Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

સોરઠીયાવાડી સર્કલ પાસે વૃધ્‍ધ લક્ષ્મણભાઇનું બીમારીથી મોત

રાજકોટ,તા.૧ : કોઠારિયા રોડ સોરઠીયાવાડી સર્કલ પાસે બીમારીના કારણે વૃધ્‍ધનું સારવાર દરમ્‍યાન સિવિલ હોસ્‍પિટલમાં મોત નિપજ્‍યુ હતું.

મળતી વિગત મુજબ સોરઠીયાવાડી સર્કલ પાસે પાંચ દિવસ પહેલા લક્ષ્મણભાઇ કાલીદાસભાઇ સોલંકી (ઉવ.૬૦) બીમારીના કારણે બેભાન હાલતમાં પડેલ હોય તેનો ૧૦૮ મારફતે સારવાર માટે  સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં ગઇ કાલે તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યુ હતું. આ અંગે ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્‍સ. એન.એ.ગઢવીએ કાર્યવાહી કરી હતી.

(3:52 pm IST)