Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

અકિલા પરિવારના સ્‍વ. વીણાબેન ગણાત્રાને રડતી આંખોએ અંતિમ વિદાય

રાજકોટ : અકિલાના તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રાના જીવનસંગીની શ્રીમતિ વીણાબેન (ઉ.૭૦) ગઇકાલે શ્રીજીચરણ પામતા અકિલા પરિવાર, ગણાત્રા પરિવાર અને સગા-સબંધીઓમાં ઉંડા દુઃખની લાગણી વ્‍યાપી ગઇ છે. ગઇકાલે તેમના પાર્થિવ દેહને અકિલાના પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, જલારામ જયોતના તંત્રી શ્રી સુરેશભાઈ ગણાત્રા તથા રાજુભાઈ ગણાત્રા, અકિલાના તંત્રી શ્રી અજિતભાઈ ગુણવંતભાઈ ગણાત્રા, શ્રીમતી મીનાબેન હરીશભાઈ ચગ, ભારતીબેન લલીતભાઈ સવજાણી, ભાવનાબેન દીપકભાઈ નાગ્રેચા અને સ્‍મિતાબેનᅠ સુનિલભાઈ રાયચુરા તથા અકિલાના એક્‍ઝિક્‍યુટિવ એડિટર શ્રી નિમિષ ગણાત્રા તથા દિવ્‍યાબેન હિંમતભાઈᅠઅઢિયા (મુંબઈ) તેમજ અન્‍ય સગા-સબંધીઓ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ ફુલહાર કરી શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી. સૌની ભીની આંખો વચ્‍ચે તેમની અંતિમયાત્રા નિકળી હતી. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(11:39 am IST)