Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

સ્ટર્લીંગ હોસ્પિટલના કેન્સર સર્જન ડો. કોયાણી અને ડો. કરમટા કોવિડ-૧૯ પોઝિટિવ : સ્વસ્થ

રાજકોટ તા. ૧ : કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. દર્દીઓની સાથે હવે ડોકટર પણ કોવિડ-૧૯ની ઝપટે ચડી રહ્યા છે. અગાઉ ૨૦થી વધુ ડોકટરો કોરોના પોઝિટિવ થયા છે અને સ્વસ્થ થઇ પુનઃ દર્દીઓની સેવામાં લાગ્યા છે.

ચાર દિવસ પૂર્વે સ્ટર્લિંગ હોસ્પિટલના જાણીતા કેન્સર સર્જન ડો. હિમાંશુભાઇ કોયાણી અને બાળરોગ નિષ્ણાંત ડો. નિરવ કરમટાનો કોવિડ-૧૯નો રિપોર્ટ પોઝિટિવ આવેલ. બંને સેલ્ફ આઇસોલેશન થઇ સારવાર લઇ રહ્યા છે. બંને સંપૂર્ણ સ્વસ્થ છે.

તબીબો આલમમાં પણ ડોકટરો કોવિડની ઝપટે ચડી જતા હોય ભારે ચિંતાની લાગણી ફેલાય છે.

(3:36 pm IST)