Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

મનપાના એસ.આઈ નીલેશ પંડયા સહિત ૧૫ કર્મચારીઓ નિવૃત : વિદાયમાન

ઈન્‍ચાર્જ મ્‍યુનિ. કમિશનર અનિલ ધામેલિયા અને નાયબ મ્‍યુનિ. કમિશનર ચેતન નંદાણી તથા શાખા અધિકારીઓના હસ્‍તે મોમેન્‍ટો અને પ્રમાણપત્ર એનાયત

રાજકોટઃ મહાનગરપાલિકાનાં મે-૨૦૨૩માં નિવૃત થતા ૧૫ કમર્ચારીઓને ઈ.ચા. મ્‍યુનિ. કમિશનર અનિલ ધામેલિયા દ્વારા મોમેન્‍ટો અને શુભેચ્‍છા પત્ર આપી વિદાયમાન આપવામાં આવ્‍યું હતું. વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓ નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પણ કમિશનરશ્રી દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલ છે. જે કર્મચારી નિવૃત થઇ રહ્યા હતા તેમને ઈ.ચા. મ્‍યુનિ. કમિશનર અને નાયબ મ્‍યુનિ. કમિશનર સહીત તેના જ શાખા અધિકારીઓના હસ્‍તે મોમેન્‍ટો અને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. જેમાં મે-૨૦૨૩નાં છેલ્લા દિવસે  એસ્‍ટેટ શાખાના પગી  પરમાર મંજુબેન મનહરભાઈ,  આરોગ્‍ય શાખાના લેબર રાઠોડ મનુ ભોજાભાઈ, સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટના સેનીટરી ઇન્‍સ્‍પેકટર પંડ્‍યા નીલેશભાઈ ભાનુભાઈ,  સ્‍પેશિયલ કોન્‍સર્વંસીના હેવી વ્‍હીકલ ડ્રાઈવર વાણીયા જેન્‍તી ડાયાભાઈ,  સુરક્ષા શાખાના જુનીયર ક્‍લાર્ક જોષી જયેશભાઈ ચિતરંજનભાઈ, ટેક્‍સ શાખાના જુનીયર ક્‍લાર્ક મકવાણા શંકરભાઈ કાનજીભાઈ,  ટાઉન પ્‍લાનિંગ શાખાના જુનીયર ક્‍લાર્ક વ્‍યાસ રક્ષાબેન નીલેશકુમાર, અર્બન મેલેરિયાના ફીલ્‍ડ વર્કર માંન્‍દ્ય્રા યાકુબ ઈશાભાઈ, વોટર વર્કસ (આઉટડોર) શાખાના પેટ્રોલર સધારીયા સુખલાલ પ્રેમજીભાઈ, સફાઈ કામદાર વાદ્યેલા સવિતાબેન હરિભાઈ,  સફાઈ કામદાર સોલંકી નાગર મગનભાઈ,  સફાઈ કામદાર ખંડવી હંસાબેન નટવરલાલ,  સફાઈ કામદાર વાળા સંગીતાબેન પંકજભાઈ,  સફાઈ કામદાર ચૌહાણ કાલીદાસ કેશવલાલ અને  સફાઈ કામદાર પરમાર રૂપાબેન લાલજીભાઈ સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ નિવૃત્તિ વિદાયમાન કાર્યક્રમમાં નાયબ મ્‍યુનિ. કમિશનર ચેતન નંદાણી, ચીફ એકાઉન્‍ટન્‍ટ અમિત સવજીયાણી, સહાયક મ્‍યુનિ. કમિશનર સમીર ધડુક, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, આરોગ્‍ય અધિકારી જયેશ વકાણી, ટાઉન પ્‍લાનીગ ઓફિસર એમ. ડી. સાગઠીયા, આસિસ્‍ટન્‍ટ મેનેજર  ભરત કાથરોટીયા,  મનિષ વોરા તથા વિવેક મહેતા અને  દિપેન ડોડીયા તેમજ મેલેરિયા વિભાગના બાયોલોજીસ્‍ટ વૈશાલીબેન રાઠોડ સહીતનાં અધિકારીઓ - કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:44 pm IST)