Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022
ગ્લો ટેક સ્ટીલ્સવાળા ઉદ્યોગપતિ હીરાલાલ વાઘરનું અવસાન

રાજકોટઃ મૂળ સુદાનવાળા હાલ રાજકોટ નિવાસી ગ્લો ટેક સ્ટીલ્સ પ્રા.લિ.ના જાણીતા ઉદ્યોગપતિ શ્રી હીરાલાલ હેમચંદભાઈ વાઘર તે હિતેષભાઈ અને ધીરેનભાઈના પિતાજીનું તા. ૨૨ શનિવારે અવસાન થયેલ છે. તેમનુ ટેલીફોનિક બેસણુ આજે સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. વર્તમાન કોરોનાની પરિસ્થિતિમાં સૌ પોતાના ઘરેથી જ સ્વર્ગસ્થના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે તેવી અપીલ પરિવાર વતી હિતેષભાઈ (મો. ૯૪૨૮૭ ૮૯૬૮૭), ધીરેનભાઈ (મો. ૯૮૨૫૨ ૧૬૧૭૮), હર્ષાબેન, બિન્દુબેન, સપનાબેન વગેરેએ કરી છે.

કલાદર્શનવાળા છોટુભાઇ ખેતાણીનું અવસાનઃ સાંજે ટેલીફોનિક બેસણું

રાજકોટ : સ્વ. શ્રી ત્રિભોવનદાસ અમરશીભાઇ ખેતાણીના પુત્ર છોટાલાલભાઇ (કલાદર્શનવાળા) (ઉ.વ.૭પ) તે નયનાબેન ના પતિ તથા હિરેનભાઇ, હેમાંગભાઇ અને કૃનાલભાઇના પિતાશ્રી તથા સ્વ. શશીકાંતભાઇ ના નાનાભાઇ અને હસમુખભાઇના મોટાભાઇ તથા સ્વ. શ્રી વસંતબેન અમૃતલાલ દક્ષિણીના નાનાભાઇ અને ચંદ્રકાંત કાનજીભાઇ ગંગદેવના જમાઇ તથા સ્વ. શ્રી અમૃતલાલ ગોકળદાસ તન્ના ના ભાણેજ જમાઇનું તા. ર૪ ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન કોરોના પરિસ્થિતિને કારણે ટેલીફોનીક બેસણું તા. ર૪ ને સોમવારના રોજ સાંજે પ થી ૬ રાખેલ છે. હિરેનભાઇ મો. ૯૪ર૮ર ૮પપ૪૪, હેમાંગભાઇ મો. ૯૯૦૯૦ ૯૯૦૮૩, કૃણાલભાઇ મો. ૯૯ર૪૪ ૪૦૪૦૮, હસમુખભાઇ ખેતાણી મો. ૯૪ર૬ર ૪૯ર૬૩ પિયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે. રાજુભાઇ તન્ના મો. ૯૮૭૯૩ ૧૮૭૬પ

અવસાન નોંધ

પુષ્પાબેન માંડલીયા

ઉપલેટા : નિવાસી સોની પુષ્પાબેન મનસુખલાલ માંડલીયા (ઉ.વ.૮પ) તે રજનીભાઇ, કિશોરભાઇ તથા ભરતભાઇના માતુશ્રી તા. ર૦ ના ગુરૂવારે શ્રીજીચરણ પામેલ છે. બેસણુ તા. ર૪ સોમવારે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન બાવલા ચોક, ઉપલેટા રાખેલ છે. (પ-૧૩)

