Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

રાજકોટમાં ઘેર-ઘેર રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવી ‘હર ઘર તિરંગા'ની થશે ઉજવણી

આઝાદી કા અમૃત મહોત્‍સવઃ દેશભરમાં ૧૩થી ૧૫ ‘હર ઘર તિરંગા' અભિયાન : લાકડી સહિતનો ધ્‍વજ બે લાખ ઘરો સુધી પહોંચાડવા તંત્ર સજ્જ : મ્‍યુ. કોર્પો. દ્વારા વિવિધ ક્ષેત્રોનો સહયોગ મેળવાશેઃ ઘેર-ઘેર રાષ્‍ટ્રભાવના જગાડવા પ્રયાસ થશેઃ મેયરે પત્રકાર પરિષદમાં ઉજવણીની વિગતો જાહેર કરી

​ભારત સરકાર દ્વારા ‘હર ઘર તિરંગા' અભિયાનનું સમગ્ર દેશમાં તા. ૧૩ થી ૧૫ ઓગષ્‍ટ આયોજન કરવામાં આવ્‍યું છે. જે અનુસંધાને મનપા દ્વારા આ કાર્યક્રમની ઉજવણી વિશે યોજાયેલી પત્રકાર પરિષદમાં મેયર પ્રદિપ ડવએ વિસ્‍તૃત માહિતી આપી હતી. સાથે પ્રથમ તસ્‍વીરમાં ડો. દર્શિતાબેન શાહ, પુષ્‍કર પટેલ, ડે.કમિશનર આશીષકુમાર, એ.આર.સિંઘ તથા નીચેની તસ્‍વીરમાં વિનુ ઘવા, સુરેન્‍દ્રસિંહ વાળા, ડે. કમિશનર ચેતન નંદાણી, આસી. કમિશનર હર્ષદ પટેલ, હરીશ કગથરા વગેરે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

 

રાજકોટ તા. ૧ : અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશને આઝાદ કરાવવા લાખો સ્‍વાતંત્ર્ય સૈનિકો અભૂતપુર્વ જંગ લડ્‍યા હતા. આ લડત દરમ્‍યાન અનેક ક્રાંતિકારીઓએ પોતાના પ્રાણનું બલિદાન આપ્‍યું હતું. આᅠᅠક્રાંતિવીરોએ આપેલા બલિદાનના પરિણામરૂપે આપણો દેશ આઝાદી ભોગવી રહ્યો છે.સ્‍વાતંત્ર્ય સૈનિકોની આ રાષ્ટ્રભક્‍તિ લોકોના હદયમાં કાયમ જીવંત રહે અને દેશદાઝ સતત પ્રજવલિત રહે તે માટે કેન્‍દ્ર સરકારશ્રી દ્વારા‘આઝાદી કા અમૃત મહોત્‍સવ'અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુને વધુ પ્રબળ બને તેવા ઉમદા આશય સાથે ભારત સરકાર દ્વારા‘હર ઘર તિરંગા'અભિયાનનું સમગ્ર દેશમાં તા. ૧૩ થી તા. ૧૫ દરમ્‍યાન આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આ દિવસો દરમ્‍યાન ઘરે ઘરે રાષ્ટ્રધ્‍વજ ફરકાવી‘હર ઘર તિરંગા'કાર્યક્રમની ઉજવણી માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આયોજન કરવામાં આવ્‍યું છે, આ આયોજન વિશે માહિતી આપવા મેયર ડો. પ્રદિપ ડવનાં અધ્‍યક્ષ સ્‍થાને આજે મહાનગરપાલિકા ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

મેયર ડો. પ્રદિપ ડવે પત્રકાર પરિષદને સંબોધન કરતા  જણાવ્‍યું હતું કે, શહેરમાં રહેણાંક મકાનો,વ્‍યાપારી સંકુલો, ઔદ્યોગિક કચેરીઓ,જુદીજુદી સામાજીક સંસ્‍થાઓ,શાળા-કોલેજો, સરકારી અને ખાનગી કચેરીઓ વગેરે સ્‍થળોએ રાષ્ટ્રધ્‍વજ ફરકાવવા વિવિધ ક્ષેત્રોનો સહયોગ મેળવવામાં આવશે.

