Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

જય સંત શ્રી વેલનાથદાદા : શોભાયાત્રાઃ સંતો - મહંતો રાજકીય આગેવાનોના હસ્‍તે પૂજન

રાજકોટ : આજે અષાઢી બીજના સંત શ્રી વેલનાથ જન્મજયંતિ નિમિતે શ્રી ચુવાડીયા કોળી (ઠાકોર) વિદ્યાર્થી ભુવન અને બોર્ડિંગ - રાજકોટ દ્વારા શોભાયાત્રા નીકળી હતી. સંતો - મહંતો તેમજ રાજકીય આગેવાનોના હસ્તે સંત શ્રી વેલનાથદાદાની પ્રતિમાનું પૂજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે પૂર્વ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી તેમજ જ્ઞાતિના આગેવાન વીરજીભાઈ સનુરા, દેવજીભાઈ ફતેપરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા. વિવિધ સાંસ્કૃતિક ફલોટ્સ, શણગારેલ કાર, ટ્રક સહિત ટુ વ્હીલરમાં મોટી સંખ્યામાં ભાવિકો જાડાયા હતા. રથયાત્રા - શોભાયાત્રા દરમિયાન રાસ મંડળીની પણ જમાવટ થઈ હતી. શહેરના વિવિધ માર્ગો ઉપર શોભાયાત્રાનું શરબત, પાણી, સાકર, પતાશાથી સ્વાગત કરવામાં આવ્યુ હતું. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(12:12 pm IST)