Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021
શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપવાળા વિનયભાઇના માતુશ્રી ઇન્દીરાબેન જસાણીનું અવસાન

રાજકોટ : ઇન્દીરાબેન વસંતભાઇ જસાણી (ઉ.વ.૮૨) તે વસંતભાઇ રતિલાલ જસાણીના ધર્મપત્નિ તેમજ સંજયભાઇ (મો.૯૪૨૮૨ ૦૩૮૬૮), મિનાબેન તથા વિનયભાઇ (મો.૯૪૨૮૨ ૦૦૬૬૦) (શ્રીમદ રાજચંદ્ર સેવાગૃપ) ના માતુશ્રી તેમજ ડો. પાર્થ, ધ્વની, શ્રેયાના દાદી તેમજ શિલ્પાબેન અને ચૈતાલીના સાસુ તેમજ સ્વ. હરીલાલ હેમચંદ ઉદાણીના દિકરી તા. ૨૮ ના મંગળવારે અરીહંતશરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તેમજ પ્રાર્થનાસભા તા. ૩૦ ના ગુરૂવારે સવારે ૧૦ વાગ્યે પેસેફીક હાઇટસ, ન્યુ એરા સ્કુલ સામે, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

હિરેનકુમાર શીલુનું દુઃખદ અવસાનઃ કાલે સાદડી - પ્રાર્થનાસભા

રાજકોટઃ સ્વ. હિરેનકુમાર નાથાલાલ શીલુ (ઉ.વ.૪૪) નું તા.૨૩ને શુક્રવારે આકસ્મિતક અવસાન થયેલ છે. તેમની સ્વસુર પક્ષની સાદડી (પ્રાર્થનાસભા) તા.૩૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રામેશ્વર મંદિર, રામેશ્વર ચોક, શ્રીનગર એરપોર્ટ રોડ રાજકોટ ખાતે રાખેલ છે. ગમનભાઇ દવે મો.૯૬૬૪૬૩૦૧૯૩, સચિનભાઇ દવે મો.૭૫૬૭૫૫૧૬૩૬

એડવોકેટ રાકેશપરીના સસરા તથા શ્રીનાથજી મંદિરના પુજારી કાળુગીરી બળવંતગીરી ગોસાઇનો કૈલાશવાસ

રાજકોટ : આશુતોષગીરી કાળુગીરી ગોસાઇ, પરેશગીરી કાળુગીરી ગોસાઇ તથા અલખનંદાબહેનના પિતાશ્રી અને શ્રીનાથ મહાદેવ મંદિરના પુજારી કાળુગીરી બળવંતગીરી ગોસાઇ (ઉ.૭૦) (હાલ. રાજકોટ અને મુળ વિસાવદર નાગબાઇ માતાજી મંદિરના પુજારી) તેઓ અમરેલી નિવાસી નટવરગીરી બળવંતગીરી તેમજ સુરત નિવાસી દિલીપગીરી બળવંતગીરીના વડીલ બંધુ તેમજ એડવોકેટ રાકેશપરીના સસરા તા. ૨૫મીએ કૈલાસવાસ થયેલ છે.સદગત પાછળ ધર્મસભા સંતોના સામૈયા તા. ૧ ઓકટોબર શુક્રવારે સવારે ૧૦ વાગ્યે મહાપ્રસાદ બપોરે ૧૨ વાગ્યે તથા રાત્રીના શંખ ઢોળ રાખેલ છે. સ્થળઃ શ્રીનાથ પાર્ક શેરી નં.૨ બ્લોક નં.-ડી.-૧૬ કુવાડવા રોડ રાજકોટ આશુતોષગીરી મો. ૬૩૫૪૯ ૨૫૦૫૧, પરેશગીરી મો. ૮૪૦૧૪ ૯૩૭૯૩.