મેયરએ વધુમાં જણાવ્‍યું હતું કે, આંતરરાષ્ટ્રીય મંચ પર તિરંગાનું મહત્‍વ કેટલું બધું વધારે છે તેનું ઉદાહરણ યુક્રેન અને રશિયા વચ્‍ચે ચાલી રહેલા યુધ્‍ધ દરમ્‍યાન જોવા મળ્‍યું હતું. ભારત સરકાર દ્વારા યુક્રેનની ભૂમિ પરથી ભારતીય નાગરિકો અને છાત્રોનાં રેસ્‍ક્‍યુની કામગીરી હાથ ધરવામાં આવી ત્‍યારે ભારતીયો અને પડોશી દેશના નાગરિકો પણ ભારતના ત્રિરંગા સાથે યુક્રેનમાંથી સહીસલામત બહાર નીકળી શક્‍યા હતાં. ભારત સરકારની વિનંતીને પગલે થોડા ક્‍લાકોમાતે યુધ્‍ધ વિરામ ઘોષિત કરાયેલ અને ભારતીયો અને અન્‍ય દેશના નાગરિકો પણ ત્રિરંગો હાથમાં રાખી સલામતરીતે ત્‍યાંથી નીકળી શક્‍યા હતા.

મેયરએ એમ પણ ઉમેર્યું હતું કે, આપણા દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીનાં માધ્‍યમથી દેશનો દરેક નાગરિક રાષ્ટ્રગૌરવની અનુભૂતિ કરે તેવા આશય સાથે યોજાયેલ ઙ્કહર ઘર તિરંગાઙ્ઘ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકા શહેરના વિવિધ ક્ષેત્રોને તેમાં સામેલ કરશે. સરકારશ્રી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને ૨ લાખ રાષ્ટ્રધ્‍વજ આપવામાં આવશે ઉપરાંત વધુ જરૂર જણાયે સ્‍થાનિક કક્ષાએથી રાષ્ટ્રધ્‍વજ મેળવવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ રાષ્ટ્રવ્‍યાપી કાર્યક્રમ દરમ્‍યાન શહેરના વિવિધ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, વ્‍યાપારિક, ઔદ્યોગિક,સ્‍કુલ-કોલેજો વગેરે સંસ્‍થાઓ અને અલગ અલગ એસોસીએશનનાં સહયોગથી હર ઘર તિરંગા કાર્યક્રમને સફળ બનાવવામાં આવશે.

વધુમાં રાજકોટ મહાનગરપાલિકાની ૬૯૫ મિલકતો ઉપર તિરંગા લહેરાવવામાં આવશે તેમજ રાજકોટ મહાનગરપાલિકાનાં કર્મચારીઓની ટીમો બનાવી શેરીઓ અને સોસાયટીઓમાં રાષ્ટ્રધ્‍વજ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તેમજ રાજકોટ મહાનગરપાલિકાના તમામ ૧૮ વોર્ડની વોર્ડ ઓફિસેથી સામાન્‍ય દરથી નાગરિકો માટે રાષ્ટ્રધ્‍વજ ઉપલબ્‍ધ કરવામાં આવશે. આ રાષ્ટ્રવ્‍યાપી અભિયાનમાં શહેરીજનો પણ સ્‍વયંભૂ જ સામેલ થઈ પોતાના ઘર કે સંસ્‍થા કે વ્‍યવસાયિક સ્‍થળે રાષ્ટ્રધ્‍વજ લહેરાવી આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણી કરશે,તેવી રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓએ આશા વ્‍યક્‍ત કરી હતી.

