Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

પેપરલીક કાંડના વિરોધમાં એનએસયુઆઈ દ્વારા સરકાર વિરોધ સુત્રોચ્‍ચાર- પુતળાને ફાંસીએ લટકાવ્‍યો

રાજકોટઃ પેપરલીક કાંડના વિરોધમાં ઈન્‍દિરા સર્કલ ખાતે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારા આ સરકારના પૂતળાને ફાંસી આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્‍યો હતો. જેમાં એનએસયુઆઈના હોદ્દેદારો, કાર્યકર્તાઓ દ્વારા પૂતળાને ફાંસી આપી, સરકાર વિરોધ સૂત્રોચાર કરવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ પ્રમુખ નરેન્‍દ્ર સોલંકી, હરપાલસિંહ જાડેજા, પ્રદિપસિંહ ડોડીયા, બ્રિજરાજસિંહ રાણા, રવિ જીતિયા, પાર્થ બગડા, ભવ્‍ય પટેલ, હર્ષરાજસિંહ જાડેજા, રિયાઝ સુમરા, આર્યન કનેરીયા, રોહિત રાઠોડ, ધવલ રાઠોડ, સમીર ચૌહાણ સહિત કાર્યકર્તાઓ જોડાયા હતા.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:49 pm IST)