Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022
જસદણ વણિક સમાજના અગ્રણી હિંમતભાઈ બાબરીયાનું અવસાન : કાલે ઉઠમણું

જસદણ : દશા મોઢ માંડલિયા વણિક હિંમતલાલ મગનલાલ બાબરીયા (ઉંમર વર્ષ ૮૨), તે શશીકાંતભાઈ, વાડીલાલભાઈ, ચંદ્રકાંતભાઈના ભાઈ તેમજ અતુલભાઇ તથા નિલેશભાઈ ના પિતાશ્રીનું તારીખ ૨૦ના અવસાન થયેલ છે.

ઉઠમણું તારીખ ૨૪ ને ગુરૂવારે સાંજે ચાર થી પાંચ,  ગાયત્રી મંદિર, નવા બસ સ્‍ટેશન સામે, જસદણ ખાતે રાખવામાં આવ્‍યું છે.

રાજકોટની ગૌશાળા-ઉપાશ્રયના  સેવાભાવી જીતેન્‍દ્રભાઇ કોઠારીનુ અવસાન

રાજકોટ : ગૌશાળાના સેવક ઉપાશ્રયમાં સેવા આપતા જીતેન્‍દ્રભાઇ છગનલાલ કોઠારી (ઉ.વ.૭પ) તે ગં. સ્‍વ. શિલાબેન જીતેન્‍દ્રભાઇ કોઠારીના પતિ, મનજીભાઇ, પારૂલબેન, ચારૂલબેનના પિતા તેમજ સરલાબેન જયમનભાઇ મહેતા, દિનેશભાઇ, પ્રકાશભાઇ કોઠારીના ભાઇ તથા અમોઘના દાદા, તેજસ, ભૂમિ, આયુષી, ઇશિતાના નાનાનું તા. ૧૮ ના અવસાન થયું છે. સદ્‌્‌ગતનું ઉઠમણું તથા પ્રાર્થના સભા તા. ર૪ ને ગુરૂવારે સવારે ૧૦.૩૦ થી ૧ર સદર ઉપાશ્રય, ૧પ પંચનાથ રાજકોટ ખાતે રાખેલ છે.

એસબીઆઇના ભૂતપૂર્વ અધિકારીપ્રભુદાસભાઇના ધર્મપત્‍નીનું નિધન

રાજકોટ : સ્‍વ. વાસંતીબેન પ્રભુદાસભાઇ વિઠલાણી (ઉ.વ.૭૭) તે પ્રભુદાસભાઇ વિઠલાણી (એસબીઆઇ) ના ધર્મપત્‍ની, તે પોરબંદરવાળા સ્‍વ. મોહનલાલ વસંનજી કોટેચાના સુપુત્રી તે દિપેશભાઇ, ચિરાગભાઇ તથા જલ્‍પાબેન પરેશભાઇ વાઘાણીના માતુશ્રી દર્શન-યશેષના દાદીમા અને જીત વાઘાણીના નાનીમાનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્‌્‌ગતની પ્રાર્થનાસભા રામેશ્વર મહાદેવ મંદિરે, ગીતગુર્જરી સોસાયટી મેઇન રોડ, રામેશ્વર મંદિર ચોક તા. ર૪ ને ગુરૂવારના સાંજે ૪.૩૦ થી પ.૩૦ રાખેલ છે.

અવસાન નોંધ

એસબીઆઇના ભૂતપૂર્વ અધિકારી પ્રભુદાસભાઇના ધર્મપત્‍નીનું નિધન

રાજકોટ : સ્‍વ. વાસંતીબેન પ્રભુદાસભાઇ વિઠલાણી (ઉ.વ.૭૭) તે પ્રભુદાસભાઇ વિઠલાણી (એસબીઆઇ) ના ધર્મપત્‍ની, તે પોરબંદરવાળા સ્‍વ. મોહનલાલ વસંનજી કોટેચાના સુપુત્રી તે દિપેશભાઇ, ચિરાગભાઇ તથા જલ્‍પાબેન પરેશભાઇ વાઘાણીના માતુશ્રી દર્શન-યશેષના દાદીમા અને જીત વાઘાણીના નાનીમાનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્‌્‌ગતની પ્રાર્થનાસભા રામેશ્વર મહાદેવ મંદિરે, ગીતગુર્જરી સોસાયટી મેઇન રોડ, રામેશ્વર મંદિર ચોક તા. ર૪ ને ગુરૂવારના સાંજે ૪.૩૦ થી પ.૩૦ રાખેલ છે.

