Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

કાલે રકતદાન કેમ્‍પ

કનકભાઇ અજમેરાની પુણ્‍યતિથિ નિમિતે

રાજકોટઃ સિવિલ હોસ્‍પીટલના દર્દીઓને વિનામૂલ્‍યે બ્‍લડ મળી રહે તેવા શુભઆશયથી સ્‍વ. શ્રી કનકભાઇ ચિમનભાઇ અજમેરાની પ્રથમ વાર્ષિક પુણ્‍યતિથિ નિમિતે તથા શ્રીમદ્‌ રાજચંદ્ર સેવાગૃપના સહયોગથી તા.૩ રવિવારે, સવારે ૧૦ થી ૨ સુધી, મહાવીર સોસાયટી કોમ્‍યુનીટી હોલ(નિર્મલા કોન્‍વેન્‍ટ સ્‍કુલ રોડ) ખાતે રકતદાન કેમ્‍પનું  આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્‍પમાં ગં. સ્‍વ. અલ્‍કાબેન કનકભાઇ અજમેરા, ડોલીબેન કનકભાઇ અજમેરા, શ્રીમતી જયોતિબેન ચિમનભાઇ અજમેરા, વિકાસભાઇ ચિમનભાઇ  અજમેરા, વિનય જસાણી (૯૪૨૮૨૦૦૬૬૦), સિવિલ હોસ્‍પીટલ બ્‍લડ બેંકના તબીબોની ટીમ સેવા આપશે.

(3:21 pm IST)