શાંતિલાલ ત્રિવેદી

રાજકોટઃ ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ અ.ની.શાંતિલાલ પુરુષોત્તમ ત્રિવેદી (ઉ.વ.૮૮) નિવૃત શિક્ષક દેવકુવરબા હાઈસ્કૂલ (રાજકોટ )તે અ.ની.પુરૂષોત્તમ ત્રિવેદી ના સુપુત્ર કુશુમબેન ના પતિશ્રી ઘનશ્યામભાઈ ( રેલવે ) છાયાબેન હરીશભાઈ ત્રિવેદી ના પિતાશ્રી, દર્શનાબેન ( નાયબ મામલતદાર રાજકોટ) ના સસરા   પૂજન,પૂર્વા,દર્શનના દાદા અ.ની. લાભશંકરભાઈ, અ.ની.જેઠાભાઇના લઘુબંધુ અ.ની. ડો.પ્રદ્યુમનભાઈના મોટાભાઈ સ્વ.ભાઈશંકર ભટ્ટ (મૂળ ધ્રોલ હાલ રાજકોટ)ના જમાઈનુ તા.૨૩ ના રવિવારે દુઃખદ  અવસાન થયેલ છે. અક્ષરધામ નિવાસીનું ટેલિફોનિક બેસણું તા.૨૪ સોમવારના સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

ટેલિફોનિક બેસણું: ઘનશ્યામભાઈ- મો. ૯૮૨૪૨ ૩૪૦૧૭, દર્શનાબેન- મો.૯૬૬૨૦ ૬૪૦૧૭, છાયાબેન- મો.૯૭૨૭૨ ૪૬૯૮૬, પૂજન ૅં- મો.૯૦૩૩૩ ૬૧૩૦૯, શ્વસુરપક્ષનું ટેલિફોનિક બેસણું:- જગદીશભાઈ ભટ્ટ ૅં- મો.૯૪૦૯૭ ૧૫૯૭૯, હર્ષદભાઈ ભટ્ટ મો.૯૮૭૯૪  ૪૪૫૮૪, કનુભાઈ ભટ્ટ મો. ૯૭૧૪૦ ૬૧૪૬૧ (૩૦.૨)

નરેન્દ્રભાઈ વ્યાસ

રાજકોટઃ ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ રાજકોટ નિવાસી સ્વ.નરેન્દ્રભાઈ ભાનુશંકરભાઈ વ્યાસ (ઉ.વ.૭૧) તે વર્ષાબેન વ્યાસના પતિ તથા પ્રણવભાઈ તથા નૈમિષભાઈના પપ્પાનું તા.૨૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું પ્રવર્તમાન સંજોગોને ધ્યાને રાખી ટેલીફોનીક બેસણું તા.૨૪ સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. પ્રણવભાઈ મો.૯૬૬૨૦ ૦૧૪૪૨, નૈમિષભાઈ મો.૮૦૦૦૪ ૪૭૪૪૪ (૩૦.૨)

જયસુખલાલ બોસમીયા

રાજકોટઃ (મૂ.કાલાવડ) બ્રહમક્ષત્રિય જસુખલાલ જમનાદાસ બોસમીયા (ઉ.વ.૬૮) તે કૃણાલભાઈ તથા પ્રદિપભાઈના પિતારી  તથા જેઠાલાલ કાનજીભાઈ નિર્મળના જમાઈનું તા.૨૧નાં રોજ શ્રીજીચરણ પામેલ છે.

રમેશભાઈ ખંધેડીયા

રાજકોટઃ સ્વ.મગનલાલ પોપટલાલ ખંધેડીયાના પુત્ર રમેશભાઈ મગનભાઈ ખંધડીયા તે નિલેશભાઈના પિતાશ્રી તે સ્વ.કાંતિભાઈ તથા જયસુખભાઈના ભાઈ તથા હસમુખભાઈ તથા સ્વ.મહેન્દ્રભાઈ તથા મહેશભાઈ કોટેચાના બનેવી શનિવાર તા.૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. જેનું ટેલીફોનીક બેસણું તથા સસરા પક્ષની સાદડી તા.૨૪ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. નિલેશભાઈ મો.૯૯૨૫૨ ૮૯૩૦૯, રાજુભાઈ મો.૯૯૨૫૬ ૧૨૨૦૬, હસમુખભાઈ મો.૯૯૭૯૬ ૦૧૩૦૦, મહેશભાઈ મો.૯૮૨૪૨ ૦૮૨૭૧