અવસાન નોંધ

રંજનબેન જાનીનુ અવસાન

ટંકારા : ચા. મ. મોઢ બ્રાહ્મણ જબલપુર (ટંકારા) નિવાસ ગં. સ્વ. રંજનબેન (રસીલાબેન) તે સ્વ. નર્મદાશંકર રતિલાલ જાનીના ધર્મપત્ની અને કાંતિલાલ જાનીના ભાભી તથા અરવિંદભાઇ, મહેશભાઇ, રમેશભાઇ તથા સ્વ. બીપીનભાઇના માતુશ્રી તથા ભરતભાઇ જાનીના ભાભુ તથા નીતિનભાઇ જાનીના કાકીનું તા. ર૮ મંગળવારના રોજ કૈલાસવાસ થયેલ છે. સદ્ગતનું બેસણુ તથા પિયર પક્ષનું બેસણું તા. ૩૦ ગુરૂવાર સાંજે ૪ થી ૬ જબલપુર ત્રીપુરેશ્વર મહાદેવ મંદિરે રાખેલ છે.

અતુલકુમાર જોષી

રાજકોટ : સૌરાષ્ટ્ર બાજખેડાવાળ બ્રાહ્મણ અતુલકુમાર છેલશંકરભાઇ જોષી (ઉ.વ.પ૪) (મુળ જેતપુર) હાલ રાજકોટ, તે અલ્કાબેનના પતિ, સુરજ અને આકાશના પિતાશ્રી તેમજ દિપકભાઇ જોષી, પદ્માબેન યોગેશભાઇ મહેતા, નયનાબેન ધારેશભાઇ  દવે, ઇલાબેન યોગેશભાઇ મહેતાના ભાઇ તથા રાજુભાઇ વિ. મહેતાના બનેવીનું અવસાન તા. ર૮-૯-ર૦ર૧ ને મંગળવારના રોજ થયેલ છે.તેમની પ્રાર્થના સભા (બેસણું), તા. ૩૦ ગુરૂવારે રાજકોટ મુકામે સમય સાંજના ૩ થી પ, દરમ્યાન શ્રી ભીમનાથ મહાદેવ મંદિર, ગાયત્રીનગર, ર-૯ નો ખુણો, વાણીયાવાડી મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. દિપક જોષી મો. ૯૯૭૯૯ ૮ર૯ર૯, સુરજ જોષી  + ૯૧ ૯૦૩૩૩ પ૧૧ર૯, રાજુભાઇ વી. મહેતા (સાળા) ૯૮ર૪ર ર૯પ૯૪

નંદલાલ ધોળકીયા

રાજકોટઃ સોની નંદલાલ છોટાલાલ ધોળકીયા (ઉ.વ.૭૨) તે બગસરાવાળા સોની છોટાલાલ અમરશીભાઇના પુત્ર તથા ગોપાલભાઇ, દિનેશભાઇ, હિરેનભાઇ ધર્મેશભાઇના પિતા તથા હર્ષીત અને કુંજના દાદા તેમજ છબીલભાઇ, કિશોરભાઇ, વિનુભાઇ, અતુલભાઇ, ભગુભાઇ, હસુભાઇના ભાઇ તેમજ નરોતમભાઇ અને ભરતભાઇ પ્રાણજીવનભાઇ માંડલીયાના બનેવી તા.૨૮ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૩૦ ગુરૂવારના  રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. સ્થળઃ ઉદયહોલ રામાપીર ચોક પાસે ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ગોપાલભાઇ ૯૪૨૬૯ ૭૭૪૦૬, દિનેશભાઇ ૭૫૬૭૦ ૬૨૪૨૪, પ્રફુલ્લભાઇ ૯૮૨૪૨ ૧૭૩૮૫, હિરેનભાઇ ૯૪૨૭૨ ૭૫૩૯૪, ધર્મેશભાઇ ૯૪૨૯૨ ૪૪૮૦૬

