Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021
વાંકાનેરના ઘીયાવડ ગામના રામસિંહ ઝાલાનું અવસાન

રાજકોટઃ. મૂળ ગામ ઘીયાવડ તા. વાંકાનેરના રહીશ  રામસિંહ જટુભા ઝાલા, તે સ્વ. ગોપાલસિંહ જટુભા ઝાલાના નાના ભાઈ, સ્વ. અભેસંગ તથા હેમતસંગ જટુભા ઝાલાના મોટાભાઈ તથા વિક્રમસિંહ રામસિંહ ઝાલા (સિંચાઈ વિભાગ-ચોટીલા), મેઘરાજસિંહ (એસ.આર.પી. ગોંડલ), કનકસિંહ તથા વાસુદેવસિંહના પિતાશ્રીનું તા. ૨૫-૧૧-૨૦૨૧ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સ્વ.ની ઉંતરક્રિયા માગશર સુદ ૩ને સોમવાર તા. ૬-૧૨-૨૦૨૧ના રોજ ઘીયાવડ ગામે રાખેલ છે.

 

અવસાન નોંધ

ભરતભાઇ પોપટ

રાજકોટ : મૂળ ભાણવડ હાલ રાજકોટ નિવાસી ભરતભાઇ અમૃતલાલ પોપટ (ઉ.વ.૬૧) તે સ્વ. અમૃતલાલ છગનલાલ પોપટના પુત્ર, મધુબેન પોપટના પતિ, દિપેનભાઇના પિતા, હીરજી લાલજી લાખાણીના જમાઇનું તા. રપ  ના અવસાન પામેલ છે. તેમનું બેસણું તથા પિયરપક્ષની સાદડી તા. ર૭ ને શનિવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦, કલાકે, ધારેશ્વર મહાદેવ મંદિર ભકિતનગર સર્કલ રાજકોટ ખાતે રાખેલ છે.

કનૈયાલાલ ગોહેલ

રાજકોટઃ સોરઠીયા લુહાર કનૈયાલાલ બાબુલાલ ગોહેલ (ઉ.વ.૭૬) તે દિપકભાઇ તથા ચેતનભાઇના પિતાશ્રીનું અવસાન તા.૨૫ના રોજ ગુરૂવારે થયેલ છે. તેમનું સદગતનું બેસણું તા.૨૯ને સોમવારે બપોરે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને હુડકો કર્વાટસ ૮.૩૮ કોઠારીયા મેઇન રોડ ખાતે રાખેલ છે. મોે.૮૧૬૦૯ ૨૩૪૮૨ ચેતનભાઇ ગોહેલ

સનતભાઈ ત્રિવેદી

રાજકોટઃ સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહમણ સનતભાઈ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી (ઉ.વ.૮૦) તે ચેતન ત્રિવેદીના પિતા, નલિનભાઈ, અરૂણભાઈ, મહેન્દ્રભાઈ, સુશીલાબેનના મોટાભાઈ, ડો.યોગેન્દ્રભાઈ પંડયા, નિલકંઠભાઈ પંડયાના બનેવીનું તા.૨૪ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૭ને સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે.(મો.૯૪૨૮૨ ૯૯૩૨૩, મો.૯૪૨૬૮ ૪૫૦૬૨)

લખધીરસિંહ જાડેજા

રાજકોટઃ મુળ ચાંદલી હાલ રાજકોટ લખધીરસિંહ જોરૂભા જાડેજા (ઉ.વ.૫૦) તે સ્વ.જોરૂભા માનસિંહજી જાડેજાના પુત્ર તેમજ શકિતસિંહ જોરૂભા જાડેજાના મોટાભાઈ તથા કર્મદિપસિંહ અને હિતાર્થસિંહના પિતાશ્રીનું તા.૨૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા.૩/૧૨ને શુક્રવારના રોજ રાજકોટ નિવાસસ્થાને રાખેલ છે.