રશ્મીકાંતભાઈ શાહ

રાજકોટઃ જામનગર નિવાસી સ્વ.ગીરધરલાલ ભગવાનજી શાહના પુત્ર રશ્મીકાંતભાઈ (ઉ.વ.૬૬) (ખિલોસ નિવાસી, હાલ જામનગર), તે સ્વ.ચંદનબેનના પતિ, અનસુયાબેન જયસુખલાલ મહેતા (જામવણથલીવાળા), સ્વ.વિનોદભાઈ અને સ્વ.જયોત્સનાબેન કિશોરચંદ્ર સંઘવીના નાનાભાઈ, મનીષાબેન, રોનક અને જીગરના પિતા, ખુશ્બુબેન અને મેહુલકુમારના સસરા, અભિષેકના નાના, ઈલાબેન, ભાવનાબેન,ધનીશાબેન, ધારીત્રીબેન, મીતાબેન અને ચિરાગના કાકા અને ધીરજલાલ લાલચંદ સંઘવી (કાલાવડ)ના જમાઈનું તા.૨૧ને શુક્રવારે દુઃખદ અવસાન થયું છે. પ્રવર્તમાન સંજોગોને આધીન સદ્દગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. રોનક મો.૯૭૨૫૪ ૪૪૦૧૪, જીગર મો.૯૫૧૦૪ ૬૬૧૫૫, મનીષા મો.૯૪૨૬૨ ૧૪૨૪૪

મહેન્દ્રભાઇ મહેતા

રાજકોટઃ ભાણવડના મહેન્દ્રભાઇ શાંતીલાલ મહેતા (ઉ.વ.૭૭) તે જયોત્સનાબેનના પતિ, કલ્પેશ (વડોદરા), નિશેષ (સુરત)ના પિતાશ્રી, સ્નેહા અને અલ્પાના સસરા સ્વ.કિશોરભાઇ, મંજુબેન (મુંબઇ), તરૂબેન (અમરેલી)ના ભાઇનું તા.ર૧ના અવસાન થયેલ છે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

દિલીપકુમાાર બિશ્વાસ

રાજકોટઃ દિલીપકુમાર બીશ્વાસ તે ચંચલ બીશ્વાલના પિતાશ્રી તથા ભરત ચિકાણી, દિપક દાસના સસરા તા.૨૨ના રોજ દેવલોક પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક ેબેસણું તા.૨૪ને સોમવારના રોજ સાંજેના ૪ થી ૮ કલાકે રાખેલ છે. મો.૯૯૨૫૬ ૮૦૪૮૦ (૩૦.૫)

ગૌરીબેન દવે

રાજકોટઃ મૂળ શિવરાજગઢના હાલ ધોળીધાર નિવાસી ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ ગં.સ્વ.ગૌરીબેન વૃજલાલ દવે (ઉ.વ.૮૩) તે કિરણભાઈ વૃજલાલ દવે (નિવૃત ટીડીઓ)ના માતુશ્રી તેમજ સચિનભાઈ કે. દવે (પ્રા.શાળા શિક્ષક ધુન ધોરાજી)ના દાદીમાનું તા.૨૨ના રોજ કૈલાસવાસ થયા છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૪ને સોમવારે, બપોરે ૨ થી ૪ ધોળીધાર નિવાસસ્થાને રાખેલ છે. મો.૯૯૨૫૧ ૩૪૯૨૫ (૩૦.૫)

રમણીકલાલ જોશી

જેતલસર : પોરબંદર નિવાસી જગદીશ અબોટી બ્રાહ્મણ રમણીકલાલ ગોરધનદાસ જોશી (ભગવાનજીભાઇ કંદોઇ રાણાવાવ વાળા) તેઓ રાજેશભાઇ રમણીકલાલ જોશીના પિતાશ્રી તથા કુલદીપભાઇના દાદા તથા કેશુભાઇ, મણીલાલ ભાઇના નાના ભાઇ અને નાનજીભાઇ, પ્રવિણભાઇ, રસિકલાલ, ચંદ્રકાન્તભાઇ રશિલાબેન શૈલેષકુમાર ત્રિવેદીના મોટાભાઇનું તા. રર ને શનિવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ર૭ ગુરૂવારના રોજ સવારે ૧૦ થી ૬, વાગ્યા સુધી રાખેલ છે.