હિંમતભાઇ વાઢેર

રાજકોટઃ સ્વ. હિંમતભાઇ નાથાલાલ વાઢેર (ઉ.વ.૬૬) તે ગં.સ્વ. કૌશલ્યાબેન હિંમતભાઇ વાઢેેરના પતિ તેમજ કિરીટભાઇ, દિલીપભાઇ અને જલ્પાબેન હિરેનકુમાર ટાંકના પિતાશ્રી તા.૨૮ મંગળવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૩૦ને ગુરુવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જસ્મીનીબેન ભણસાલી

રાજકોટઃ માંગરોળ નિવાસી હાલ મુંબઇ અ.સૌ. જસ્મીનીબેન (ઉ.વ.૪૦) તે શ્રી ચિરાગ અશ્વિનભાઇ ભણસાલીના ધર્મપત્નિ ચી. પ્રથમના માતૂશ્રી સ્વ.લીનાબેન અને શ્રી અશ્વિન વરજીવનદાસ ભણસાલીના પુત્રવધુ શ્રી કેતુલભાઇના ભાભી અ.સૌ. બીનલના દેરાણી ચી. ખુશી, કિયાના કાકી તથા પિયરપક્ષે શ્રીમતી કોકીલાબેન હિરેનભાઇ મહેતાની સુપુત્રી, અ.સૌ. અંકિતા રૂપેશભાઇ મહેતાના મોટા બહેન ચી. જેનીલ- આર્યાના માસી તા.૨૮ના અરિહંત શરણ પામેલ છે. લૌકીક વ્યવહાર બંધ છે.

ઇશ્વરલાલ દોશી

રાજકોટઃ સ્વ. છગનલાલ ગોવિંદજી દોશીના પુત્ર ઇશ્વરલાલ છગનલાલ દોશી (રીટા ગર્વકપ્રેસ) (ઉ.વ.૮૭) (જુનાગઢના વતની હાલ રાજકોટ) તે રાજેશ, તુષાર, મીનાબેન, ધર્મેન્દ્રના પિતાશ્રીનું તા.૨૭ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક ઉઠમણું ગુરૂવારના રોજ તા.૩૦ને સવારે ૯ થી ૧૦ રાખેલ છે. રાજેશ મો.૯૮૯૮૩ ૯૦૦૧૭, તુષાર મો.૭૬૦૦૮ ૦૭૩૦૦,  કોરોનાના કારણે લોકીક વ્યવહાર બંધ રાખેલ છે.

ભારતીબેન ચાવડા

રાજકોટઃ મચ્છુ કઠીયા સઈ સુથાર જ્ઞાતિ (શિવરાજગઢ વાળા) હાલ રાજકોટ નિવાસી સ્વ.પ્રાણજીવનભાઈ પરસોતમભાઈ ચાવડાના દીકરા રાજેશભાઈ ( ફીેલ્ડમાર્શલ વાળા )નાધર્મપત્ની અ.સો. ભારતીબેન (ઉ.વ.૪૫) તે નિલભાઇ,વિશ્વાબેનના માતુશ્રી તથા તિનીશભાઇ (રાજકોટ)ના ભાભીતથા જુનાગઢ નિવાસી સ્વ.મગનભાઈ પ્રેમજીભાઈ ધામેચા(નાંદરખીવાળ।)ની દિકરી તથા હિતેશભાઈ, રાકેશભાઈનાબેન થાય. તેઓ તા. ૨૮ ને મંગળવાર ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનુ બેસણુ તા.૩૦ ને ગુરુવાર ના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે. (પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે) બેસણાનું સ્થળ અલ્કા સોસાયટી કોમ્યુનિટી હોલ મવડી મેઇન રોડ, રાજકોટ. ૯૮૨૪૨ ૨૫૯૫૩  રાજેશભાઇ,   ૮૧૬૦૬ ૧૬૧૬૫  તિનિશભાઇ,  ૭૬૦૦૦ ૧૭૭૧૭  હિતેષભાઇ,  ૯૮૨૪૨ ૮૪૪૧૨  રાકેશભાઇ

