Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

બાલમુકુન્‍દ સોસાયટીમાં કલેશને કારણે અધ્‍યાપિકાએ ફિનાઇલ પીધું

પતિ પણ આચાર્ય છેઃ સારવાર બાદ રાતે જ રજા અપાઇ

રાજકોટ તા. ૨: નિર્મલા રોડ પર બાલમુકુન્‍દ સોસાયટી-૯માં રહેતાં નમ્રતાબેન વિપુલભાઇ મહેતા (ઉ.વ.૩૪) રાતે ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશભાઇ સરવૈયાએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ નમ્રતાબેન કુંડલીયા કોલેજમાં અધ્‍યાપિકા છે. તેમના પતિ જસદણ પાસેની સંસ્‍થામાં આચાર્ય છે. પતિ-પત્‍નિ વચ્‍ચે કલેશ થતાં નમ્રતાબેને આ પગલુ ભર્યુ હતું. જો કે સારવાર બાદ રાતે જ હોસ્‍પિટલમાંથી રજા અપાઇ હતી.

(10:54 am IST)