જયેશભાઇ દવે

પ્રભાસ પાટણ :.. તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજના જયેશભાઇ જયસુખભાઇ દવે (ઉ.પ૬) તે હિતેષ (બકુલભાઇ) દવે રબારી ગોર અને જાસ્મીન દવેના ભાઇ તેમજ રાજન દવે અને અનુજ દવેના કાકાનું તા. ર૩ ના રોજ અવસાન થયેલ છે. જેનું ઉઠમણુ તા. ર૪ સોમવારના રોજ સવારે ૧૦ થી ૧ર કલાક સુધી ચંદ્રેશ્વર મંદિર રામારાખ ચોક, પ્રભાસ પાટણ ખાતે રાખેલ છે.

કિરણબેન સોલંકી

રાજકોટઃ કિરણબેન દિનેશભાઈ સોલંકી (ઉ.વ.૭૦) તે દિનેશભાઈ બાબુભાઈ સોલંકી (નિવૃત એસ.ટી.કર્મચારી)ના પત્ની તેમજ પરાગભાઈ (ગેલેકસી સિનેમા), નિરવભાઈ, બિંદુબેન યોગેશભાઈ દયા, કાજલબેન અમિતભાઈ વાઘેલાના માતુશ્રી તથા મિહિર, વિશાખા, વીર, આદિત્યના દાદીનું તા.૨૧ શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૪ સોમવાર સાંજે ૪ થી ૬ વાગ્યામાં નિયોજીત કરેલ છે. પરાગભાઈ સોલંકી મો.૯૦૧૬૪ ૬૪૩૭૮, નિરવભાઈ સોલંકી મો.૮૧૫૩૮ ૦૧૪૬૮, અમિતભાઈ વાઘેલા મો.૯૯૭૮૯ ૪૫૫૫૬

ભરતભાઇ ચાવડા

વેરાવળ : ભરતભાઇ ધનજીભાઇ ચાવડા (ઉ.૭૦) તે વિનુભાઇ, સ્વ. મનસુખભાઇ, પ્રવિણભાઇના ભાઇ તથા અમીસભાઇ, અજયભાઇ, સુરેશભાઇ, મનોજભાઇના પિતાશ્રીનું તા. ર૩ ના રોજ અવસાન પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ર૪ ને સોમવારે સાંજે ૪ થી ૬ પંચનાથ મહાદેવ મંદિર વાણંદ સોસાયટી ૮૦ ફુટ રોડ ખાતે રાખેલ છે.

પુર્વેશભાઇ ઝવેરી

રાજકોટ :.. શ્રી દશા સોરઠીયા વણિક જ્ઞાતિના પૂર્વેશભાઇ (ઉ.વ.૪૦) તે જયેન્દ્ર વિષ્ણુદાસ ઝવેરીના પુત્ર, ગં. સ્વ. ઇંદીરાબેન વિશ્ણુદાસ ઝવેરીના પૌત્ર તથા પ્રશાંતના મોટાભાઇ સ્વ. પ્રવિણ, હરેશ, તથા બીપીન અને પ્રતિભા શેઠના ભત્રીજાનું તા. રર ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણુ તા. ર૪ ના સોમવારે સાંજના ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ છે. ફોન નં. જયેન્દ્રભાઇ મો. ૯૮ર૪૩ ૯૬૯૧૯, પ્રશાંત મો. ૯૪ર૯૯ ૭૬૧૪૯

