Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

માલી સમાજ રાજકોટ દ્વારા રવિવારે રતનપરમાં દ્વીતીય સમુહલગ્નોત્‍સવ

રાજકોટ તા. ૧ : માલી સમાજ રાજકોટ દ્વારા આગામી તા. ૪ ના રવિવારે દ્વીતીય સમુહલગ્નનું આયોજન કરાયુ છે. રતનપર પંચદેવી મંદિરે યોજાનાર આ સમુહલગ્નમાં ૨૪ દિકરીઓ પ્રભુતામાં પગલા માંડશે.

સમૂહલગ્નના મુખ્‍ય દાતા તરીકે સ્‍વ. જમનાબેન અરજણભાઇ વાવેશા પરિવારે લાભ લીધો છે. માલી યુવક મંડળ અને સત્‍યમ મહિલા મંડળ જહેમત ઉઠાવી રહેલ છે.

રાજકોટ માલી સમાજ તથા સમુહલગ્નોત્‍સવ સમિતિના પ્રમુખ તરીકે નામેરીભાઇ દેવશીભાઇ સોલંકી, ઉપપ્રમુખ તરીકે પરસોતમભાઇ મનજીભાઇ સીસોદીયા, મંત્રી તરીકે ભાવેશભાઇ રમેશભાઇ સોલંકી, સહમંત્રી તરીકે સુરેશભાઇ વીસાભાઇ હિરાણી, ખજાનચી તરીકે હિતેન્‍દ્રભાઇ ભવનભાઇ સોલંકી, સહખજાનચી તરીકે નિલેશભાઇ દેવશીભાઇ પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે.

રાજકોટ માલી સમાજ બારોબારી સભ્‍યોમાં ખીમજીભાઇ વિરાભાઇ સોલંકી, રામજીભાઇ પેથાભાઇ વાવેશા, પેથાભાઇ ભુરાભાઇ માલી, રતનશીભાઇ ગોપાલભાઇ સોલંકી, અરજણભાઇ ભીમજીભાઇ વાવેશા, અમરતભાઇ ધરમશીભાઇ પરમાર, વેલજીભાઇ કરમશીભાઇ માનાણી, વેલજીભાઇ હરજીભાઇ માનાણી, પ્રેમજીભાઇ દાનાભાઇ ભાટુરા, રામજીભાઇ પુંજાભાઇ માનાણી, પ્રવિણભાઇ રામસંગભાઇ પરમાર, અશોકભાઇ દેવશીભાઇ પરમાર, ખેતાભાઇ હરજીભાઇ પરમાર સેવા આપી રહ્યા છે.

(4:12 pm IST)