Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ત્રંબા મોહનધામ આશ્રમ ખાતે દિવ્‍ય જળયાત્રા સાથે અતિરૂદ્ર મહાયજ્ઞનો શુભપ્રારંભ

પૂજ્‍ય મોહનબાપાની નિશ્રામાં હજારો ભક્‍તો લઇ રહ્યા છે ઔલોકિક લાભ

રાજકોટ : ત્રંબા મોહનધામ આશ્રમ ખાતે પૂજ્‍ય શામળાબાપાની કળપાથી અને પૂજ્‍ય મોહનબાપાની પ્રેરણાથી પાવન નગરી ત્રંબા મુકામે શરુ થનાર અતિરુદ્ર મહાયજ્ઞ મહોત્‍સવના અંતર્ગત જળયાત્રા સાથે આજરોજ વેદોક્‍ત મંત્રોચાર સાથે શુભ પ્રારંભ કરવામાં આવ્‍યો.આ મહોત્‍સવના પ્રારંભે દેવાધિદેવ ત્રમ્‍બકેશ્વર મહાદેવ ત્રિવેણી સંગમ ના સ્‍થાન ખાતે થી દેહશુદ્ધિ સાથે હેમંદ્રિના વાંચન બાદ વાજતે ગાજતે પૂજ્‍ય બાપાની નિશ્રામા જળયાત્રા નો પ્રારંભ કરવામાં આવેલ આ યાત્રા ત્રંબા ના મુખ્‍ય માર્ગ પર ફરી નિજ આશ્રમમા આ યાત્રા ભવ્‍યતાની સાથે દિવ્‍ય વાત્તાવારણમા આતશબાજી તેમજ સીતારામ ના નાદ સાથે અને લોકો હર્ષોલ્લાસ સાથે નીકળી હતી. ૧૨૧ કુંડી પાંચ દિવસિય મહાયજ્ઞનો વેદોક્‍ત મંત્રોચાર સાથે આશરે ૨૦૦ વિદ્વાન બ્રાહ્મણ સાથે પ્રારંભ કરવામાં આવ્‍યો છે.

(3:15 pm IST)