હસમુખભાઈ પોપટ

રાજકોટઃ સ્વ.ચંદુલાલ અમરશીભાઈ પોપટ (ઢોલરાવાળા)ના પુત્ર હસમુખભાઈ ચંદુલાલ પોપટ (ઉ.વ.૬૫) (બાલાજી  સ્વીટ એન્ડ કેટરર્સવાળા) તે વિનુભાઈ, શશીકાંતભાઈ, દિલીપભાઈ, પ્રફુલભાઈના મોટાભાઈ તથા સરોજબેન પ્રમોદભાઈ જસાણી, કોકીલાબેન જીતેન્દ્રભાઈ કેસરીયા, સ્વ.જયશ્રીબેન પરાગભાઈ ચંદારાણાના ભાઈ તેમજ અજય, હેતલના પિતાશ્રીનું તા.૨૨ના મંગળવારે અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૨૪ ગુરૃવારે સાંજે ૪ થી ૫ કલાકે, ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર મેઈન રોડ, મારૃતિ શો- રૃમ વાળી શેરી, ૧૫૦ ફૂટ રીંગ રોડ, ગાંધીધ્રામ સામે, નાણાવટી સર્કલથી આગળ, રાજકોટ ખાતે રાખેલ છે

વિણાબેન વ્યાસ

રાજકોટઃ રાજકોટ નિવાસી વિણાબેન (ઉ.વ.૮૪) તે હરગોવિંદભાઈ નરભેરામભાઈ વ્યાસના ધર્મપત્નિ તથા બકુલભાઈ તથા સ્મિતાબેન ભરતભાઈ શુકલના માતુશ્રી તેમજ સ્વ.ચંદ્રકાંતભાઈના ભાભી તેમજ અરૃણ, ધર્મેશ, જીગ્નેશ અને દેવાંગના કાકીનું તા.૨૨ મંગળવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૪ ગુરૃવારે બપોર બાદ ૪ વાગ્યે અમરનાથ મહાદેવ મંદીર, યોગીવંદના પ્લોટ, કાલાવડ રોડ, સ્વામીનારાયણ મંદીર પાછળ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. (મો.૯૮૨૫૪ ૭૯૧૬૯) પિયરપક્ષનું બેસણું પણ તેજ જગ્યાએ રાખેલ છે.

પ્રવિણાબેન દવે

રાજકોટઃ યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ સ્વ.પ્રવિણાબેન પ્રવિણભાઇ દવે તે પ્રવિણભાઇ જયંતિલાલ દવેના ધર્મપત્નિ તથા અમિત દવે, હિનાબેન નરેશકુમાર દવે (મુંબઇ), સોનલ જતીનકુમાર દવે (અમદાવાદ)ના માતૃશ્રી જાગૃતીબેનના સાસુ તથા મહેન્દ્રભાઇ તથા કિરીટભાઇના ભાભી તા.૨૨-૧૧-૨૨ના રોજ કૈલાસવાસ થયેલ છે સદગતનું ઉઠમણું તા.૨૪ના ગુરૃવારે સાંજે ૫ થી ૬ તેમના નિવાસસ્થાન ધર્મનગર સોસાયટી શેરી નં.૨, સદભાવના હોસ્પિટલ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

