Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

રાજકોટના ટેલીકોમ જનરલ મેનેજર અશોક કુમાર ઉપાધ્યાય સેવા નિવૃતઃ તેમના સ્થાને ભુજના જનરલ મેનેજર શ્રી સિંધવીને ચાર્જ સોંપાયો

રાજકોટ ટેલીકોમમાં સવા બે વર્ષ સફળ કામગીરી બજાવનાર જનરલ મેનેજર અશોકકુમાર ઉપાધયાય રીટાયર્ડ થતાં કર્મચારી - અધિકારીઓએ તેમને ભાવભર્યુ વિદાયમાન આપ્યુ હતું. શ્રી અશોકકુમાર ઉપાધ્યાયએ દરેક કર્મચારી - અધિકારીને પત્ર પાઠવી સહકાર બદલ આભાર વ્યકત કર્યો હતો તથા રાજકોટ ટેલીકોમના જનરલ મેનેજર તરીકે ભુજના શ્રી સિંધવીને હાલ વધારાનો ચાર્જ સોંપાયો છે. તેઓ મંગળવારે ચાર્જ લેશે તેમ અધિકારીઓ જણાવી રહ્યા છે

(3:37 pm IST)