Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

શ્‍યામકિરણ સોસાયટીમાં જમુનાબેન વાઘેલાનો આપઘાત

માનસિક તકલીફને કારણે ગળાફાંસો ખાઇ લીધો

રાજકોટ તા. ૧: આજીડેમ ચોકડી પાસે શ્‍યામકિરણ સોસાયટી-૨માં રહેતાં જમુનાબેન અમીતભાઇ વાઘેલા (ઉ.૩૯) નામના મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. મહેન્‍દ્રભાઇ પરમારે જરૂરી કાર્યવાહી કરી હતી. જમુનાબેનના પતિ મજુરી કામ કરે છે. તેને સંતાનમાં બે પુત્ર છે. માનસિક તકલીફને કારણે તેમણે આ પગલુ ભરી લીધાનું જણાવાયું હતું.

(4:22 pm IST)