Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

ડીસીપી (ક્રાઈમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૧ઃ શહેર પોલીસના ક્રાઈમ બ્રાંચના પ્રથમ ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલનો  આજે જન્મદિવસ છે. શિસ્તના આગ્રહી અને કડક નિષ્ઠાવાન અધિકારીની છાપ ધરાવતાં ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ મૂળ સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના પાણશીણાના વતની છે.૨૦૧૪ બેચના આઈપીઍસ ડો.પાર્થરાજસિંહ ગોહિલે ઍમબીબીઍસનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ૨૦૧૪માં યુપીઍસસી ક્લીયર કર્યુ હતું અને બાદમાં આઇપીઍસમાં જોડાયા હતાં.  
 પ્રોબેશન પિરીયડ ગોંડલમાં પુરો કર્યો હતો. બાદમાં તેમને  ઍઍસપી રાધનપુર પાટણ તરીકે મુકવામાં આવ્યા્ હતાં. ત્યા રબાદ પોરબંદર ઍસપી તરીકે મુકવામાં આવ્યા હતાં. જ્યાં તેમણે પ્રશંસનીય  કામગીરી કરી હતી. ઍ પછી તેમને  મહેસાણા ઍસપી તરીકેની જવાબદારી સોપાઈ હતી. ત્યાંથી તેમને રાજકોટ ક્રાઇમ બ્રાંચના પ્રથમ ડીસીપી તરીકે મુકવામાં છે. ડો. પાર્થરાજસિંહ ગોહિલે  મહેસાણા અને પોરબંદર ઍસ.પી. તરીકે પ્રશંસનીય કામગીરી કરી છે. તેમજ કોરોનાકાળમાં તેમણે કરેલી કામગીરી અને માનવીય અભિગમને આજે પણ મહેસાણાના લોકો યાદ કરે છે. રાજકોટ શહેરમાં પ્રથમ ડીસીપી ક્રાઈમ તરીકે ચાર્જ સાંભળ્યા બાદ રાજકોટની ક્રાઇમ બ્રાંચ નોîધપાત્ર કામગીરી કરી ગુનાઅોને ભેદ ઉકેલી રહી છે અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તેવી કામગીરી કરે છે. ડો. પાર્થરાજસિંહ ગોહિલ (૯૯૭૮૪ ૦૫૪૮૫)ને ઉચ્ચ પોલીસ અધિકારીઅો, કર્મચારીઅો, પરિવારજનો મિત્રો તરફથી શુભેચ્છાઅો મળી રહી છે.

(11:43 am IST)