પત્રકાર પરિષદની શરૂઆતમાં નાયબ કમિશનર આશિષ કુમારે મેયર સહિતના પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ, પ્રચાર પ્રસાર માધ્‍યમોના પ્રતિનિધિઓ, કેમેરામેનશ્રીઓ, ફોટોગ્રાફરો સહિતના સૌને આવકાર્યા કતા.

 આ પ્રસંગે ડેપ્‍યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, શાસક પક્ષનાં નેતા વિનુભાઈ ઘવા, દંડક  સુરેન્‍દ્રસિંહ વાળા, નાયબ કમિશનર  આશિષ કુમાર, એ. આર. સિંહ અને ચેતન નંદાણી, સહાયક કમિશનરો  એચ. કે. કગથરા અને એચ. આર. પટેલ વગેરે ઉપસ્‍થિત રહયા હતાં.

 

રાષ્‍ટ્રીય ધ્‍વજ સૂર્યોદય અને સૂર્યાસ્‍ત પછી પણ ફરકાવી શકાશે

ભારતીય રાષ્ટ્રિય ધ્‍વજ - તિરંગા, આપણી બંધારણીય એસેમ્‍બલી દ્વારા ૨૨ જુલાઈ,૧૯૪૭ માં અપનાવવામાં આવેલ અને ત્‍યારથી જ આ આપણો રાષ્ટ્રીય ધ્‍વજ છે.ᅠ ધ્‍વજની ડીઝાઈન શ્રી પેન્‍ગલી વેંકૈયા દ્વારા સૂચવવામાં આવેલ.ᅠ જે મુજબ તિરંગામાં સૌથી ઉપર કેસરી, વચ્‍ચે સફેદ અને નીચે લીલો કલર હોય છે. મધ્‍યમાં અશોક ચક્ર હોય છે અને ધ્‍વજની સાઇઝ ૩:૨ ની માત્રામાં હોય છે.ᅠ રાષ્ટ્રીય ધ્‍વજના ઉપયોગને લગતᅠEmblem and Names (Prevention of Improper Use) Act, 1950 અને Prevention of Insults to National Honor Act, 1971ᅠઅમલી બનેલ. આપનો રાષ્ટ્રીય  Bureau of Indian Standardsᅠમુજબ ખાદીની હાથ બનાવટના ધ્‍વજનો ઉપયોગ કરવાનો હોય છે.ᅠ જે મુજબ આ ધ્‍વજ બનાવવાની કામગીરી ખાદી ડેવલોપમેન્‍ટ એન્‍ડ વિલેજ ઇન્‍ડસ્‍ટ્રીઝને સોપવામાં આવેલ હતી. ૨૦૨૨ માં એક ભારતીય નગરિક નવીન જિન્‍દાલની અરજી ઉપર નામ.સુપ્રિમ કોર્ટે ૨૦૨૨ ના ચુકાદાથી રાષ્ટ્રીય ધ્‍વજને લગત ઉપરોક્‍ત કાયદાઓમાં સુધારો કરવા ભારત સરકારને સૂચન કરતાં ફલેગ કોડ ઓફ ઇન્‍ડિયા, ૨૦૦૨ અમલમાં આવેલ અને હવે સામાન્‍ય નાગરિકોને પણ રાષ્ટ્રીય ઝંડો ફરકાવવાનો હક્ક મળેલ.ᅠᅠFlag Code of India Amendment, 2021ᅠમાં સુધારો થતાં હવે પોલીએસ્‍ટર ફલેગનો ઉપયોગ પણ કાયદેસર બનેલ છે.ᅠᅠJuly 20, 2022ᅠમાંᅠFlag Code of India માં Amendmentᅠથતાં હવે રાષ્ટ્રીય ધ્‍વજ સૂર્યોદય અને સૂર્યાસ્‍ત પછી પણ ફરકાવી શકાય છે.

(4:09 pm IST)