ખેમશંકરભાઈ પંડયા

રાજકોટઃ સાણથલી નિવાસી મહારાજ શ્રી ઘેલારામજી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતીના ખેમશંકરભાઈ હેમતલાલ પંડયા (ઉ.વ.૬૩) તે સ્વ.હેંમતલાલ મણીશંકર પંડયાના પુત્ર, મનહરભાઈ, સ્વ.મહેશભાઈ, હિતેશભાઈના મોટાભાઈ તથા દિપ્તીબેન વિમલકુમાર રાજયગુરૂ, પાયલબેન કેતનકુમાર મહેતા, વૈશાલીબેન ધર્મેશકુમાર ઉપાધ્યાયના પિતાશ્રી તેમજ સ્વ.ગીરજાશંકર જાદવજી મહેતા છોડવડીના જમાઈ તા.૨૮ના રોજ કૈલાસવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ ઓદિચ્ય ઘેલારામજી જ્ઞાતીની વાડી જયંત કેજી મેઈન રોડ મવડી પ્લોટ ખાતે રાખેલ છે.

લલીતકુમાર કોટેચા

રાજકોટઃ ભીમકટ્ટા વાળા હાલ અમદાવાદ સ્વ.લલિતકુમાર શાંતિલાલ કોટેચા (ઉ.વ.૬૩) તે સ્વ.શાંતિલાલ ગોરધનદાસ કોટેચાના પુત્ર તથા વર્ષાબેન કોટેચાનાં પતિ તથા લક્ષ્મિદાસ કોટેચા, નરેન્દ્રભાઈ કોટેચા, હસમુખરાય કોટેચાના ભાઈ તથા કમલ કોટેચા અને રોનક કોટેચાના પિતા તથા સ્વ.પ્રદીપભાઈ ગણાત્રા ધ્રોળવાલાનાં જમાઈ તથા સુરેશભાઈ ગણાત્રાના બનેવી તા.૨૯ બુધવારનાં રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું- બેસણું તથા સાસરા પક્ષની સાદડી તા.૩૦ ગુરૂવારનાં રોજ સાંજે ૪ થી ૫ વાગ્યે રાખેલ છે. સ્થળ- પ્રેરણા આગમ, ૧૦૦ ફીટ આનંદનગર રોડ, શ્યામલ ચાર રસ્તા પાસે, અમદાવાદ.

મગનલાલ પોપટ

જામ-જોધપુરઃ મગનલાલ લિલાધરભાઇ પોપટ (ઉ. વર્ષ ૭૬) તે ભાવિનભાઇ તથા રૂપેશભાઇ સંગીતાબહેન (મોટી પાનેલી) રશ્મીબહેન (જેતપુર) મનીષાબહેન (જામખંભાળીયા)ના પિતાશ્રીનું તા. ર૭ના રોજ અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તથા સ્વસૂર પક્ષની સાદડી તા. ૩૦ ને ગુરૂવારે ૪-૩૦ કલાકથી પ-૦૦ કલાક દરમ્યાન રાખેલ છે.

નર્મદાબેન ગુંસાઇ

જોડીયાઃ ચંદુગીરી ગુસાઇના ધર્મપત્ની સ્વ. નર્મદાબેન ચંદુગીરી ગુસાઇ તે અરવિંદગીરીના માતુશ્રી તા.ર૭ના રોજ કૈલાસવાસ પામેલ છે. બેસણું તા.૧ શુક્રવારે સાંજે ૪ થી પ તેમના નિવાસ સ્થાન વાણીયા શેરી જોડીયા રાખેલ છે. અને શકિતપુજન તા.૭ ના રોજ રાખેલ છે. મો.૯૯૧૩૩ ૦ર૦૮૬

