેશભાઇ નાનાલાલ કારીયા (ઉ.૬૦) તે પરેશભાઇ અને પુષ્પાબેન પ્રભુદાસ ગોંધીયાના ભાઇ તથા પ્રિન્સભાઇના પિતાનું તા. ર૧ ના રોજ અવસાન થયેલ છે.

વ્રજલાલભાઇ કુબાવત

જુનાગઢ : ગામ રવની સ્વ. વૃજલાલભાઇ રામકૃષ્ણભાઇ કુબાવત તેઓ મુનેશભાઇ અને ગીરીશભાઇના પિતાશ્રીનું અવસાન થયું છે. બેસણુ રવની ગામે તેઓના નિવાસ સ્થાને તા. રપ મીએ ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૬ રાખેલ છે.

ઇલાબેન કોટક

રાજકોટઃ અ.સૌ. સ્વ. ઇલાબેન ભરતભાઇ કોટક (ઉ.વ.૩૬) તે સ્વ. પ્રેમજીભાઇ ઓધવજી કોટકના પુત્ર શ્રી ભરતભાઇ પ્રેમજીભાઇ કોટકના પત્નિ તેમજ સ્વ. જયસુખલાલ કાનજીભાઇ કારીયાના સુપુત્રીનું તા.૨૨ના રોજ  દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તથા પીયરપક્ષની સાદડી તા.૨૫ને ગુરૂવારે સાંજે ૫ કલાકે રામદેવપીર મંદિર, પોપટપરા મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૭૨૨૨ ૭૫૮૯૦

સવિતાબેન ખખ્ખર

રાજકોટઃ કાલાવડ નિવાસી (હાલ રાજકોટ) સ્વ. ઠા મગનલાલ હિરજીભાઇ ખખ્ખરના પત્નિ સ્વ. સવિતાબેન (ઉ.વ.૭૭)ને સ્વ.  પરસોતમભાઇના નાનાભાઇના પત્નિ તેમજ કિરીટભાઇના ભાભી તેમજ નરોતમ, રતિલાલ, મહેશ, નિરૂબેન રાજાણી, જયાબેન દાવડા, અનીલાબેન બથીયાના માતુશ્રી તેમજ લક્ષિત, શ્લોક, લીના દીલસીયાના દાદી તેમજ સ્વ. મોહનભાઇ ભગવાનજીભાઇ અઢીયાના દિકરીનું તા.૨૨ના દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું / સાદડી તા.૨૫ ગુરૂવારે સાંજે ૪ થી ૫ શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિર મવડી રોડ ખાતે રાખેલ છે. નરોતમભાઇ (નટુભાઇ) ૯૩૭૪૧ ૨૧૭૯૬,  રતીલાલભાઇ ૯૯૭૯૫ ૬૯૫૬૮, મહેશભાઇ ૯૯૦૯૨ ૩૦૫૨૧

જશુમતીબેન મોરી

રાજકોટઃ કારડીયા રાજપુત જશુમતીબેન (બચીબેન) બચુભાઇ મોરી ગોંડલવાળા શ્રીજીચરણ પામેલ છે. તેઓનું બેસણું તા.૨૫ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સુરસિંહ (શંકરભાઇ) નારાયણસિંહ ગોહેલ શ્રીનાથજી સોસાયટી શેરી નં.૭, મવડી મેઇન રોડ રાજકોટ વિક્રમસિંહ ૯૪૨૭૯ ૫૮૮૦૬, જગદીશભાઇ ૮૪૬૦૦ ૦૦૧૩૩

 શારદાબેન પરમાર

રાજકોટઃ શારદાબેન (ઉ.વ.૬૦) તે સ્વ. સુંદરભાઇ કેશુભાઇ પરમારના પત્નિ તથા ધર્મેશભાઇ, પીન્ટુભાઇ, અમીતભાઇ તથા સ્વ. વિપુલભાઇના માતુશ્રી તથા નૈતિકના દાદીમાનું તા.૨૨ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૫ને ગુરૂવારના રોજ બપોર ૩ થી ૫ વાગ્યા સુધી ખોડીયાર મંદિર  લક્ષ્મીનગર શેરી નં.૨ ખાતે રાખવામાં આવેલ છે.