Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ભગવતીપરામાં ધો. ૧૧ની છાત્રા નાઝનીન પઠાણનો ગળાફાંસો ખાઇ આપઘાત

સવારે પરિવારજનો પાણી ભરતા હતા ને સગીરાએ પગલુ ભરી લીધું: કારણ જાણવા તપાસ

રાજકોટ તા. ર :.. ભગવતીપરામાં રહેતી ધોરણ ૧૧ માં અભ્યાસ કરતી છાત્રાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ભગવતીપરા શેરી નં. ૯ માં રહેતી નાઝનીન ફિરોઝખાન પઠાણ (ઉ.વ.૧૭) નામની સગીરાએ પોતાના ઘરે રૂમમાં ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો સગીરાને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં. બાદ કોઇએ ૧૦૮ માં જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી સગીરાને સીવીલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાં સગીરાનું મૃત્યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. હિતેશભાઇ જોગડા તથા રાજાભાઇએ સીવીલ હોસ્પિટલે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક નાઝનીન બે બહેન અને એક ભાઇમાં મોટી હતી. તે ધોરણ ૧૧ માં અભ્યાસ કરતી હતી. હાલમાં ઓનલાઇન અભ્યાસ ચાલુ હતો. તેના પિતા સાવરણી બનાવવાનો વ્યવસાય કરે છે. આજે સવારે માતા અને બહેન પાણી ભરતા હતા ત્યારે તેણીએ ઉપરના રૂમમાં જઇ રૂમ અંદરથી બંધ કરી પંખા સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. તેણે કયા કારણોસર પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. 

(4:37 pm IST)