Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

રાજકોટ માટે 3150 નંગ રેમડીસીવીર ઇન્જેક્શન ફાળવાયા

રાજકોટ : કોરોનાના દર્દીઓની સારવાર માટે ખુબ મહત્વના રેમડીસીવીર ઈન્જેક્શનની અછતની ફરિયાદના પગલે સરકારે તાબડતોડ વ્યવસ્થા કરી છે,રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડો, એચ, જી, કોશિયાના જણાવ્યા મુજબ covifor કંપનીના 1150 અને ઝાયડસ કેડિલાના 2000 ઇન્જેક્શન ફાળવાયા છે જરૂર મુજબ વધુ ઈન્જેક્શનોની વ્યવસ્થા કરવામાં આવશે

 મહારષ્ટ્રમાં આ ઈન્જેક્શનોની વધુ માંગ ઉભી થતા કંપનીઓએ ત્યાંની માંગને પહોંચી વળવા પ્રયાસ કરેલ તેથી થોડી અસર ગુજરાતમાં જોવા મળેલ, સરકાર સમયસર જરૂરી કાર્યવાહી કરી રહી છે ગુજરાતમાં ઈન્જેક્શનની તકલીફ પડશે નહીં

(8:02 pm IST)