જગદેવસિંહજી પરમાર

રાજકોટઃ નિવાસી સ્વ.જગદેવસિંહજી કનુજી પરમાર (ઉ.વ.૮૦) તેઓ સ્વ.વિક્રમસિંહ તથા વિજયસિંહ પરમારના પિતાશ્રી તથા સજનબા તથા મિનાબાના પિતાશ્રી તથા વિરેન્દ્રસિંહ તથા વિમલસિંહ પરમારના દાદાશ્રી તથા કૃણાલસિંહના નાનાશ્રીનું તા.૨૩ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૪ને સોમવારે દયાનંદ સરસ્વતી ટાઉન શીપ, કર્ણાવતી સ્કૂલ પાસે રેલનગરમાં બપોરે ૪ થી ૬ રાખેલ છે. વિમલસિંહ મો.૮૩૨૦૨ ૮૮૪૩૮, કૃણાલસિંહ મો.૭૫૬૭૦ ૬૧૮૪૧

સમીર ભટ્ટી

રાજકોટઃ કારડીયા રાજપૂત પ્રવિણભાઈ ખીમજીભાઈ ભટ્ટી તથા જયોત્સનાબેન પ્રવિણભાઈ ભટ્ટી (રાજકોટ નાગરિક બેંકના કર્મચારી)ના પુત્ર સમીર (ઉ.વ.૩૩)નું તા.૨૩ને રવિવારના રોજ અવસાન થયેલ છે. તેઓ અનિલભાઈ ખીમજીભાઈ ભટ્ટીના ભત્રીજા તથા વિજયભાઈ રામસિંહભાઈ સોલંકીના જમાઈ થાય, પ્રશાંતનાભાઈ તથા રાહુલના પિતરાઈ ભાઈનું બેસણું તા.૨૪ને સોમવારના રોજ તેમના નિવાસસ્થાન ગોપાલનગર- ૩/૧૨, ઢેબર રોડ, સુમન બજાજવાળી શેરી ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે. (મો.૮૧૪૦૭ ૭૭૯૭૮, મો.૯૮૭૯૮ ૯૭૨૪૪)

જીતેન્દ્રકુમાર મહેતા

રાજકોટઃ ખિલોસ નિવાસી હાલ રાજકોટવાળા સ્વ.મનસુખલાલ તારાચંદ શાહના જમાઈ જીતેન્દ્રકુમાર મનસુખલાલ મહેતા (ઉ.વ.૭૦) બોરીવલી મુંબઈ, તે નીરૂબેનના પતિ તે પાયલ જીગ્નેશકુમાર પટેલ તથા ઈશાન (અમેરિકા)ના પિતાશ્રી તેમજ દિનેશભાઈ, જગદીશભાઈ, પંકજભાઈ, ભરતભાઈ અને સ્વ.બિન્દુબેન તથા જયોતિબાઈ મહાસતીજીના સંસારીક બનેવી તા.૨૨ના રોજ અરિહંત શરણ થતા તેમનું પિયરપક્ષનું ટેલીફોનીક બેસણું તા.૨૪ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. દિનેશભાઈ મો.૯૪૨૭૫ ૭૭૪૮૮, જગદીશભાઈ મો.૯૩૨૭૬ ૫૧૩૭૫, પંકજભાઈ મો.૯૪૨૪૮ ૪૮૫૯૭, ભરતભાઈ મો.૬૩૫૫૧ ૭૨૪૪૭

કુસુમબેન ભટ્ટી

રાજકોટઃ સ્વ.કુસુમબેન પ્રવિણભાઈ ભટ્ટી (ઉ.વ.૬૫) તે પ્રવિણભાઈ ટપુભાઈ ભટ્ટીના ધર્મપત્નિ તે સ્વ.વિઠ્ઠલદાસ, સુરેશભાઈ, લલિતભાઈના ભાભીશ્રી ભૂમિ, હેતલના માતુશ્રી, કૃણાલકુમાર, પ્રશાંતકુમારના સાસુ, સ્વ.કાકુભાઈ આર.ચૌહાણના બહેનનું તા.૨૨ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૪ સોમવારે સાંજે ૪ થી ૬ બીલેશ્વર (ઠાકર) મંદિર, જે.એમ.સી. ફલેટ પાસે, રૈયા ચોકડી ખાતે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.