Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

કોલેજવાડી પાસે એપાર્ટમેન્ટમાં ધો.૧૦ના છાત્ર આદિત્યનો આપઘાતઃ કારણ અકબંધ

એકના એક પુત્રના મૃત્યુથી પરિવારમાં આક્રંદ

રાજકોટ, તા.૧: કોલેજવાડી પાસે ગંગાજમના એપાર્ટમેન્ટમાં રહેતા ધો.૧૦ના છાત્રએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ કોલેજવાડી-પમાં આવેલ ગંગા જમના એપાર્ટમેન્ટમાં રહેતો અને ધો.૧૦માં અભ્યાસ કરતો આદીત્ય સુનીલભાઇ રાઠોડ(ઉ.વ.૧૬) એ પોતાના ઘરે પંખા સાથે ચુંદડી બાંધી ગળા ફાંસો ખાઇ લીધો હતો. પાડોશીએ બારીમાંથી આદીત્યને લકતી હાલતમાં જોઇ તેના માતા-પિતાને જાણ કરતા તે તાકીદે દોડી આવ્યા ત્યારે પુત્રને લટકતી હાલતમાં જોતા દેકારો મચાવ્યો હતો. બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તપાસનીસ તબીબોએ તેનું મૃત્યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરી હતી. જાણ થતા પ્રનગર પોલીસ મથકના એ.એસ.આઇ. હરેશભાઇ રત્નોતરે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક આદીત્ય ધો.૧૦માં અભ્યાસ કરતો હતો. પિતા એલઆઇસીમાં નોકરી કરે છે, છાત્રએ કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(2:59 pm IST)