Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

‘આઝાદીકા અમૃત મહોત્સવ’’ અન્વયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે બીજી ઓકટોબરે યોજાનારી ‘‘ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન’’

નાગરિકોને દોડમાં સામેલ થવા જિલ્લા વહીવટીતંત્રનો અનુરોધ

રાજકોટ : બીજી ઓકટોબરે સવારે ૮.૦૦ વાગ્યે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ‘‘ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન’’ યોજાશે, જેમાં શહેરીજનોને સામેલ થવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
  નહેરૂ યુવા કેન્દ્ર, રાજકોટ, કેન્દ્રીય રમત-ગમત અને યુવા પ્રવૃતિઓના વિભાગ, તથા નેશનલ સર્વિસ સ્કીમ(એન.એસ.એસ.) દ્વારા સંયુકતપણે યોજાનારી આ દોડને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેઇન બિલ્ડીંગ ખાતેથી બીજી ઓકટોબરે સવારે ૮.૦૦ વાગ્યે પ્રસ્થાન કરાવવામાં આવશે. આ દોડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી , મુંજકા સર્કલ, આકાશવાણી સર્કલ,  પ્રમુખધામ રોડ, કાલાવડ રોડ, યુનિ.રોડ થઇને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સંપન્ન થશે. આ દોડનું થીમ ‘‘જનભાગીદારીથી જનઆંદોલન’’ નિયત કરાયું છે. થીમ અનુસંધાને રોજિંદા જીવનમાં શારીરિક ચુસ્તી પ્રત્યે જાગૃતિ કેળવાય અને મેદસ્વિતા-આળસુપણું-તનાવ-ચિંતા-અન્ય રોગો વગેરેથી છુટકારો મળે તેવા શુભાશયથી આ દોડનું આયોજન કરાયું છે. નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર અને નહેરૂ યુવા કેન્દ્રના  ડીસ્ટ્રીકટ યુથ ઓફિસરશ્રી સચિન પાલ દ્વારા વધુને વધુ નાગરિકોને આ દોડમાં જોડાવા માટે જણાવાયું છે.

(7:10 pm IST)