Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

એમ.જે.એમ.સી.માં શ્રેષ્‍ઠ દેખાવ કરનાર દેવ મહેતાનેઅકિલાનો ‘સ્‍વ. ગુણવંતભાઇ ગણાત્રા' સૂવર્ણચંદ્રક એનાયત

રાજકોટ તા. ૧: હાલમાં યોજાયેલ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પ૭માં દિક્ષાંત સમારોહમાં માસ્‍ટર્સ ઓફ જર્નાલીઝમમાં ઉર્તીણ થઇ શ્રી સ્‍વ. ગુણવંતભાઇ લાલજીભાઇ ગણાત્રા (અકિલા) દ્વારા સુવર્ણચંદ્રક તેમજ તેની ડિગ્રી રાજયના કુલાધીપતિ આચાર્ય શ્રી દેવવ્રતની વર્ચયુલ ઉપસ્‍થિતિમાં શિક્ષણમંત્રી શ્રી ઋષિકેશ પટેલના વરદ હસ્‍તે દેવ સુનિલભાઇ મહેતાને એનાયત કરાયો.

મહેતા કુટુંબના પત્રકારત્‍વના વારસાને અવિરત પણે જાળવી અને પોતાના દાદા સ્‍વ. જશુભાઇ મહેતાને લોકોની વાતને રજુ કરતા અને તેઓને પત્રકારત્‍વ ક્ષેત્રેના યોગદાનને પ્રેરણાસ્‍તોત્ર બનાવી બે વાર ગોલ્‍ડ મેડલીસ્‍ટ બની આ સિદ્ધિ હાસિલ કરી છે. પત્રકારત્‍વ એટલે લોકોની વાતનું સચોટ નિરુપણ અને તેમની વાતને રજુઆત કરવાનું એક ઉત્તમ માધ્‍યમ કહેવાય છે જે દેવને હંમેશા આ ક્ષેત્રે પ્રેરણા આપે છે. તેણે પોતાના સુજથી આ ક્ષેત્રમાં   પોતાના   સ્‍વપ્‍નને   સપોર્ટ તણે હાસિલ કર્યું છે.

પપ્‍પા સુનિલભાઇ અને મમ્‍મી મનીષાબેન મહેતાના માર્ગદર્શન અને સપોર્ટ દ્વારા તેણે આ સિદ્ધિ વધુ સારી રીતે મેળવી છે. આ તકે સમગ્ર મહેતા કુટુંબને ગૌરવવંત કરતા દેવ મેહતા (મો. ૯૪૦૮૬ ૧૧૪૯૯) ને ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(3:48 pm IST)