Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021
અવસાન નોંધ

નિવૃત્ત દરદર્શન અધિકારી સુરેશભાઇ ભીંડોરાનું અવસાન

રાજકોટ : સ્વ. ઠા. આણંદજી જાદવજીભાઇ ભીંડોરા બામણબોરવાળાના પુત્ર તે સુરેશભાઇ ભીંડોરા (ઉ.વ.૭૫) (રીટા. દુરદર્શન અધિકારી) તે સ્વ. અનંતભાઇ, સ્વ. જયંતભાઇ, સ્વ. કિશોરભાઇના ભાઇ તેમજ પારસ ભીંડોરા  (મો.૯૪૨૭૭ ૦૧૬૦૮) તથા કેવલ ભીંડોરા (મો.૯૧૦૬૩ ૬૫૩૧૯) ના પિતાશ્રી તેમજ સ્વ. મુળજીભાઇ ગીરધરભાઇ કારીયા (મુંબઇ) ના જમાઇનું તા. ૨૫ ના અવસાન થયેલ છે. લૌકીક વહેવાર બંધ રાખેલ છે.

ગુણવંતરાય દોશી

રાજકોટઃ શ્રી મચ્છુકાંઠા વિશાશ્રી માળી જૈન વાંકાનેર નિવાસી હાલ મુંબઇ (ઘાટકોપર) સ્વ. કાંતાબેન અભેચંદ દોશીના પુત્ર ગુણવંતરાય (ઉ.વ. ૮૮) તે સ્વ. જયશ્રીબેનના પતિ, ચેતન, ભાવેશ, શૈલા હિમાંશુ દોશીના પિતાશ્રી તે લીના, જસ્મીનના સસરા, તે રોનીલ-ભૂમી, હર્ષિલ, અન્વી, હિલોનીના દાદા તે સ્વ. ભોગીભાઇ,  સ્વ. રજનીભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, કિર્તીભાઇ, જશવંતીબેન, મહેન્દ્રભાઇ સપાણી, ઈન્દીરાબેન જયંતભાઈ શાહ, નીતાબેન દિલીપભાઇ દોશીના ભાઈ, તે સાસરા પક્ષે સ્વ. રતીલાલ છગનલાલ સોલાણીના જમાઇ તા. રપ ના રવિવાર ના રોજ અરીહંત શરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

અનસોયાબેન જાની

ધ્રોલ : મુળ ગામ મેઘપર (જોડિયા) નિવાસી ગં. સ્વ. અનસોયાબેન દલપતરામ જાની (ઉ.વ.૯૧) તે અમૃતલાલ ડી. જાની (જામનગર), રમેશચંદ્ર ડી. જાની (ધ્રોલ), લલિતકુમાર ડી. જાની (જામનગર), ભરતભાઇ ડી. જાની (પડધરી), બિપીનકુમાર ડી. જાની (સુરત) ના માતૃશ્રી તથા તરૂણભાઇ એમ. જાની (સુરત)ના ભાભુનું તા. ર૪ ના રોજ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું તા. ર૯ ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.