Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

કાલે પુસ્તક પરબ પર આવો, સાહિત્ય સેતુનું સ્નેહથી નિમંત્રણ

રાજકોટ, તા. ૧ : દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સાહિત્ય સેતુ સંસ્થા દ્વારા દર મહિનાના પ્રથમ રવિવારે રસિકભાઇ મહેતા પુસ્તક પરબ યોજાય છે. તે કામ મુજબ કાર્યક્રમનું ૧૩ મું ચરણ કાલે ઓકટોબરના પ્રથમ રવિવારે કાલે તા. ર મહાત્મા ગાંધીના જન્મદિવે સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી કોટેચા ગર્લ્સ હાઇસ્કુલ, કાલાવડ રોડ ખાતે યોજાનાર છે. વાંચકો પોતાને ગમતુ પુસ્તક કોઇ ફી કે ડીપોઝીટ વગર વાંચવા લઇ જઇ  શકશે. આયોજનની સફળતા માટે અનુપમ દોશી (૯૪ર૮ર ૩૩૭૯૬), જનાર્દન આચાર્ય, સુધીર દતા, પ્રકાશ હાથી, પંકજ રૃપારેલીયા, નૈષધ વોરા, હસુભાઇ શાહ, જયેન્દ્ર મહેતા, દક્ષિણ જોષી, પરિમલ જોષી વગેરે કાર્યરત છે. (૯.૧૦)

(3:40 pm IST)