Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021
અવસાન નોંધ

જયસુખલાલ મહેતા

રાજકોટ : ઘાટકોપર મુંબઇ રહેવાસી જયસુખલાલ વૃજલાલ મહેતા (ઉ.વ.૮૧) તે જયશ્રીબેન (મંજુલાબેન) ના પતિ સ્વ. પુષ્પાબેન મનહરલાલ શાહના ભાઇ, દિપેન, ચેતન, ફાલ્ગુનીના પિતા, સેજલ, વૈશાલી તથા હિતેષકુમાર પંચમીયાના સસરા અને કિરીટકુમાર કેવળચંદ મહેતાના બનેવી તા. ર૭ ના અરિહંત શરણ પામેલ છે. ટેલિફોનીક સાદડી રાજકોટ કિરીટભાઇને ત્યાં તા. ૩૦ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૮રપ૯ ૪પ૬૯૯/ ૯ર૬પ૬ ર૬પ૩૬.

અશ્વિનભાઈ જોષી

જૂનાગઢઃ શ્રી ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ અશ્વિનભાઈ પુરૂષોતમભાઈ જોષી (ઉ.વ. ૬૫) (નિવૃત તલાટી મંત્રી) તે હર્ષાબેન જોષી (નિવૃત પ્રાયમરી શિક્ષિકા)ના પતિ, કુલદિપ, વિશાલના પિતાશ્રી તથા પરિમલભાઈ જોષી-જૂનાગઢના મોટાભાઈ તેમજ વિનોદભાઈ એલ. જોષી-જૂનાગઢ (ઉપપ્રમુખ-શ્રી ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ-જૂનાગઢ), ચિમનભાઈ બી. જોષી-જૂનાગઢના નાના ભાઈ તથા કું. ડો. અંજલીબેન, કશ્યપના મોટા બાપુજીનું તા. ૨૮ના અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણુ તા. ૨૯ ગુરૂવારના રોજ સાંજના ૪.૦૦ થી ૬.૦૦ રાખેલ છે.

ભરતભાઇ રાવલ

રાજકોટઃ ભરતભાઇ વ્રજલાલ રાવલ (ઉ.વ.૫૫ મુળ ગામ પીપળવા) બુધવાર તા.૨૮ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૩૦ શુક્રવારના રોજ રાખેલ છે. સુરેશભાઇ વ્રજલાલ રાવલ મો.૯૯૨૫૭ ૨૧૬૬૪, મહેન્દ્ર વ્રજલાલ રાવલ મો.૯૨૬૫૬ ૮૪૦૩૫