Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

યા દેવી શકિતરૂપેણ સંસ્થિતાં

સર્વ વેદોના સાર ગાયત્રી માતા

સમગ્ર વિશ્વમાં અનેક સંસ્કૃતિઓ છે. પરંતુ સાચા અર્થમાં જોઇએ તો વિશ્વમાં માત્ર એક જ સંસ્કૃતી છે અને તે છે ભારતીય સંસ્કૃતિ - ફકત તેનામાંથી માણસને સાચા અર્થમાં માનવ બનાવવાની ક્ષમતા રહેલી છે. ભારતીય સંસ્કૃતિ અપનાવીને માન આત્મ સંતોષ અને ઉલ્લાસ ભર્યુ જીવન જીવી શકે છે.

આત્મિયતા, દયા, કરૂણા, ત્યાગ, બલિદાન, સેવા-સ્નેહ જેવા સદ્ગુણો સમાજમાં સહિષ્ણુતા તથા સહકારથી ભરપુર વાતાવરણનું નિર્માણ કરે છે. ભારતભૂમિને પુણ્યભૂમિ તેમજ દેવભૂમિ પણ કહેવાયમાં આવે છે.

વ્યાસજીએ કહયું છે કે, જેમ ફુલોનો સાર મધુ છે, દૂધનો સાર ઘી છે, અને રસોનો સાર દૂધ છે. તેમ સમસ્ત વેદોનો સાર ગાયત્રીમાં છે.

ગાયત્રી મંત્રના કુલ ર૪ અક્ષરોમાં તો વેદ, ઉપનીષદ બ્રાહ્મણ ગ્રંથ, દર્શનો વેદાંગો મળીને કુલ ર૪ વિદ્યાઓનો સમન્વય થયો છે.

જ્ઞાન કર્મ, અને ઉપાસના એ ત્રયી વિદ્યા પણ એમાં સમાવિષ્ટ છે. એટલા માટે જ એમ કહેવાય છે કે, ગાયત્રી ઉપાસક સર્વ વિદ્યાનો ભંડાર બને છે.

ગાયત્રી મંત્ર દ્વારા શકિતમાન સગુણ, બ્રહ્મની એટલે કે સગુણ ઇશ્વર - સવિતા - સૂર્ય - અને એની શકિત ગાયત્રીની ઉપાસના કરાય છે. મહાશકિતનું પૂર્ણ દર્શન સૂર્ય મંડળમાં થાય છે.

ગાયત્રી મંત્રમાં ગાયત્રી અને સવિતા દેવ બંનેની સ્તુતિ થઇ છે. સવિતાનો અર્થ થાય છે પ્રેરનાર કે ચૈતન્યશીલ બનાવનાર.

વિવિધ કર્મોમાં પ્રેરનાર કે સદવિચારોના ઉદબોધક પ્રાતઃ કાલિન સૂર્યનું તેજસ્વી સ્વરૂપ એટલે સપિતા....!

ગાયત્રી મંત્રમાં સવિતા દેવના ઉત્કૃષ્ટ તે જ પ્રકાશની યાચના કરાઇ છે.

ગાયત્રી મહિમા ગાનથી એ સ્પષ્ટ થાય છે કે, માત ગાયત્રી સર્વ વ્યાપક બ્રહ્મ છે, બ્રહ્મનું જ અન્ય નામ ગાયત્રી છે.

દેવી ભાગવત વગેરેમાં પણ ગાયત્રી અને સાવિત્રીની એકરૂપતા દર્શાવાઇ છે.

ગાયત્રી સાવિત્રી બંનેને બ્રહ્મદેવની શકિતઓ માનવામાં આવે છે.

ઓમ ભૂર્ભૂવઃ સ્વઃ તત્સ વિતૂરવરેણમ

ભર્ગો દેવસ્ય ધિમ હી ધિયો યોનઃ પ્રચોદયાત્

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:31 am IST)