રમાબેન મશરૃ

રાજકોટઃ રમાબેન ધારશીભાઇ મશરૃ (ઉ.વ. ૮૮) જેતપુર વાળા તે કિશોરભાઇ, હંસાબેન, શારદાબેન, નયનાબેન, નીતાબેનના માતુશ્રી પ્રિતેશ, અંકિત, સ્વાતીના દાદીમા તા. ૧૯ના ગોકુલ મથુરા શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણું તા. ર૪ના સાંજે ૪ થી પ જાગનાથ મહાદેવ મંદિર યાજ્ઞિક રોડ, રાજકોટ તથા જેતપુર બેસણું તા. રપના સાંજે ૪ થી પ નવી લોહાણા મહાજન વાડી નવાગઢ રોડ, જેતપુર, પીયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

સુલોચનાબેન ભટ્ટ

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ, સુલોચનાબેન જયંતિલાલ ભટ્ટ (ઉ.વ. ૯૭) તે સુધાબેન નલિનભાઇ જોષીનાં (રેલ્વે) માતુશ્રી તેમજ રાજુભાઇ જોષી (અમદાવાદ)નાં બા, તેમજ તારાબેન, સ્વ. મુકતાબેન (મુંબઇ), સ્વ. મંગળાબેન (જેતપુર) નાં બહેન તેમજ હિરેનભાઇ (રેલ્વે) અને કુનાલભાઇનાં નાનીમાંનું તારીખ રરનાં રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ર૪ ને ગુરૃવારે સાંજે ૪-૦૦ થી ૬-૦૦ ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર સોસાયટી, શેરી નં. ૪, સ્ટર્લીંગ હોસ્પી. પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

રમેશચંદ્ર દવે

જામનગર : ચા. મ. મો. બ્રાહ્મણ મુળ ધ્રોલ હાલ જામનગર સ્‍વ. માનશંકર મગનલાલ દવે તથા ગં. સ્‍વ. મંજૂલાબેનના પુત્ર રમેશચંદ્ર માનશંકર દવે (ઉ.વ.૭૧) તે અનંતરાય તથા સ્‍વ. ભરતભાઇ તથા દિનેશભાઇ તથા મધુબેન ડી. રાજયગુરૂના ભાઇ તથા મનોરમાબેનના પતિ, રીનાબેન હાર્દિકકુમાર ઉપાધ્‍યાય તથા પરેશભાઇના પિતા, સ્‍વ. બાબુલાલ મણીશંકર જોશી (ખાનપર) ના જમાઇનું તા. ર૧ ને સોમવારના અવસાન થયેલ છે. ઉઠમણું તથા બેસણું બંને પક્ષનું તા. ર૪ ને ગુરૂવારના સાંજે ૪-૩૦ થી પ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર કે. વી. રોડ જામનગર રાખેલ છે.

વિનોદબેન પાટડીયા

રાજકોટ : ઢોલરાવાળા સોની ગો. વા. હરિલાલ ઓધવજી પાટડીયાના પુત્રવધુ તે સોની રમણીકલાલ હરિલાલના ધર્મપત્‍ની તે રાજુભાઇ ગો. વા. અનિલભાઇ કુસુમબેન, દેવીન્‍દ્રાબેન, જયશ્રીબેનના માતુશ્રી તે ગો. વા. સોની જગજીવનભાઇ અમૃતલાલ માંડલીયાના દિકરી મુકેશભાઇના મોટાબેન વિનોદબેન (ઉ.વ.૭૮) તા. ર૧ ના શ્રીજીચરણ પામેલ છે. સદ્‌્‌ગતનું બંને પક્ષનું બેસણું તા. ર૪ ને ગુરૂવારે ૩ાા થી પ વાઘેશ્વરી વાડી યુનિટ નં. ૩, રામનાથપરા ખાતે રાખેલ છે. લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે.

