Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

મનપાના બેંક કર્મચારીઓને નિવૃત વિદાયમાન આપતા મ્યુ. કમિશ્નર

 રાજકોટઃ મહાનગરપાલિકાનાં કમિશનર   અમિત અરોરાએ વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીશ્રીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવેલ છે, જેમાં ગઈકાલ તા. ૩૦ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના બે કમર્ચારીઓ નિવૃત થતા મ્યુનિ. કમિશનરએ વિદાયમાન આપ્યું હતું.  ગઈકાલે પુરા થયેલા નવેમ્બર-૨૦૨૧નાં છેલ્લા દિવસે નિવૃત્ત થયેલ સ્ટાફમાં ગાર્ડન એન્ડ પાકર્સ શાખાના ગાર્ડનર શ્રી કાન્તીભાઈ સવજીભાઈ ચાવડા અને ફાયર એન્ડ ઇમરજન્સી શાખાના ડ્રાઈવર  બીપીનભાઈ કેશુભાઈ ડોડીયાનો સમાવેશ થાય છે. ગઈકાલે તા. ૩૦-૧૧-૨૦૨૧ના રોજ સાંજે ૬.૩૦ કલાકે રાજકોટ મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન સ્થિત કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલા નિવૃત્તિ વિદાય સન્માન સમારોહમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરાના વરદ હસ્તે કર્મચારીઓને મોમેન્ટો તેમજ સન્માન પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં તેમજ કર્મચારીઓના પી.એફ. અને હક્ક રજાના રોકડમાં રૂપાંતર અંગેના ચુકવણીના હુકમો તથા પી.પી.ઓ. બુકની નકલ પણ આપવામાં આવેલ હતી.

(3:39 pm IST)