ચિરાગભાઈ કકકડ

રાજકોટઃ સ્વ.મકનજીભાઈ ગોરધનદાસ કકકડના પૌત્ર ચિરાગભાઈ (ઉ.વ.૪૦) તે ભરતભાઈ કકકડ (પીડબલ્યુડી)ના પુત્ર, મનહરભાઈ (પીડબલ્યુડી), પ્રવિણભાઈ (ન્યૂ ઈન્ડિયા) તથા પ્રફુલાબેન જયંતિલાલ રાજવીરના ભત્રીજા, મુકેશભાઈ ગીરધરલાલ રાચ્છ તથા ભરતભાઈ રાચ્છના ભાણેજ તા.૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.૨૬ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મનહરભાઈ મો.૯૪૨૭૧ ૬૪૫૫૧- ભાઈજી, પ્રવિણભાઈ મો.૯૭૨૫૦ ૩૮૭૩૮- ભાઈજી, ભરતભાઈ મો.૯૭૨૬૭ ૫૦૫૦૫- પિતાશ્રી, જયંતિલાલ મો.૯૪૨૭૧ ૬૬૭૦૫- ફુઆ, મુકેશભાઈ મો.૯૮૨૫૨ ૨૪૭૮૪- મામા, ભરતભાઈ મો.૯૮૨૫૧ ૯૧૨૬૬- મામા, હિતેશભાઈ જે. રાચ્છ મો.૯૮૨૪૮ ૪૫૧૭૮

કાંતીભાઇ ગોહેલ

રાજકોટઃ કાંતીભાઇ કરશનભાઇ ગોહેલ જે જયંતીભાઇ તથા મહેન્દ્રભાઇના મોટાભાઇ તેમજ નગીનભાઇ, પ્રકાશભાઇ, હિતેષભાઇ તથા મહેશભાઇના પિતાશ્રીનું બેસણું તા.૨૭ને શનીવારે સાંજે ૪ થી ૬ સીટી ફોર્ચયુન ગોપાલનગર શેરી નં.૧ ઢેબર રોડ ખાતે રાખેલ છે.

બાબુભાઈ જાની

રાજકોટઃ ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ સ્વ.બાબુભાઈ (રાજેશભાઈ) ગૌરીશંકર જાની, જે બજરંગ વ્યાયામ શાળા વાળા જે અંબાશંકર દામશંકર ત્રિવેદી- પોરબંદરવાળાના જમાઈ તથા વિરલભાઈ કપિલભાઈ, અલ્પાબેન મુકેશકુમાર દીક્ષિતના પિતાશ્રી તેમજ હર્ષદભાઈ, દિનકરભાઈ, દિલીપભાઈ, નવીનભાઈ, ચેતનભાઈ, અતુલભાઈના ભાઈશ્રીનું અવસાન થયેલ છે. જેનું બેસણું તા.૨૭ના શનિવારના રોજ સાંજે ૪ થી ૬, નર્મદેશ્વર મહાદેવ મંદિર, અંકુર નગર-૫, કૃષ્ણનગર મેઈન રોડ (નિવાસસ્થાન પાસે) રાખવામાં આવેલ છે.

ભુપતભાઈ પારેખ

રાજકોટઃ સોની ભુપતભાઈ પીતાંબરભાઈ પારેખનું તા.૨૫ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. ચંદ્રેશભાઈ મો.૮૮૬૬૫ ૦૩૩૯૧, વિશાલભાઈ મો.૮૦૦૦૦ ૨૯૧૯૨

યોગેશભાઈ બગથરીયા

રાજકોટઃ (વાણંદ) યોગેશભાઈ ધીરૂભાઈ બગથરીયા તે મોહિતભાઈ અને પાર્થભાઈના પિતાશ્રીનું તા.૨૫ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૭ના રોજ સાંજે ૩ થી ૫, નિવાસસ્થાને વિવેકાનંદનગર-૧૪, રંગીલા હનુમાન પાસે, કોઠારીયા રોડ, રાજકોટ, મો.૯૯૨૪૭ ૯૯૬૯૪