શનિ ખંધેડીયા

રાજકોટ : શની (રાધે) (ઉ.વ.ર૬) તે ઇલાબેન (આચાર્ય, વીશીપરા કુમાર પ્રાથમિક શાળા, વાંકાનેર) ભરતભાઇ વલ્લભભાઇ ખંધેડીયાના પુત્ર, જસ્‍મીનભાઇ (રઘુવંશી મોબાઇલ)ના નાના ભાઇ, જીતુભાઇ (ફ્રુટવાળા) ગણાત્રા તથા જયોત્‍સનાબેન હરેશકુમાર જોબનપુત્રાના ભાણેજ, તે મહેન્‍દ્રભાઇ ખંધેડીયા તથા હીનાબેન શીંગાળાના ભત્રીજા, તે તા. ર૦ ના શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણું તથા મોસાળ પક્ષની સાદડી તા. ર૪ ને ગુરૂવારે સાંજે ૪ થી પ, રામેશ્વર મંદિર, સુતા હનુમાનજીવાળી શેરી, કોઠારીયા રોડ, ખાતે રાખેલ છે.

જયેશભાઇ રાડીયા

રાજકોટ : નાથાલાલ લીલાધર રાડીયા પરિવારના અને હાર્દિક જયેશ રાડીયા તથા શ્રી દર્શન જયેશ રાડીયાના પિતાશ્રી જયેશ તુલસીદાસ રાડીયા (ઉ.વ.૬ર) નું અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા. ર૪ સાંજે ૪ થી ૬ પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, ખાતે રાખેલ છે. સ્‍વસુરપક્ષ ગોરધનદાસ ગોકુલદાસ મશરૂ, ભાવનગરની પ્રાર્થના સભા આ સાથે રાખેલ છે.

ધર્મિષ્‍ઠાબેન ધુલીયા

રાજકોટ : ધોરાજી નિવાસી હાલ રાજકોટ સ્‍વ. શરદચંદ્ર છોટાલાલ ધુલીયાના ધર્મપત્‍ની ધર્મિષ્‍ઠાબેન શરદચંદ્ર ધુલીયા (ઉ.વ.૭૮) તેઓ પરેશભાઇ ધુલીયા (એકઝીકયુટીવ એન્‍જીનીયર, પીજીવીસીએલ) ના માતુ, નિશાબેન પરેશભાઇ ધુલીયાના સાસુ, તેઓશ્રી નેન્‍સી ધુલીયા (યુનિયન બેંક ઓફ ઇન્‍ડીયા) તથા આકાશ ધુલીયાના દાદીશ્રીનું તા. રર ના અવસાન થયેલ છે. ઉઠમણુ તથા પ્રાર્થના સભા તા. ર૪ ને ગુરૂવારે સવારે ૯ કલાકે વિતરાગ ઉપાશ્રય, ગાંધીગ્રામ, ખાતે રાખેલ છે.

આરતીબેન ધોળકીયા

રાજકોટ :.. મુ. જુનાગઢ હાલ રાજકોટ સોની ભરતભાઇ હરીદાસભાઇ ધોળકીયાના પુત્રવધુ તે અભિષેક ભરતભાઇ ધોળકીયાના ધર્મપત્‍ની આરતીબેન તે કુ. ઉત્‍સાહ, ખુશી, ભવાનના માતુશ્રી, તે ગાંધીધામ નિવાસી હર્ષદભાઇ જેન્‍તીલાલ ગુસાણીના પુત્રી તા. ર૦ ના શ્રીજીચરણ પામેલ છે. તેનું બેસણુ ગુરૂવાર તા. ર૪ ના સાંજે ૪ થી ૬, શુભ એવન્‍યુ, પુજારા પ્‍લોટ મેઇન રોડ, ખાતે રાખેલ છે.

