Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

પ્રભુને પ્રાર્થના...અને બાળકો સાથે ભોજન

 રાજકોટઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી-અંજલીબેન રૂપાણી, પોલીસ અધિકારી-મહેસુલી-કોર્પોરેશનના અધીકારીઓ તથા ભાજપના મહાનુભાવોએ આજે જનકલ્યાણ હોલ ખાતે ૮૦ થી વધુ અનાથ બાળકો-તેમના વાલીઓ-પાલક સગાજનો સાથે ભોજન કર્યું હતું, ભોજન પહેલા વિજયભાઇ અને અંજલીબેન રૂપાણીએ પ્રભુને પ્રાર્થના કરી હતી કે આ બાળકોની સેવા કરી શકું તેવી શકિત આપજે, ગુજરાતની મારી કોઇ પ્રજા અન્ન અને સેવા ક્ષેત્રે ભૂખી ન રહે...તમામના કામ થતા રહે તેવી શકિત આપી હતી, તસ્વીરમાં બાળકો સાથે ભોજન કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ અને અન્યો જણાય છે. જનકલ્યાણ હોલ ખાતે ભોજન અંગેની જવાબદારી સીટી પ્રાંત-૩ અને DSO શ્રી વિરલ દેસાઇ અને તેમની ટીમે સુપેરે નિભાવી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:17 pm IST)