Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

વીજ તંત્રમાં બદલી-બઢતીઃ બે ઇજનેરને પ્રમોશનઃ ૪ની બદલીના ઓર્ડરો

રાજકોટ તા. ૧ :.. પીજીવીસીએલના એમ. ડી. શ્રી વરૂણકુમાર બરનવાલે પોતાની બદલી બનાસકાંઠા કલેકટર તરીકે થયા પહેલા ગઇકાલે બે ઇજનેરને પ્રમોશન તથા ૪ ની બદલીના ઓર્ડરોને મંજૂરી આપી હતી.

રાજકોટના સુપ્રિ. ઇજનેર આર. સી. પટેલને પ્રમોશન સાથે એડી. ચીફ ઇજનેર તરીકે રાજકોટમાં જ નિમણુંક અપાઇ છે. કેશોદના એકઝી. ઇજનેર એસ. એચ. રાઠોડને સુપ્રિ. ઇજનેર તરીકે બઢતી આપી મોરબી મુકવામાં આવ્‍યા છે.

બદલીઓમાં મોરબીના બી. આર. વડાવીયા રાજકોટમાં, એડી. ચીફ ઇજનેર એન. સી. ઘેલાણીને ચીફ ઇજનેર (મટીરીયલ) તરીકે રાજકોટમાં તો રાજકોટના આર. જી. ગોવાણીની આર એન્‍ડ સી.માંથી મટીરીયલમાં અને ચીફ ઇજનેર લાખાણીને મટીરીયલમાંથી ટેકનીકલમાં નિમણુંક અપાઇ છે.

(4:07 pm IST)