Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

મનસુખભાઇ કાલરીયાના સમર્થનમાં અપક્ષ ઉમેદવાર કીર્તીકુમાર મારવાણીયાએ ટેકો જાહેર

રાજકોટઃ પヘમિ વિધાનસભા રાજકોટ ૬૯ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મનસુખભાઇ કાલરીયાના મધ્‍યસ્‍થ કાર્યાલયે ચૂંટણીના અપક્ષ ઉમેદવાર ક્રમાંક નંબર ૬ સાધુ વાસવાણી રોડ પર રહેતા કીર્તિકુમાર બાવનજીભાઇ મારવાણીયાએ કોંગી ઉમેદવાર મનસુખભાઇ જાદવજીભાઇ કાલરીયાને ખુલ્લો ટેકો જાહેર કરી પોતાનું સમર્થન આપેલ છે. મનસુખભાઇએ પણ સહર્ષ કોંગ્રેસ પક્ષના અસંખ્‍ય કાર્યકરો સાથે આવકારી કોંગ્રેસની ટીમ સાથે કામે લાગી જવા અપીલ કરી હતી.

આ અપક્ષ ઉમેદવાર કિર્તીકુમારે જણાવેલ કે મનસુખભાઇની સાદગી અને એક જાગૃત પ્રહરી તરીકેની ભૂમિકા જ્‍યારે ભજવી રહ્યા છે. ત્‍યારે તેમને ટેકો આપવો એ મારી ફરજ છે જે પગલે બિનશરતી રીતે કોંગ્રેસ પક્ષને હું ખુલ્લો ટેકો જાહેર કરુ છું. રાજકોટના ટ્રાફિક સહિતના જે પ્રાણ પ્રશ્નો છે તે પોતે અભ્‍યાસુ અને શિક્ષિત હોય ત્‍યારે વિધાનસભામાં પણ તેઓ રાજકોટના પ્રાણ પ્રશ્નો હલ કરી શકે તેવી ક્ષમતા ધરાવતા હોવાનુ જણાવેલ. આ પ્રસંગે તુષિતભાઇ પાણેરી, ડી.બી.ગોહિલ, વિપુલભાઇ ભાલોડીયા, મુકેશભાઇ પરમાર, પાસવાન, જગદીશભાઇ ડોડીયા, નિલેશ વિરાણી, અંકુરભાઇ માવાણી, ગજેન્‍દ્રસિંહ ઝાલા, ગિરીશભાઇ ધરસનડીયા, જયેન્‍દ્રસિંહ ચાવડા, સંજયભાઇ હિરાણી, નિલેશભાઇ વિરાણી, અલકાબેન ગોટી, સુનિલભાઇ સંતોકી, અશ્વિનભાઇ કણસાગરા, જગદીશભાઇ કણસાગરા સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા

(4:21 pm IST)