Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

અંતે રૈયારોડ અંડરબ્રીજમાંથી કિસાનપરા ચોક જતો માર્ગ પુર્વવત કરાયો : 'અકિલા'એ લોકલાગણીનો પડઘો પાડયો

તંત્રીશ્રી,

ગત ૨૧ જાન્યુઆરીના આમ્રપાલી અંડરબ્રીજ અવર જવર માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ખુલ્લો મુકાયો અને બીજા જ દિવસે રૈયા રોડથી આવતા જનસમુદાયને મેયર બંગલેથી યુ-ટર્ન લઇને કિસાનપરા ચોક થઇ જિલ્લા પંચાયત ચોક તરફ જવા ફરજ પડાઇ. લોકોને થઇ રહેલ આ મુશ્કેલીને 'અકિલા' એ ન્યુઝ પેપરમાં વાચા આપી. જે વાંચીને તંત્રને તેની ભુલ સમજાઇ. ફરી લોકો માટે રૈયા રોડ પરથી કિસાનપરા જવા માટે જુની પધ્ધતિ મુજબ રસ્તો ખુલ્લો કરી દેવાયો. આમ 'અકિલા' એ લોકડાગણીનો પડઘો પાડી બતાવ્યો.

- પ્રમોદ વોરા, મો.૯૯૨૪૧ ૨૫૯૮૭

(3:48 pm IST)