Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021
અવસાન નોંધ

કંચનબેન આહયા

રાજકોટઃ થોરીયાળીવાળા હાલ રાજકોટ ઠા.રમણીકલાલ વીસનજીભાઈ આહયાના ધર્મપત્નિ કંચનબેન (ઉ.વ.૭૮) તે બિપીનભાઈ આહયાના માતુશ્રી તથા કિશન આહયાના દાદીમાં તેમજ સ્વ.ગીરધરલાલ દેવચંદભાઈ નથવાણી તથા જેઠાલાલ દેવચંદભાઈ નથવાણીના બહેન તા.૨૭ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૩૦ ગુરૂવારના સાંજે ૫ વાગ્યે રાખેલ છે. સ્થળ- રામમંદિર, ગોંડલ રોડ, મંદિરવાળી શેરી, રામનગર શેરી નં.૨, રાજકોટ

સ્મિતાબેન ભુપતાણી

રાજકોટઃ બગસરા નિવાસી હાલ કાંદીવલી (મુંબઈ) હસમુખરાય હરજીવનદાસ ભૂપતાણીના ધર્મપત્નિ સ્મિતાબેન હસમુખરાય ભૂપતાણી (ઉ.વ.૫૫) તે સુમિતભાઈ, શ્રુતિબેન, રાધિકાબેનના માતુશ્રી ગો.સ્વ.રતિલાલ અમીચંદ મુજયાસરાની પુત્રી, અર્પિત પ્રવીણભાઈ ઘેલાણી, ચિરાગ કલ્પેશભાઈ મુજયાસરાના સાસુમા, ગો.સ્વ.ચંદુલાલ હરજીવનદાસ ભૂપતાણી, નરેન્દ્રભાઈ હરજીવનદાસ ભૂપતાણી, નવીનભાઈ વનમાળીદાસ ભૂપતાણી, મહેન્દ્રભાઈ હિંમતભાઈ ભૂપતાણી, કિરીટભાઈ મુળચંદભાઈ ભૂપતાણીના ભાઈના પત્ની તા.૨૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

નિલેશભાઇ સાતા

રાજકોટ : નીલેશભાઇ ચંદુલાલ સાતા (બટુકભાઇ) તેઓ ગં.સ્વ. સરોજબેન તથા સ્વ. ચંદુલાલ વેલજીભાઇ સાતાના પુત્ર, ગં.સ્વ. નીલાબેન નીલેશભાઇ સાતાના પતિ, સ્વ. ભગવાનજીભાઇ દ્વારકાદાસ પોપટ (જામનગર)ના જમાઇ તથા હિતેશભાઇ, તૃપ્તિબેન પરેશકુમાર મસરાણી (હેદરાબાદ) તથા મમતા ભાવેશકુમાર કોટેચા (મુંબઇ)ના ભાઇ, દીપ તથા દિશા હિરેનકુમાર ઠકકર (મદ્રાસ)ના પિતા (ઉ.વ.૬૩)નું તા. ર૯ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું : તા. ૩૦ , સાંજે ૪: ૩૦ થી ૬  જનકલ્યાણ હોલ, એસ્ટ્રોન ચોક રાજકોટ ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે. 

નિકિતાબેન ભટ્ટ

રાજકોટઃ જુનાગઢ નિવાસી ઔદીચ્ય ખરેડી બ્રાહ્મણ અ.સૌ.નિકિતાબેન હાર્દિકભાઈ ભટ્ટ (ઉ.વ.૩૪) તે હાર્દિકભાઈ ભટ્ટના પત્ની, અમૃતલાલ ભગવાનજી ભટ્ટના પુત્રવધુ, ગીરીશભાઈ મનસુખભાઈ ભટ્ટ ભાવનગર (મૂળ માંડણ કુંડલા)ના પુત્રી, આશિષના ભાભી તથા પાર્થના મોટાબેનનું તા.૨૭ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. બેસણું તા.૩૦ ગુરૂવારના રોજ શ્રી રામ મંદિર ગૌશાળા, આદર્શ નગર-૨, જોષીપરા, જૂનાગઢ ખાતે બપોરે ૩ થી ૫ રાખેલ છે તથા પિયર પક્ષનું બેસણું  તા.૧/૧૦ શુક્રવારના રોજ માંડણ કુંડલા, તા.ગોંડલ ખાતે ગીરીશભાઈના ઘરે બપોરે ૩ થી ૫ રાખેલ છે.

કરણસિંહજી ઝાલા

રાજકોટઃ કરણસિંહજી નટવરસિંહજી ઝાલા (ઉ.વ.૯૬) મુળ ગામ અડવાળ, હાલ ભાવનગર રીટાયર્ડ ડેપ્યુટી કલેકટર તે સ્વ.નરેન્દ્રસિંહ, સ્વ.મહેન્દ્રસિંહ, જયેન્દ્રસિંહ તથા જયવંતસિંહ (જે.કે.ઝાલા નિવૃત ડી.વાય. એસ.પી.)ના પિતાશ્રીનું તા.૨૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ને ગુરૂવારના રોજ  સાંજે ૪ થી ૬ કલાકે, દિપક હોલ, ઉપરના માળે, સંસ્કાર મંડળ, આતાભાઈ રોડ, ભાવનગર.

કુબરાબેન વણાટ

રાજકોટઃ અબ્બાસભાઇ અહેમદઅલી ભારમલ (સોલ્જર)ના પત્નિ કુબરાબેન ઇબ્રાહીમભાઇ વણાટ (ઉ.વ.૭૫) તેઓ જોયેબભાઇ, આબીદભાઇ, મુનીરાબેન, ફાતેમાબેન, મ. હસીનાબેન (તસ્નીમબેન)ના માતાનું અવસાન થયું છે. મરહુમના જીયારતના સિપારા બુધવારે ૨૯મીએ બપોરે ૧૨:૩૦ કલાકે મુફદ્દલ હોલ ભગવતીપરા ખાતે રાખેલ છે.

છગનભાઇ બારૈયા

જુનાગઢ : માનસ સ્કુલના પૂર્વ આચાર્ય ત્રિલોકભાઇ ગોહીલના વેવાય બાબરા નિવાસી છગનભાઇ ભીખાભાઇ બારૈયા (ઉ.વ.૮૭) (કોળી સમાજ અગ્રણી) તે સ્વ. ડાયાભાઇ, સ્વ. મોહનભાઇ, સરીતાબેન, લાલજીભાઇના ભાઇ, અશોકભાઇ, જયશ્રીબેનના પિતાશ્રીનું તા. ર૬ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૩૦ ને ગુરૂવારે બપોરના ૩ થી ૬ કલાક સુધી રામનગર, રામ હાઇટસ પાસે, રાજકોટ રોડ, બાબરાનાં નિવાસસ્થાને રાખેલ છે.