વિસ્‍મિત મહેતા

રાજકોટઃ મોઢ વણિક કિર્તીભાઈ હરિલાલ મહેતા (ફલ્લા વાળા) હાલ રાજકોટના પુત્ર વિસ્‍મિત (ઉ.વ.૩૫) તે સ્‍વ.કનૈયાલાલ અરવિંદભાઈ, જયેન્‍દ્રભાઈ, હરગોવિંદભાઈ, અલ્‍કાબેન તથા ભાવનાબેનના ભત્રીજા, એશાબેનના પતિ, પ્રિયંકાના ભાઈ અને જયેશભાઈ લલિતભાઈ ગાંધી (રાજકોટ)ના જમાઈનું તા.૨૨ના અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૨૪ના ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦, સોમેશ્વર મહાદેવ મંદિર, રવિરત્‍ન પાર્ક મેઈન રોડ, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.(૩૦.૩)

ઘનશ્‍યામભાઈ દત્તાણી

રાજકોટઃ ઘનશ્‍યામભાઈ રતિભાઈ દત્તાણી (ઉ.વ.૭૦) તા.૨૧ને સોમવારના રામચરણ પામેલ છે. તે શિલાબેનના પતિ, કિશોરભાઈ, સ્‍વ.કાંતિભાઈ, હસમુખભાઈ, સ્‍વ.કિશનભાઈ, કમલેશભાઈના ભાઈ તથા ચંદ્રિકાબેનના પિતા તેમજ કિરણભાઈ રજનીકાંતભાઈ કારીયાના બનેવીનું બેસણું તા.૨૪ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ અમૃતેશ્વર મહાદેવ મંદિર, અમૃતા સોસાયટી, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રૈયા ટેલીફોન એકસચેન્‍જની સામે, રાજકોટ ખાતે રાખેલ છે. સસરા અને પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

નટવરલાલ બોસમિયા

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય નટવરલાલ સુંદરજી બોસમિયા, તે વિશાલ, હેમા જગદીશભાઈ આશરા, તૃપ્‍તિ વિમલભાઈ આશરાના પિતાશ્રી તથા સ્‍વ.ચંદ્રકાંત સુંદરજી બોસમિયાના નાનાભાઈ તા.૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૨૪ના સવારે ૧૦ વાગ્‍યે સિતળા માતાના મંદિરે રાખેલ છે.

સવજીભાઈ સુરાણી

રાજકોટઃ મુળગામ સતીયા હાલ રાજકોટ વાણંદ સવજીભાઈ પ્રેમજીભાઈ સુરાણી (ઉ.વ.૭૫) તે મુકેશભાઈ (મો.૭૭૭૮૮ ૮૧૦૭૩) તથા અશોકભાઈ (મો.૯૯૭૯૪ ૯૯૮૩૨)ના પિતાશ્રી તથા રમેશભાઈ મોહનભાઈ શિશાંગીયાના સસરા તથા સ્‍વ.ધીરૂભાઈ શિશાંગીયા (પીપળવારા)ના સાળા તથા અરવિંન્‍દભાઈ ધામેલીયાના સાળા તથા સ્‍વ.રમેશભાઈ માધવજીભાઈના બનેવી તા.૨૦ના રવિવારે રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૪ના ગુરૂવારે ૪ થી ૬ કોઠારીયા રોડ ગોકુલ પાર્કની બાજુમાં શ્‍યામ પાર્ક-૧ તેમના નિવાસસ્‍થાને રાખેલ છે.

ભાનુમતીબેન શેઠ

જામનગર : મુળ જોડીયા હાલ જામનગર સ્‍વ. હરસુખલાલ વેલજીભાઇ શેઠના પત્‍ની ભાનુમતીબેન હરસુખલાલ શેઠ તે જયેશભાઇ તથા સ્‍વ. પરેશભાઇ શેઠના માતુશ્રી તેમજ વૈભવ, પ્રિયાંક, યશ અને ભવન શેઠના દાદી તે સ્‍વ. નાથાલાલ ચત્રભુજ વસાના પુત્રી અરિહંત શરણ પામેલ છે. ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. ર૪ ને ગુરૂવારના રોજ સવારે ૯.૩૦ કલાકે તથા પ્રાર્થના સભા સવારે  ૧૦.૩૦ વાગે કામદાર વાડી, અંબર સીનેમા પાસે રાખેલ છે.

