Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

‘‘આપ'' દ્વારા જનસંવાદ

આગામી ર૦રર માં જન સંવાદ કાર્યક્રમમાં ગુજરાત રાજયના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઇ ઇટાલિયા, આપ નેતા ઇન્‍દ્રનીલ રાજયગુરૂ, પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઇ લોખિલ, રાજકોટ શહેર પ્રમુખ શ્રી શિવલાલભાઇ બારસિયા, વોર્ડ નંબર ૧પ ના કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા, કોમલબેન ભારાઇ તેમજ રાજકોટ શહેર હોદેદારો અને તમામ મોર્ચાના હોદેદારો અને વોર્ડના હોદેદારો હાજર રહેલ હતા. આ વિધાનસભાની ચુંટણીની તૈયારીના ભાગ રૂપે વિધાનસભા ૬૮ના નાગરીકો સાથે જનસંવાદનું આયોજન યોજેલ હતું. જેમાં વિશાળ સંખ્‍યામાં શહેરી જન સમુદાય ઉમટી પડેલ અને આમ આદમી પાર્ટીના વકતાઓ સાથે સિધો જન સંવાદ નાગરીકોએ કરેલ. શહેર મહામંત્રી રાહુલભાઇ ભુવાએ લોકોને આવકારેલ, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઇ લોખીલે આમ આદમી પાર્ટીની વિચાર ધારાથી લોકોને વાકેફ કરેલ. તેમજ આમ નેતા ઇન્‍દ્રનીલ રાજયગુરૂએ તેમના વિધાનસભા ૬૮ના ધારાસભ્‍યના કાર્યકાળ વખતે કરેલ કામગીરીની વિગતો જણાવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન રાજકોટ શહેર સંગઠન મહામંત્રી રાહુલભાઇ ભુવા, શહેર મંત્રી મુન્‍નાભાઇ ગઢવી, ઇસ્‍ટ ઝોન પ્રભારી ભાવેશભાઇ પટેલ, સહસંગઠન મંત્રી પાલજીભાઇ રાઠોડ, ઓ.બી.સી. સેલ ઉપપ્રમુખ અશોકભાઇ મકવાણા, વિધાનસભા ૬૮ મહિલા પ્રભારી ખેરૂનબેન ભુવડ અને વિધાનસભા ૬૮ માં આવતા તમામ વોર્ડના પદાધીકારીઓ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

(4:08 pm IST)