કીરીટભાઇ હિરાણી

રાજકોટ : કીરીટભાઇ ધીરજલાલ હિરાણી (ઉ.૬પ) કોટડાસાંગાણી વાળા હાલ રાજકોટ વાળાનું તા.રર ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.તે સ્વ. સુંદરજીભાઇ સવજીભાઇ ગોંડલીયાના જમાઇ તથા સ્વ. નટવરલાલ સુંદરજીભાઇ ગોંડલીયા, હસમુખભાઇ, કીશોરભાઇ, રમેશભાઇ, બકુલભાઇ, જગદીશભાઇના બનેવી થાય સદ્દગતનું બેસણું કાલે તા.૩૦ ને ગુરૂવારના ૩ થી ૬ દરમિયાન તેમના નિવાસ સ્થાન બાલાજી સોમનાથ સોસાયટી-ર મેઇન રોડ ૧પ૦ફુટ રીંગ રોડ બાલાજી કેબલની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે. બંને પક્ષનું બેસણું સાથે રાખેલ છે. મો. બકુલભાઇ ગોંડલીયા ૯૮ર૪ર ૦૪૯પપ, જગદીશભાઇ ગોંડલીયા ૯૮ર૪ર ૦૪૧૬૬

ધિરજલાલ ભટ્ટ

રાજકોટઃ ઔદિચ્ય ગઢિયા અસાવલા ભટ્ટ કાલાવડ નિવાસી ધીરજલાલ હરિલાલ ભટ્ટ (ઉ.વ.૬૫) મહેશભાઈ હરિલાલ ભટ્ટના મોટાભાઈ પરાશર ધીરજલાલ ભટ્ટ, વિનયભાઈ ધીરજલાલ ભટ્ટ, નિશાબેન ગૌરવકુમાર શુકલ, પૂનમબેન ધીરજલાલ ભટ્ટના પિતાશ્રી તેમજ સ્વ.જયકુમાર શિવશંકર ભટ્ટ રાજકોટના જમાઈનું તા.૨૭ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૩૦ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ સુર્યમુખી હનુમાન મંદિર કુંભનાથપરા કાલાવડ ખાતે રાખેલ છે. પરાશર ધીરજલાલ ભટ્ટ મો.૯૯૭૯૧ ૧૮૮૩૪, વિનય ધીરજલાલ ભટ્ટ મો.૯૯૯૮૬૩૮૦૯૦

મીનાબેન દાવડા

રાજકોટઃ મીનાબેન પ્રભુદાસભાઇ દાવડા જે સ્વ. પ્રભુદાસભાઇ પી. દાવડાના ધર્મપત્નિ ભારતીબેન તથા પ્રવિણભાઇના બહેન વિનયભાઇ, પ્રિયાબહેન તથા સંગીતાબેનના માતુશ્રી ભગવતીબેન ધર્મેન્દ્રભાઇ તથા હર્ષદભાઇના કાકીનું તા.૨૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તથા પીયરપક્ષની સાદડી તા.૩૦ને ગુરૂવારના રોજ નિલકંઠ મહાદેવ, ૪ ભારતી નગર ખાતે સાંજના ૫ થી ૬ દરમિયાન રાખેલ છે.

ભગવાનજીભાઇ પાટડીયા

રાજકોટઃ ગોૈ.વા. સોની ભગવાનજીભાઇ લક્ષ્મીચંદભાઇ પાટડીયા તે સ્વ. કાંતિલાલ, સ્વ. વલ્લભદાસ, સ્વ. ચુનીલાલના નાનાભાઇ સ્વ. દીપકભાઇ, સ્વ. વસંતભાઇ, જેન્તીભાઇ, ધર્મેશભાઇ, રાજેશભાઇના પિતાશ્રી તથા મિતેષ, ધવલ, પારસ, રિતેશ અને ગોપાલના દાદા તથા જગજીવનભાઇ કાનજીભાઇ માંડલીયાના જમાઇ તથા મણીભાઇ અને ભરતભાઇના બનેવી તા.૨૭ને સોમવારના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બંને પક્ષનું બેસણું તા.૩૦ને ગુરૂવારે સવારે ૧૦:૩૦ થી ૧૨ રાધે એપાર્ટમેન્ટ રઘુવીર પાન વાળી શેરી, જુનો મોરબી રોડ, ધોળકીયા સ્કુલ પછીની શેરી રાજકોટ ખાતે રાખેલ છે.