પિયુષભાઇ ધડુક

 ગોંડલ : ઘોઘાવદર નિવાસી પિયુષભાઇ રમેશભાઈ ધડુક ઉ.૩૩ નુ તા.૨૧ ના અવસાન થયુ છે.બેસણુ તા.૨૩  બુધવાર ના ૩ થી ૬ તેમના નિવાસસ્‍થાન ઘોઘાવદર ખાતે રાખેલ છે.

ત્રંબકલાલ બોસમીયા

રાજકોટઃ ક્ષત્રિય મહુવા નિવાસી હોલ રાજકોટ ત્રંબકલાલ છોટાલાલ બોસમીયા (ઉ.વ.૩૬)તા. ૨૧ના સોમવારે રોજ શ્રીજી ચરણ પામ્‍યા છે. તે કેતનભાઇના પિતાશ્રી  ભવ્‍યના દાદા, સ્‍વ. ઇશ્વરલાલ, સ્‍વ. ભુપતરાય,  રમેશચંદ્ર,  મુકતાબેનના નાનાભાઇ તથા સ્‍વ પ્રવીણચંદ્ર, દમુબેનના મોટાભાઇ , વાઢેર હિતેષ મનહરલાલના સસરા, સ્‍વ. ગીરધરલાલ લવજી આશરાના જમાઇ, પ્રાણલાલ રણછોડદાસ જાજલના ભાણેજ તેમની પ્રાર્થના સભા તા. ૨૪ના ગુરૂવારે સાંજે ૪.૩૦ થી ૫.૩૦ કલાકે બ્રહ્મક્ષત્રિય વાડી પેડક રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

કાંતાબેન દવે

રાજકોટઃ રાણાવાવ જેતલવડ નિવાસી હાલ રાણાવાવ સ્‍વ. ભાનુશંકરભાઇ ભગવાનભાઇ દવેના ધર્મપત્‍ની  કાંતાબેન ભાનુસંકર દવે ( ઉ.વ.૮૦) તેઓ  અનંતભાઇ, પ્રવીણભાઇ, અજયભાઇ, જશુબેન, હેરશભાઇ જોશી, ના માતૃશ્રી તેમજ પીનાકભાઇ, કાર્તિકભાઇ, ઝંખનાબેન  હિરેનભાઇ મહેતાના દાદીનું તા.૨૨ના મંગળવારે અવસાન થયેલ છે. બેસણું તા. ૨૪ના ગુરૂવારે ૪ થી ૬ કલાકે, નિવાસસ્‍થાન  દાઉદ વોરા બિલ્‍ડિંગ સ્‍ટેશન પ્‍લોટ, રાણાવાવ ખાતે રાખેલ છે.

નંદુબેન પરસાણાનું અવસાનઃદેહદાન કરાયુ

રાજકોટઃરાજકોટ નજીક કોઠારીયા ગામે રહેતા ખેડૂત પરિવારના વૃધ્‍ધા નંદુબેન ઘેલાભાઇ પરસાણા(ઉ.વ.૭૫)ના અવસાન બાદ રાજકોટ સિવિલ હોસ્‍પિટલની મેડિકલ કોલેજમાં દેહદાન કરાયું છે. લેઉવા પટેલ સમાજનાં નંદુબેન અને તેમના પતિ ઘેલાભાઇએ વર્ષ ૨૦૦૯ માંજ પોતાની હયાતીમાં જ દેહદાન કરવા સંકલ્‍પ કરેલો. તા. ૧૯/૧૧ ના રોજ નંદુબેનના અવસાન બાદ પતિ ઘેલાભાઇ પોપટભાઇ પરસાણા અને પુત્ર હરેશભાઇએ નંદુબેનના સંકલ્‍પ મુજબ જ તેમના દેહનું દાન કર્યુ છે અને અન્‍ય લોકોને પણ દેહદાન કરવા પ્રેરણા આપી છે.