Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા.૨૪-૯-ર૦રર શનિવાર
ભાદરવા વદ - ૧૪
અલ્‍પશાત્રથી અથવા ઘાતથી મૃત્‍યુ પામેલાનું શ્રાદ્ધ
શુક્ર કન્‍યામાં
આજના ગ્રહો
સૂર્ય - કન્‍યા
ચંદ્ર - સિંહ
મંગળ - વૃષભ
બુધ - કન્‍યા
ગુરૂ - મીન
શુક્ર - સિંહ
શનિ - મકર
રાહુ - મેષ
કેતુ - તુલા
હર્ષલ - મેષ
નેપ્‍ચ્‍યુન - કુંભ
પ્‍લુટો - મકર
સૂર્યોદય ૬-૩૭ - સૂર્યાસ્‍ત ૬-૪૧
જૈન નવકારશી ૭-૨૫
ચંદ્ર રાશી - સિંહ (મ.ટ.)
નક્ષત્ર : પૂર્વા ફાલ્‍ગુની
રાહુ કાળ : ૯-૩૮ થી ૧૧-૦૮
પૂર્વ દિશામાં જતા ઈષ્‍ટદેવનું સ્‍મરણ કરવું
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧૨-૧૫ થી ૧૩-૦૩ સુધી ૮-૦૮ થી શુભ ૯-૩૮ સુધી ૧૨-૩૯ થી ચલ - લાભ - અમૃત- ૧૭-૧૦ સુધી-૧૮-૪૦થી લાભ ૨૦-૧૦ સુધી ૨૧-૪૦થી શુભ-અમૃત-ચલ ૨૬-૦૯ સુધી
શુભ હોરા
૭-૩૭ થી ૮-૩૮ સુધી,
૧૦-૩૮ થી ૧૩-૩૦ સુધી,
૧૪-૩૯ થી ૧૭-૪૦ સુધી
૧૭-૪૦ થી ૨૦-૪૦ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મ કુંડળીમાં સૂર્યનું મહત્‍વ ખૂબ જ રહેલ છે. તેવી જ રીતે ચંદ્રનું પણ ખૂબ જ મહત્‍વ હોય છે. આ બંને ગ્રહો ઉપર જો ગુરૂની દૃષ્‍ટિ હોય તો વ્‍યકિત ખૂબ જ નસીબદાર અને પાવરફુલ હોય છે. આવી વ્‍યકિતઓ એજ્‍યુકેશન લાઈનમાં પણ સારી રીતે સફળતા મેળવી શકે છે. પોતે આઈપીએસ કે આઈએએસ ઓફીસર પણ બની શકે છે. જો જન્‍મના સૂર્યની સાથે બુધ હોય આવા યોગને બુધાત્‍મ યોગ કહેવાય છે અને જો શનિની દૃષ્‍ટિ બુધ ઉપર હોય તો ખૂબ જ ટેલેન્‍ટેડ વ્‍યકિતત્‍વ તરીકે સમાજમાં નામના મેળવે છે. ઉંમર વર્ષ ૨૪ પછી ખૂબ જ સારો ભાગ્‍યોદય થાય છે. રાજકારણમાં પણ ન ધારેલી સફળતા મેળવે છે. રોજ સૂર્ય નમસ્‍કાર કરવા.