Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

આજે દેશ માટે મરવાના બદલે જીવવાની ખાસ આવશ્યકતા

'ભારતના પુનઃ નિર્માણમાં મહિલાઓના યોગદાન' વિષે શાંતાઆક્કાજીનું વ્યાખ્યાન : ધર્મ, સંસ્કૃતિ, આત્મીયતા અને સમરસતાના સંસ્કારો દ્વારા ભારતના નવા નિર્માણ માટે મહિલાઓ આગવી ભૂમિકા ભજવે

રાજકોટ : રાષ્ટ્ર સેવિકા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આત્મીય કોલેજના ઓડીટોરીયમમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે 'ભારતના પુનઃ નિર્માણમાં મહિલાઓનું યોગદાન' વિષય પર કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમમાં રાષ્ટ્ર સેવિકા સમિતિના અધ્યક્ષા તેમજ મુખ્ય વકતા પ્રમુખ સંચાલિકા શાંતાઆકકાજીએ ઉપસ્થિત રહી વિષયને અનુરૂપ માર્ગદર્શન આપેલ હતું. રાષ્ટ્રસેવિકા સમિતિ વિશ્વનું સૌથી મોટું સ્વૈચ્છિક અને નિઃસ્વાર્થ ભાવે કામ કરતુ બહેનોનું સંગઠન છે. આ સંગઠનના પ્રમુખ સંચાલિકા શાંતાઆક્કાના પ્રેરણાદાયી વકતવ્યમાં તેણે રાષ્ટ્રપ્રેમ તથા સમાજની વ્યકિત પ્રત્યે આત્મીયતાનો ભાવ નિર્માણ કરી બહેનોનું સંગઠન નિર્માણ કરવા ઉપર ભાર મૂકયો હતો.

વિદેશી ગુલામીની માનસિકતા છોડીને રાષ્ટ્રને પરમ વૈભવશાળી  બનાવવા મહિલાઓ ઘણુ મોટું યોગદાન આપી શકે એવી પ્રબળ રાષ્ટ્રભકત નારી શકિતનું નિર્માણ કરવા માટે રાષ્ટ્ર સેવિકા સમિતિ કાર્યરત છે. સમિતિની શાખાઓમાં રાષ્ટ્રભકિત, સંસ્કૃતિ પ્રત્યે આદર તથા સમાજની વિષમતાને દૂર કરી સમરસતા નિર્માણ કરવાનું કામ ચાલી રહ્યુ છે. ભારતના ઈતિહાસમાંથી પ્રેરણા મેળવીને તથા સમાજ માટે ઘસાઈ છૂટવાની ભાવના રાખીને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં મહિલાઓના યોગદાન વિષે ઉદ્દબોધન કર્યુ હતું.

રાષ્ટ્ર જયારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યુ છે ત્યારે શહીદોના બલિદાનોમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્ર માટે નિરંતર કામ કરવાની આવશ્યકતા છે. આજે દેશ માટે મરવાને બદલે દેશ માટે જીવવાની ખાસ આવશ્યકતા છે. સંસ્કૃતિ ધર્મ તથા આત્મીયતાના સંસ્કારો સમાવજને બળ પૂરૂ પાડશે અને આવતીકાલનું ભારત પરમ વૈભવને પ્રાપ્ત કરે, તે માટે રાષ્ટ્ર સેવિકા સમિતિ રાષ્ટ્રીય ચેતના જગાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યુ છે. તેમાં ભારતની મહિલાઓ મોટા પ્રમાણમાં જોડાઈને આ કાર્યને ગતિ આપે તેવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.

મુખ્ય મહેમાન તરીકે આત્મીય યુનિ.ના ભકિત આશ્રમના સુબોધબેન ઉપસ્થિત રહ્યા હતા. આત્મીય યુનિવર્સિટીના સ્વસ્તિકબેને જણાવેલ કે મહારાણી લક્ષ્મીબાઈ, જીજાબાઈ જેવી મહાન રાષ્ટ્રભકત મહિલાઓના ઉદાહરણો આપી. રાષ્ટ્રભકત, નીડર, પરાક્રમી મહિલાઓનું ઘડતર જ ભારતવર્ષને મહાન અને વિશ્વગુરૂ ભારતના નિર્માણમાં યોગદાન આપી શકે તેવું આહવાન કર્યુ હતું. અતિથિ વિશેષ તરીકે ડો.અમીબેન મહેતાએ બહેનો શ્રેષ્ઠ સંતતિના નિર્માણ માટે મહિલાઓને આગળ આવવા અપીલ કરી હતી.

કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય શાંતાઆક્કા તેમજ કાર્યક્રમની ભૂમિકા ડો.આરતીબેન ઓઝાએ સ્વાગત અને પરીચય કાંતાબેન કથીરીયાએ કરાવેલ. કાર્યક્રમનું સંચાલન અવનીબેન ઉપાધ્યાયે કરેલ. કાર્યક્રમમાં સમાજ અગ્રણી મહિલાઓ શ્રીમતી અંજલીબેન રૂપાણી, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, રક્ષાબેન બોળીયા, જશુબેન વસાણી, લીનાબેન શુકલ, રમાબેન હેરમા, કિરણબેન માકડીયા, જયશ્રીબેન શેઠ, નયનાબેન પેઢડીયા, નીતાબેન અમલાણી, ભરતીબેન વસા, કીર્તીબેન જાદવ, કાઠીયાવાડ બાલાશ્રમના આશાબેન, વીણાબેન પાંધી, રેશ્માબેન, રાષ્ટ્રસેવિકા સમિતિના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત અધિકારીઓ બૌદ્ધિ પ્રમુખ કાંતાબેન નાથાણી, કચ્છથી સહ બૌદ્ધિ પ્રમુખ ડો.પ્રતિક્ષાબેન ભટ્ટ, અમરેલીથી નિધિ પ્રમુખ અંજનાબેન ટીંબડીયા અને શારીરીક પ્રમુખ રસીલાબેન, સેવા પ્રમુખ કુંદનબેન ભટ્ટ, વિભાગ સ્તરના પ્રફુલાબેન શીશાંગીયા, સરોજબેન કવૈયા અને ભારતીબેન રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંતના આર.એસ.એસ.ના અધિકારીઓ સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ કિશોરભાઈ મુંગલપરા, સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત સહ વ્યવસ્થા પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ દવે, રાજકોટ મહાનગર સંઘચાલક ડો.જીતેન્દ્રભાઈ અમલાણી, ડો.વલ્લભભાઈ કથીરીયા, શ્રી દિનેશભાઈ પાઠક, ઓમભાઈ તથા વિભાગ સ્તરના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ મહાનગર કાર્યવાહીકા જશ્મીનબેન પાઠક, નેહાબેન કનૈયા, રંજનબેન ઠાકર, નીતાબેન દવે, જાગૃતિબેન દવે, પારૂલબેન બલભદ્ર, પાયલબેન સવસાણી, નીલાબેન મલકાણ, પાયલ વઘવાની, ઉન્નતીબેન ચાવડા, સરોજબેન રૂપાપરા, ચાર્મીબેન, ખુશીબેન, જાનવીબેન જાદવ, વિશ્વાબેન લાઠીયા, રમાબેન પાનસુરીયા, ભારતીબેન રાજગોર, ક્ષેત્ર કાર્યવાહીકા રાજશ્રીબેન જાની અને સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યવાહીકા નીતાબેન જાની સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

(3:19 pm IST)