Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

કોંગ્રેસ દ્વારા શ્રી નાગબાઇમાની શોભાયાત્રાનું સ્‍વાગત

 ચારણીયા સમાજ દ્વારા અષાઢી બીજ નિમિતે યોજવામાં આવેલ આઇશ્રી નાગબાઇ માતાજીની શોભાયાત્રા કિસાનપરા ખાતે આવી પહોંચતા પ્રદેશ મહીલા ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પ્રદેશ મહામંત્રી મહેશભાઇ રાજપુત દ્વારા ફુલહાર કરવામાં આવેલ. તેમજ ડો. યાજ્ઞીક રોડ ખાતે કોંગ્રેસ ઓબીસી સેલ અને એસ.ટી. સેલ દ્વારા માઇ ભકતો માટે ઠંડા પીણાની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. રામકૃષ્‍ણ આશ્રમ પાસે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપભાઇ ત્રિવેદી, અશોકસિંહ વાઘેલા, દિલીપભાઇ નથવાણી, કનકસિંહ જાડેજા, એડવોકેટ જીજ્ઞેશ જોષી, દીપક ભાટીયા, બોરીચાભાઇ, મહેશભાઇ બુધવાણી, જીજ્ઞેશ સોની, ભાવેશભાઇ રાજપુત, હીરલબેન રાઠોડ, પ્રફુલાબા રાઠોડ સહીતના આગેવાનોએ સ્‍વાગત કર્યુ હતુ. અહીં છાસ વિતરણની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી હતી.

 

(4:11 pm IST)